SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ શ્રાવક ધર્મ સ્વરૂ૫. ૨ કિdય-હૃપવાન ગુખ संपुग्नंगोवंगो, पंचिंदियसुंदरो सुसंघयणो; होइ पभावहेऊ, खमोय तह रूववं धम्मे. २ સંપૂર્ણ અંગોપાંગવાળો પાંચ ઈન્દ્રિયોથી સુંદર દેખાતો અને સારા બાંધાવાળો હોય તે રૂપવાન ગણાય છે. તેવો પુરૂષ ધર્મ પાળવામાં સમર્થ થાય છે. અખંડિત અંગવાળો પંચેન્દ્રિયથી શોભતે મનુષ્ય વિશેષતઃ ધર્મરત્નને ગ્ય થાય છે. પહેલા સંધયણુ વાળેજ ધર્મ પામી શકે એ અર્થ કર નહીં, કારણ કે સર્વે સંસ્થાન અને સર્વ સંહનમાં ધર્મ પામી શકાય છે. સારા બાંધાવાળો હોય તે તપ સંયમાદિક અનુષ્ઠાન કરવામાં સમર્થ રહી શકે છે એમ આ વિશેષણ આપવાને અભિપ્રાય છે; એવા પુરૂષ, તીર્થની ઉજતિનું કારણ થઈ શકે છે. નંદિષેણ અને હરિ કેશિબળ વગેરે કુરૂપવાન છતાં ધર્મ પામ્યા છે, એમ કહી રૂપવાનપણાને દેષ ન બતાવે જોઈએ, કારણ કે તેઓ પણ સંપૂર્ણ અંગોપાંગાદિકે કરી યુક્ત હોવાથી રૂપવાન જ ગણી શકાય છે અને આ વાત પણ માયિક છે; કારણ કે અન્ય ગુણેને સદ્ભાવ હોય તે પછી કુરૂપપણું હોય અથવા કોઈ બીજા અમુક ગુણનો અભાવ હોય તેથી કંઈ દોષ આવતો નથી. કહ્યું છે કે, ચોથા ભાગે ગુણહીન હોય તો મધ્યમ પાત્ર અને અધગુણહીન હોય તે અધમ પાત્ર જાણવા. શરીર મજબૂત બનાવવું કે જેથી શરીર દઢ થવાથી ધર્મની સાધના બરાબર થાય એમ છેવટને લેખક તરફથી સાાંશ સમજો. ३ त्रीजो सौम्य स्वभाव गुण. पर्यई सोम सहावो, न पावकम्म पवत्तए पायं, होइ सुहसेवाणिज्जो, पसमनिमित्तं परेसिपि. । સ્વભાવે શાન્ત સ્વભાવવાળો ઘણું કરીને પાપકર્મમાં પ્રવૃત્તિ કરતો નથી અને સુખે સેવી શકાય છે અને અન્યને પણ શાન્તિનો નિમિત્તભૂત બની શકે છે. જેને ભયાનક આકાર ન હોય તેની પાસ અન્ય મનુષ્ય જઈ શકે છે. તે મનુષ્ય દેધ પામશે એમ અન્યોના મનમાં વિચાર આવતો નથી, For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy