SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક્ર ધર્મ સ્વરૂપ. ૩૭૩ રાત્રિ દીવસ ઉદ્યમ કરે છે, પણ અંતે બિચારા થાકીને કહે છે કે અરે ! અમને કંઈ પણુ સુખ મળ્યું નહીં. દુનિયામાં અનાદિકાળથી જીવ આહારનું ભક્ષણ કરે છે તેના જો ઢગલેા કરવામાં આવે તેા પર્વતા સહિત પૃથ્વીથી પણ વધી પડે. સમુદ્ર કરતાં આ જીવે અધિક જળનું પાન કર્યું તાપણુ હજી તેથી તૃપ્તિ થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. આ જીવે પુલ, ફળ વગેરે પશુ શ્રેણાં પૂર્વકાળમાં વાપી અને હજી વાપરે છે તાપણુ તેથી તૃપ્તિ થઇ નથી અને થવાની નથી. દેવતાઓ ધણા કાળ પર્યંત ભાગા ભાગવે છે તેાપણુ તેનાથી અન્તે ભ્રષ્ટ થાય છે અને શાક વગેરેથી દુઃખના સાગરમાં ડુબકીએ મારે છે. ભેગને માટે આત્મા છે કે આત્માને માટે ભેગ છે? આત્મા ભગાને ભાગવવાથી કદી શાન્તિ પામનાર છે? શું આજ સુધી કોઇએ ખાલના ભેગાથી નિત્ય શાન્તિ પ્રાપ્ત કરી છે ! અલબત કહેવું પડશે કે ખાદ્ય પદાર્થાને ભાગરૂપ કલ્પીને મિથ્યા પ્રયત્ન કરાય છે. ભાગાને ભાગવવામાં સુખ છે, સુખ છે, એમ માનીને સેા વર્ષે પર્યંત તેને ભાગળ્યા કરેા અને અંતે અનુભવથી તમારે કહેવું પડશે કે ભાગાથી સુખ થયું નથી અને હવે થશે નહીં. ભાગ પાર્થો કંઈ મનુષ્યાને સુખ આપવા ઉત્પન્ન થયા નથી અને તેમનામાં મનુષ્યાને સુખ આમવાનું સામર્થ્ય પણ નથી, તેમ છતાં સૂદ્ધ જીવા, કૂતરૂં જેમ હાડકાને (અસ્થિને) કરડે અને લેાહી નીકળે છે તાપણુ મૂકતું નથી તેમ ભાગપદાર્થોમાં રાચીમાચીને રહે છે, અને તેમાંજ પોતાનું અમૂલ્ય જીવન હારે છે. ભાવશ્રાવક તત્ત્વાનું સમ્યક્ સ્વરૂપ જાણે છે તેથી ભાગ અને ઉપભાગના પદાર્થોમાં રાગ કરતા નથી. ઉત્તમ એવા ભાવશ્રાવક્ર સગાંવ્હાલાં વગેરેના અનુરોધથી કામભાગમાં પ્રવૃત્તિ કરે છે. સારાંશ કે કામભાગમાં પાતે સુખબુદ્ધિ ધારણ કરતા નથી. આવા ભાવશ્રાવક આત્માની ઉચ્ચ દશા કરવા સમર્થ થાય તેમાં જરા માત્ર આશ્ચર્ય નથી. ભાવશ્રાવક આવી દાને પ્રાપ્ત કરીને જગતમાં અન્યાને ઉત્તમ જનની પેઠે સુધારવા સમર્થ થાય છે, તેવા પ્રકારના ભાવશ્રાવક કહેણી કરતાં રહેણીથી કરાડગણી અસર, અન્ય મનુષ્યા ઉપર કરે છે. જગમાં કચની કરનારાઓ તેા ઘણા મળી આવે છે, પણ રહેણીમાં રહેનારા લાખમાંથી નવ જેટલા પણ નીકળી શકતા નથી. સેાળમા ગુણને ધારણ કરનાર ભાવશ્રાવક, પેાતાના કુટુંબને તથા નાતને પણ પેાતાના ગુણાવડે આકર્ષે છે અને પેાતાના ગુણેાની સુગંધિવડે આસપાસના લોકોને સુગન્ધિત કરે છે. આવે શ્રાવક બ્રહ્મચર્યની પૂણે દશા પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. પેાતાના ખળવડે જ્યારે વખત આવે તે શ્રાવક સાધુની દીક્ષાને અંગીકાર કરે છે For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy