SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૩૧ કરી શકાય છે. સંસારવ્યવહારમાં પણ જે માતા, પિતા, વડીલેા અને શિક્ષકે વગેરેના ઉપકાર સમજી તેમના વિનય સાચવી શકતા નથી તે લેાકેાત્તર ધર્મ ગુરૂના ઉપકાર જાણીને તેના ખરાખર વિનય કરવાને શક્તિમાન થતા નથી. સતપુરૂષોના વિનય કરવા જોઇએ કારણકે તે જગતને ઉપકાર કરનારા હાય છે. સાધુઓનાં દર્શન થતાં બે હાથ જોડી તેમને ઉભા થઈ વંદન કરવું. તેને વિનય કરનારની ઉત્તમગતિ થયા વિના રહેતી નથી. વિનય વિના ધર્મને મેષ મળી શકતા નથી. વિનય વિના જ્ઞાન મળતું નથી. માટે વિનયની આવશ્યકતા છે. વિનયવંત પુરૂષ, શ્રાવક ધર્મને પામવા ચેાગ્ય અને છે માટે બંધુએ અને હેંનેએ વિનયગુણુને ગ્રહણ કરવે1. કૃતજ્ઞ ગુણવાળા, વિનય કરી શકે છે. જે કરેલા ગુણને જાણુતા નથી તે વિનય કરવા તત્પર થતા નથી, તેથી વિનયગુણુની પ્રાપ્તિ માટે તજ્ઞ ગુળની આવશ્યકતા છે. ઈત્યાદિ હેતુથી ઓગણીશમા કૃતજ્ઞગુણુ જણાવે છે. १९ ओगणीसमो कृतज्ञगुण. बहु मन्नइ धम्मगुरुं, परमुवया रित्तितत्त बुद्धीए ॥ तत्तो गुणाण बुट्टी, गुणारिहो तेणिह कयन्नू || २६ ॥ કૃતજ્ઞ મનુષ્ય, તત્ત્વબુદ્ધયા પરમ ઉપકારી શ્રી ધર્મગુરૂને ગણી તેમનું બહુ માન કરે છે, તેથી ગુણાની વૃદ્ધિ થાય છે માટે કૃતન મનુષ્ય ગુણુ યેાગ્ય છે. કૃતજ્ઞ પુરૂષ, ધર્મદાતાર આચાર્યાદિકને પરમ ઉપકારી જાણી બહુ માન આપે છે. જગતમાં સર્વથી મેાટા ઉપકાર, સમ્યકત્વ સદ્ગુરૂને છે. તે આ આગમના પરમ વાયતે વિચારે છે કેઃ-હે આયુષ્માન્ શ્રમણા ! જગમાં ત્રણ જણુના ખદલા વાળવા મુશ્કેલ છે. માબાપને, સ્વામીના અને સમકિતદાતાર ધર્માચાર્યના ફાઈ પુરૂષ, પેાતાના માબાપને સાંજ સવાર શતપાક અને સહસ્ત્રપાક તેલથી મર્યંત કરી સુગંધી ગંધાદકથી નવરાવી, સવ્વલ‘કારથી શણુગાર કરાવી, પવિત્ર વાસણુમાં પિરસેલું અઢાર શાક સહિત મનેાન ભાજન જમાડી, જીવતાં સુધી પેાતાની પીઠ ઉપર ઉપાડતા રહે, તેટલાથી પણ તે માબાપના બદલા વાળી શકાતા નથી, પણ જો માબાપને શ્રી કેવલજ્ઞાનિકથિત વીતરાગ ધર્મને સમજાવી તેમાં સ્થાપન કરે તેાજ માબાપના બદલા વાળ્યા કહી શકાય. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy