SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૨૩ બીહે છે અને તેઓ પણ તેના ઉલટા સગુણો ગાવા મંડી જાય છે. અનેક પ્રતિપક્ષીઓ છતાં સુપક્ષવાળે પોતાના ઉન્નતિ માર્ગ સુખે ગમન કરે છે. માટે સુપક્ષગુણની પણ આવશ્યકતા છે. સુપક્ષગુણવાળો દીર્ધદર્શીત્વ ગુણને પ્રાપ્ત કરે છે માટે હવે દીર્ધદર્શિત્વ ગુણને કહે છે. १५ पंदरमो दीर्घदर्शित्वगुण. आढवइ दीहदंसी, सयलं परिणामसुंदरं कज्जं ॥ बहुलाभमप्पकेसं-सलाहणिज्जं बहुजणाणं ॥ १५ ॥ દીર્ઘદર્શી મનુષ્ય જે જે કાર્ય, પરિણામે સુંદર હોય, બહુ લાભ અને અલ્પ કલેશવાળું હોય, અને ઘણુ મનુષ્યોને પ્રશંસવા યોગ્ય હોય તે કરે છે. દીર્ધદ પુરૂષ વિચાર્યા વિના કોઈ કાર્યને એકદમ આરંભતો નથી. તે જે જે કાર્ય કરે છે તેને ભવિષ્ય સંબંધી બહુ લાભને વિચાર કરે છે. વિશેષતઃ આગામિકાળે જે જે કાર્યોથી સુખ અને લાભ, મળે તેનો જ આરંભ કરે છે. તે લાંબી દષ્ટિ પહોંચાડ્યા વિના કોઈ પણ કાર્ય કરતો નથી. દીર્ધદષ્ટિ પુરૂષના કાર્યને સર્વ લોકે વખાણે છે અને તેની દષ્ટિના આધારે અન્ય પુરૂષો પણ ચાલે છે. સંસારવ્યવહારનાં દરેક કાર્યોમાં તે લાભાલાભ વિચારીને પગલું ભરે છે. અનેક પ્રકારના સંકટમાં ગુંથાયે હોય છે છતાં તે દીર્ધદષ્ટિથી ભ. વિષ્યનાં કાર્યને નિર્ણય કરે છે. તે પુરૂષ પારિમિકી બુદ્ધિવડે સર્વ કાર્ય કરી શકે છે; તેથી લોકોમાં પ્રખ્યાતિપણાને મેળવે છે. કેટલીક વખત એવું બને છે કે, કેટલાક લોકો વિચાર્યા વિના એકદમ કોઈ કાર્યને ક્રોધ, અને ઈર્ષા આદિના વેગથી આરંભે છે અને તેમાં લાભ થાય છે ત્યારે પશ્ચાત્તાપ પામે છે. પિતાને આધકાર, બળ, સહાય, ભવિષ્યમાં લાભ, કાર્યની પૂર્ણ તાનાં સાધન, આજુબાજુના સંયોગે, અને વિઘને નાશ કરવાના ઉપાયો, વગેરે બાબતે વિચાર કરી કાર્ય કરવું જોઈએ; દરેક કાર્યમાં મનુષ્ય કેટલા હેતુઓથી ફાવે છે તેને વિચાર કરવાની ટેવ પાડવી કે જેથી દીર્ધદષ્ટિપણને ગુણ ખીલી શકે. કઈ પણ વસ્તુ સંબંધી તેના પરિણામને પ્રથમથીજ વિચાર કરવો જોઈએ અને પશ્ચાત તેને નિર્ધાર કરવો જોઈએ. સહસાતકારે કોઈ કાર્ય કરવામાં આવે છે તે પશ્ચાત અનેક આપદાઓનું સ્થાનભૂત પિતે બને છે. દરેક બાબતને ભવિષ્યના પરિણામ સબંધી ખૂબ વિચાર કરે અને તેમાં દીર્ધદષ્ટિ પુરૂષોની સલાહ લેવી. દીર્ધદષ્ટિવાળો પુરૂષ, જે જે કાર્ય કરે છે For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy