SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૬૩ તથા તે પ્રભાવના કરનારનું બહુ ગાન કરે છે. દેવગુરૂ અને ધર્મની પ્રશંસા કરે છે. સદ્ગુરૂની બહુ ભક્તિ કરે છે તેમજ વિનય અને બહુમાનથી દેવગુરૂની સેવા પૂજા કરે છે. પેાતાના ધર્માચાર્યની સેવામાં અહર્નિશ તત્પર રહે છે. તેમની વૈયાવચ્ચમાં ખામી રાખતા નથી. ચૈત્ય બંધાવવાં, તીર્થયાત્રા, અને સાધર્માં બંધુઓની ભક્તિ વગેરેમાં મસ્ત રહે છે. જૂના પુસ્તકાના ઉદ્ધાર કરે છે. નવીન પુસ્તકો લખાવે છે. સાધુ અને સાધ્વીઓને ભણવામાં સહાયકર છે. જૈનતત્ત્વાની પૂર્ણ શ્રદ્ધા રાખે છે. પેાતાની અલ્પબુદ્ધિથી કાઈ બાબત ન સમજાય તેા શંકા રાખતા નથી. જે જિનેન્દ્રાએ કહ્યું છે તેજ સત્ય છે એમ મનમાં દૃઢ શ્રદ્ધાનેા નિશ્ચય કરે છે. મિથ્યાત્વના હેતુઓને છંડે છે અને સમકિતના હેતુઓને અંગીકાર કરે છે. સમ્યકત્વ શુદ્ધ હાય તા અવિરત છતાં પણ તીર્થંકર નામકર્મ આંધે છે. સમક્તિ રત્ન પ્રાપ્ત થતાં. સંસાર સમુદ્રની પેલી પાર ઉતરી શકાય છે. જે જીવા સમ્યકત્વ અન્તર્મુહૂર્ત પર્યંત પશુ સ્પર્શે છે તે જીવેાને અર્ધપુાળ પરાવર્તન કાળ જેટલા સંસાર બાકી રહે છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે સમકિતના સડસઠે મેલની સેવના કરવી. ચક્રવર્તિનું પદ પામવું સહેલું છે પણ સમ્યકત્વની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, સમકિતી મનુષ્ય કુતર્કવાદીઓના વિચારાથી મુંઝાતા નથી અષ્ટાદ્દશ દોષ રહિત વીતરાગ સર્વજ્ઞ દેવ પંચમહાવ્રતધારક તત્ત્વાપદેશક શ્રી સદ્ગુરૂ અને શ્રી અરિહંત કહેલા ધર્મ એ ત્રણ તત્ત્વાની ભાવ શ્રાવકા પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે. જૈન સિદ્ધાંતાનું પ્રતિદિન શ્રવણ કરી જૈન ધર્મની શ્રદ્ધાને ધારણ કરે છે. સમકિતી ભાવ શ્રાવક ગાડરીઆ પ્રવાહના ત્યાગ કરે છે માટે આઠમા ગુણુ ખાદ નવમા ગુણુને કયે છે. भाव श्रावकनो नवमो गुण. ॥ ગાથા | गडरिगपवाहेणं । गयाणुगइयंजणं वियाणंता । परिहरइलोगसन्नं । सुसमिख्खियकारओ धीरो ॥ ९ ॥ ભાવાર્થ:—ગાડરીયા પ્રવાહવડે ગતાનુગતિક લેાકને જાણીને ધીર સુસમીક્ષિતકારક, એક ગાડરની પાછળ ખીજું ત્રીજું એમ સર્વ ગાડરા ચાલ્યા કરે છે, એક ગાડર ખાડામાં પડે છે તેા અન્ય ગાડરા કુવામાં પડે છે. પશુ કાંઇ વિચાર કરતાં નથી. કીડી મકાડીનેા પ્રવાહ પણ તેવા સમ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy