SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી આંખ મળી છે. પણ આંખથી ન પ્રભુનાં દર્શન કર્યા છે, ન સંતના, કે ન સાધુનાં. એ આંખથી કઈ શુભ કે મંગળ વાંચન પણ નથી કર્યું. આંખથી કે પ્રત્યે પ્રેમ કે કરુણાભાવ પણ નથી બતાવ્યો. કાન મળ્યા છે પણ એ કાનથી કેઈ દુઃખી અને સંતપ્તની આપવીતી પણ નથી સાંભળી. ધર્મની વાણું પણ નથી સાંભળી. આફતમાં સપડાયેલાઓના બચાવે અને મદદના પોકારે પણ કાને નથી ધર્યા. અંત:કરણ મળ્યું છે પણ એ અંતરથી કેઈનું હિત ચિંતવ્યું નથી. એ અંતરથી કેઈનાં સુખ જોઈ રાજીપો નથી અનુભવ્યો. માનવશરીરનાં આ બધાં યંત્રો દ્વારા યમ, નિયમ, સંવેગ અને વૈરાગ્યનું ઉત્પાદન કરવાનું છે. કર્મેન્દ્રિયોથી સેવા અને સાધના કરવાના છે. જ્ઞાનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલ આધ્યાત્મિક ઉત્પાદનનું યોગ્ય વિતરણ કરવાનું છે. અને આ બધાની કુશળ વ્યવસ્થા અને દેખરેખ અંત - કરણે સદાય રાખવાની છે. ૧૦૩ For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy