SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir G.5 ત્યારે પૂ. આ. શ્રી કૈલાસસાગસૂરિજી પ્રતિક્રમણ કરતા હતા. પ્રતિક્રમણ પૂરું થાય ત્યાં સુધી શ્રાવકો બહાર બેઠા. જેવા અંદર પ્રવેશ્યા કે તરત જ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ શનાભાઈને જોઈને કહ્યું, “કેમ, લીંબોદરામાં કોઈ ધાર્મિક પ્રસંગ યોજયો લાગે છે? હું જરૂર આવીશ.” બધા શ્રાવકો વિચારમાં પડી ગયા. હજી આપણે કશું કહ્યું પણ નથી અને આપણા મનનો ભાવ કઈ રીતે પૂજય કૈલાસસાગરજી કળી ગયા હશે?બધાનાં મસ્તક આ મહાપુરુષના ચરણે ઝૂકી ગયા. લીંબોદરા ગામનાં દેરાસરનાં એકસો વર્ષ પૂરાં થતાં હોવાને નિમિત્તે ધુમાડાબંધ ગામ જમાડયું. ગામના જૈનો જ નહિ, પણ જૈનેતરો પણ આમાં આગ્રહભેર સામેલ કરવામાં આવ્યા. બધાની એકસાથે રસોઈ કરવામાં આવી. એવામાં જનસમૂહ ઘણો વધી ગયો. આટલી રસોઈ તો ખૂટી પડશે એવી દહેશત જાગી. શ્રી પોપટલાલ રવચંદ અને શ્રી શનાભાઈ શાહ જેવા આગેવાનોએ આચાર્યશ્રી આગળ પોતાની ચિંતા પ્રગટ કરી. આચાર્યશ્રીએ કહ્યું કે જે રસોઈ તૈયાર કરી હોય તેના પર આ ચાદર પાથરજો અને આ વાસક્ષેપ નાખજો. પણ સહેજે ચિંતા ન કરશો. બન્યું પણ એવું જ કે રસોઈ ખૂટી નહિ. કૈલાસસાગરજી માણસા અને અગાસમાં હતા ત્યારે પણ આવી ઘટના બની હતી. શું આ ચમત્કાર હશે? ખુદ પૂ. કૈલાસસાગરજી આવા ચમત્કારમાં માનતા નહોતા, તો આ થતું હશે કઈ રીતે? આચાર્યશ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજે કહ્યું, “આવી વ્યકિતના ઉદ્ગાર જ દુ:ખના ઘાતક બને છે, પાપના નાશક બને છે, મુશ્કેલીના નિવારક બને છે. એમનામાં અપાર વાત્સલ્ય હતું અને એને પરિણામે એવા આત્મામાંથી નીકળેલા શબ્દો સ્વાભાવિકપણે જ સાચા પડે.” ઈ.સ. ૧૯૪૮ની આ વાત છે. મે-જૂન મહિનામાં કૈલાસસાગરજીએ પોતાના ભત્રીજા રામપ્રકાશજીને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં લખ્યું હતું કે તમે દાદાજીની ખૂબ સેવા કરજો. આ સેવાનો લાભ લાંબો સમય મળવાનો નથી. હકીકતમાં તે સમયે તો રામકિશનદાસજી ઘણા તંદુરસ્ત હતા. ઓકટોબર મહિનાના આરંભે બીમારી આવી અને ૧૯૪૮ની ૨૦મી ઓકટોબર દશેરાનો દિવસ એ એમનો અંતિમ દિવસ બન્યો. રામપ્રકાશજી કહે છે, “પૂ. કૈલાસસાગરજીને પોતાના પિતાના મૃત્યુનો જાણે સંકેત મળી ગયો ન હોય! આવો જ બનાવ રતિલાલ કામદાર નામના તંત્રવિધીના અભ્યાસીના જીવનમાં મળે છે. રતિલાલ કામદાર સ્થાનકવાસી જૈન હતા, તેમ છતાં એમને પૂ. કૈલાસસાગરજી સાથે ગાઢ પરિચયમાં આવવાની તક મળી હતી. તેઓને હંમેશાં કહેતા કે તમારી સિધ્ધિઓનો લોકકલ્યાણમાં જ ઉપયોગ કરજો. એક ૧ ૨ ૧ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy