SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૦૩ ગંભીર ગુણ ધારણ કરવાથી થતા ફાયદા ગંભીર ગુણ ધારણ કરવાથી પિતાના આત્માને અને અન્યના આત્માને શાન્તિમાં રાખી શકાય છે. ગંભીરતાથી મનુષ્ય પોતાના આત્માને ઉચ્ચ દશા તરફ ખેંચે છે અને દોષોને ઢાંકી ગુણ ગ્રહવા સમર્થ થાય છે. ગભીર પુરૂષ, અન્ય મનુષ્યોને વિશ્વાસ મેળવી શકે છે અને તે અન્ય મનુષ્યોનાં હૃદય જેવા સમર્થ થાય છે, દરેક ધર્મમાં સદગુણે અને દોષ કયા કયા અંશે છે તે જોઈ શકે છે, પણ તે ગંભીર હોવાને લીધે કોઈને અપ્રિય થઈ પડતા નથી. ગંભીર મનુષ્ય હારે વાતને મનમાં રાખી શકે છે અને તે કોઈના દે પ્રકાશ નથી; તેથી તે સર્વત્ર માનનીય થઈ પડે છે. ક્રોધાદિ દોષોની મન્દતાના લીધે ગંભીર મનુષ્ય હૃદયની શુદ્ધિ કરે છે અને તેથી તે યોગ્ય શબ્દને વિચાર કરી બેસે છે. ગમે તેવા પ્રસંગમાં પણ કાઈનાં તે છિદ્ધ ઉધાડતા નથી તેથી તે સર્વને મિત્ર બની શકે છે. ગંભીરતાના પ્રતાપથી વૈરીયો પણુ ગુણો ગાવા માંડે છે અને તેથી તે પિતાનું અને પરનું ભલું કરવા સમર્થ થાય છે. ગંભીરતાના પ્રતાપે વૈરીના પણ દેષ બોલતો નથી ત્યારે તે સાધુસન્તાના છતા અગર અછતા દેષોને તો કેમ બોલી શકે ? અર્થાત બોલે જ નહીં. મનુષ્ય પિતાના ગંભીર ગુણથી હૃદયને ધર્મગ્ય બનાવે છે. ગંભીર મનુષ્યના હૃદયમાં જ ધર્મ ઠરી શકે છે. માટે સર્વ ગુણોમાં પ્રથમ નંબરવાળા ગંભીરગુણને મનુષ્યોએ ધારણ કરવો જોઈએ. જ્યારે ગંભીર ગુણ વિના શ્રાવપણું હોઈ શકતું નથી, ત્યારે ગંભીર ગુણ વિના સાધુપણું તો કયાંથી હાઈ શકે ? અર્થાત ન હોઈ શકે. ગંભીર ગુણવંત સાગરની ઉપમાને ધારણ કરે છે; સાગરના મધ્ય ભાગમાં શું રહ્યું છે તે ઉપરથી જોતાં માલુમ પડે નહીં, તેમ ગંભીર પુરૂષના હૃદયમાં શું રહ્યું છે તેની અન્ય સામાન્ય મનુષ્યને ખબર પડતી નથી. ગંભીર પુરૂષનું હૃદય વિશાળ હોય છે તેથી તે જે સાંભળે છે તે હૃદયરૂપ સમુદ્રના તળીએ મૂકે છે; તે કારણ વિના અને લાભ વિના કઈ વાતને એકદમ કહેતો નથી તેથી તે સંસાર વ્યવહારમાં પણ શ્રેષ્ઠ ગણાય છે અને ધર્મ રન માટે પણ યોગ્ય ગણાય છે. ગંભીર પુરૂષના હદયને કઈ કળી શકતું નથી. જગતમાં ઉચ્ચ પદવી પર તે આવે છે અને તે મનની શાન્તદશા રાખી શકે છે, માટે ધર્મરનના અર્થીઓએ ગંભીર ગુણને અવશ્ય ધારણ કરવો– For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy