SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૭૪ શ્રાવક ધર્મ સ્વરૂપ. ત્યારે અકામી અને અભાગીપણાની દશાને પ્રાપ્ત કરી લેાકામાં ચારિત્રના નમુના તરીકે પ્રસિદ્ધિને પામે છે. ગુણુ ગગનમાં ચઢીને ગાજે છે તેમજ અવગુણુ પણ ગગનમાં ચઢીને ગાજે છે. સેાળમા ગુણને પ્રાપ્ત કરનારા મનુષ્ય ભાવશ્રાવકપદના અધિકારી બનીને અન્યાને પણ ભાવશ્રાવકનું પદ પ્રાપ્ત કરાવી શકે છે. એક સુધરે છે તે તે હજારાને સુધારે છે. તેમજ એક બગડેલે હજારાને બગાડે છે. એક ઉંચે ચઢેલા હજારાને ઉંચે ચડાવે છે. અને એક પડતા મનુષ્ય, હજારાને પાડવા સમર્થ થાય છે. આવા ઉત્તમ ગુણુને ધારક ભાવશ્રાવક સંસારમાં રહ્યા છતા પણ પ્રાયઃ સંસારથી લેપાતા નથી અને તેથી તે ગૃહાવાસના ત્યાગ કરવાની બુદ્ધિથી ગૃહસ્થાવાસનું પાલન કરે છે. આજ હેતુને અનુસરીને સેાળમે। ગુણુ કથાબાદ ભાવશ્રાવકના સત્તરમા ગુણુને કહે છે. भावश्रावकनो सत्तरमो गुण. Acharya Shri Kailassagarsuri Gyanmandir वेसव्व निरासंसा, अज्जं कलं चयामि चिंतंतो; परकीयंपि व पालइ, गेहावासं सिढिल भावो ॥ १७ ॥ ભાવાર્થ—વેશ્યાવત પરિયત આસ્થા બુદ્ધિવાળા અને શિથિલ ભાવવાળા આજ અગર કાલ સંસારને છેાડીશ એમ વિચાર કરતા છતા પરાયાની પેઠે ગૃહાવાસનું પાલન કરે છે. જેમ વેસ્યા, કામુક મનુષ્ય પાસેથી વધારે લાભના અસંભવ ગણીને અલ્પ લાભ મેળવતી છતી વિચારે છે કે આજ કે કાલ અને તજીશ એમ નિશ્ચય કરીને મ આદરથી તેને સેવે છે. તેમ ભાવશ્રાવક પણ આજ કે કાલ ધરવાસને તજવા છે એવા સત્ય મનેારથ રાખીને પરાયાની પેઠે તેને પાળે છે. ગૃહાવાસમાં ચંદ્ર આદરવાળા રહે છે. ક્યારે પાપારંભના હેતુભૂત ગૃહાવાસને તજીને સવરમયી દીક્ષાને અંગીકાર કરીશ ? ક્યારે હું શરીરપર પણ મમત્વ ભાવરહિત થયા છતા ગુરૂના ચરણની સેવા કરતા છતા નિર્દોષ આહારથી શરીર પાષીને નિવૃત્તિ સાધક બનીશ ? ક્યારે હું સુવર્ણની પેઠે મારા આત્માને ઉજ્જવલ તપ ચરણુ કરણુરૂપ અગ્નિમાં નાખીને સંપૂર્ણ મળથી રહિત કરીશ ? આવી ઉત્તમ દીક્ષાના મનાથની ભાવના ભાવતા ચકા પોતાના અધિકાર પ્રમાણે દીક્ષા લેવાના ઉપાયા કરે છે. પાંજરામાં પુરેલા પંખીની ભાક ભાવશ્રાવક સંસારગ્રહવાસમાંથી છૂટવાના ખરા જીગરથી અનેક ઉપાયે કરે છે. તે ભાવશ્રાવક વેશ્યાની માફક ઉપરના પ્રેમ દેખાડીને કુટુંબનું પ્રતિપાલન કરે છે તેથી તે ખરી રીતે જોતાં ઉદાસીનપણે સાંસારિક ક્રિયાઓને કરતા જાય છે. જેને ચારિત્રની સાથે ચિત્ત લાગ્યું છે તેનું પ્રાણાતે પણ તેનાથી ચિત્ત છૂટતું નથી, ભાવશ્રાવક દીક્ષા લેવાને માટે તપી For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy