SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ જીવન વિકાસનાં વિસ સોપાન આ ગીત સાંભળીને બાળકના મનમાં જંબુ ખાવાની તીવ્ર ઇચ્છા થઈ તેણે ખૂટી પર લગાવેલા પિતાજીના કોટમાંથી દસ પૈસા ચૂપચાપ કાઢી લીધા, પછી ભવનના ઉપરના માળથી નીચે ઊતરી માર્ગ પર જતા ખૂમચાવાળાની પાસે પહોંચ્યો તેણે દસ પૈસાના જાંબુ ખરીદ્યાં અને ત્યાં જ ઊભા ઊભા ખાઈ ગયો જાંબુ ખાવાથી તેની જીભ જાંબુડી રંગની થઈ ગઈ. હવે સમસ્યા ઊભી થઈ કે જીભનો રંગ કેવી રીતે છૂપાવવો ? જે કંઈ બોલવાને માટે મોં ખોલે તો સૌ જાણી જાય કે તેણે જાંબુ ખાધાં છે, અને પછી પ્રશ્નની પરંપરા ચાલશે અને ચોરી પકડાઈ જશે. તેને પોતાની બુદ્ધિ અનુસાર ઉપાય સૂજ્યો કે મૌન રહેવું તે સારો ઉપાય છે. ઘરમાં ગયો ત્યારે તેને કંઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો પણ તે મૌન રહ્યો. આથી માતા ચિંતિત થઈ ગયાં કે લલ્લુને કંઈ બીમારી લાગુ થઈ છે. તેથી મોં ખોલતો નથી. પિતાજીએ તત્કાળ ડોકટરને ફોન કરીને બોલાવ્યા. ડોકટરે કહ્યું કે હમણાં એક ઈજેક્શન આપવાથી તેનું મોં ખુલી જશે ડોકટરે જ્યાં ઈજેક્શનની સોય તૈયાર કરી ત્યાં તો બાળક ગભરાઈ ગયો અને ચીસ પાડી ઊઠ્યો કે “મને સોય મારશો નહિ,” મેં દસ પૈસાની ચોરી કરીને જંબુ ખાધાં છે. જીભનો રંગ ન દેખાય માટે મોં ખોલતો નથી. હવે હું કદી ચોરી નહિ કરું. આ રીતે પાપના ભય, મારના ભયથી પણ સુધારણા થાય છે. અંતમાં નિર્ભયતા સાહસ અને વીરતાનું લક્ષણ છે. છતાં પણ ઉદંડ અને બે જવાબદારી ભરી નિર્ભયતા અનુપાદેય છે. ૧૦. પરોપકાર પરોપકાર પરાયણો! પ્રભુ મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એક ગામથી બીજે ગામ વિહાર કરીને અનેક સ્થાનોમાં ઉપદેશ આપ્યો હતો. શું તે કોઈ ના અહિત માટે સંપ્રદાય ચલાવવા માંગતા હતા? શિષ્યોની સંખ્યા વધારવા માંગતા હતા ? પોતાના માટે શાસનની પ્રસિદ્ધિ ચાહતા હતા ? નહિ; એ હકીકત સંભવ નથી. અને એમના સાચા શિષ્યો પણ હજારો વર્ષોથી એજ કરી રહ્યા છે, સંપ્રદાય ચલાવે છે, પણ સહુના હિત માટે, શિષ્યો કરે છે જગતના કલ્યાણ માટે અને શાસનની, સત્યોની, તત્ત્વોની પ્રસિદ્ધિ, કલ્યાણ કાજે સૌના હૈયામાં થાય એના માટે આજે પણ સુખી શ્રીમન્તો હજારોની તાદાદ માં દીક્ષા લે છે સાધુ બને છે તેમના ઉપદેશનો ઉદેશ માત્ર પરોપકર - જનકલ્યાણ હોય છે. પ્રભુએ પોતાની દીર્ધકાલીન સાધના દ્વારા તેમણે જે કંઈ પ્રાપ્ત કર્યું તેનો જ જીવમાત્રના કલ્યાણાર્થે સહજ ભાવે ઉપદેશ કરતા રહ્યા. For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy