SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણાનુરાગ ૨૪૧ નથી. અર્થાત્ તે પણ સામા સાધુઓની ક્રિયા, આચાર, તેમના દેષ પ્રકાશવા તેમના પક્ષના ભકતેની આગળ કમરકસીને ઉદ્યમ કરે છે. સામાસામી ખંડનમંડન છપાવવામાં આવે છે. શ્રાવકો પણ સામાસામી ખંડનમંડન કરે છે. સાધુઓને પક્ષ પકડે છે. મહારું તે સારું કરવા મંડી જાય છે. વ્યાખ્યાનમાં પણ ગમે તે રીતે નિંદા કરાય છે. પછાત્રા સાધુઓ કહે છે કે છવાળા તે બીલકુલ ભ્રષ્ટાચારી છે, સ્ત્રી સંગી છે, અમુકની સાથે અમુક રીતે વર્તતા હતા. ત્યારે પણ છવાહા હવે ત પછાત્રાની નિંદા કરવા બાકી રાખતા નથી. અમુક સાધુની કોઈ સ્તુતિ કરે તો સામે નિંદક દૂધમાંથી પિરાની પેઠે એક બે દોષ કાઢવાને જ. અમુક સાધુની કોઈ વિદત્તા વખાણે તો સામ સાધુ તેનું ખંડન કરવાનો. અમુક સાધુ પરોપકારાર્થે પુસ્તક બનાવે તો સામા પક્ષવાળા નિંદા કર્યા વિના રહે નહિ, પિતાના રાગી વા પિતાના ગ૭ના શ્રાવકો કરવા સારૂ રાત્રી દીવસ શ્રાવકોને મીઠાં વચન કહે અને કોઈ અન્ય ગચ્છી સાધુ પાસે આવે તો તેના સામું પણ જોવાય નહિ, એક શેરીનું કૂતરૂ જેમ અન્ય શેરીના કૂતરાને મળે અને તેની અવસ્થા થાય, તેવી અવસ્થા થાય. આમ ઘણા લોકો ગળોની હાલના કાળમાં દશા વર્ણવે છે. જે આમાંને કેટલોક ભાગ ખરે હોય તે ખરેખર ગુણનુરાગને દેશવટો અપાય છે એમ સમજી લેવું. સાધુઓના ગાની આવી દશા દેખીને કેટલોક ન પંથ કાઢે, અને સાધુઓના કુસંપને લાભ લઈ તેવા પથે ચાલી શકે, અને જેને સનાતન સંઘના ધર્મો નાશ પામે તેમાં ગચ્છના આચાર્યો તથા સાધુઓને દેષ છે. સંપ્રતિકાળમાં પ્રાયઃ ગુણાનુરાગને બદલે દેશદષ્ટિ વધી પડી છે. શ્રાવકોમાં પણ તેવી દશા પ્રાયઃ દેખવામાં આવે છે, નવા પથ કાઢનારાઓ પણ ફક્ત જૂનાને નિંદે છે, સાધુ અને સાધ્વીઓને નિંદે છે, અને આડુંઅવળું સમજાવે છે; પણ ગુણનુરાગની દૃષ્ટિ વિશેષતઃ દેખવામાં આવતી નથી. નવા પથવાળાઓ સનાતન પંથવાળાઓનું દરેક કૃત્ય મૂળમાંથી ખોદી કાઢવા પ્રયત્ન કરે છે, એટલું જ નહિ; પણ નવા પથના રાગથી અનેક પાખંડ કરી મત વધારવા ધારે છે, સાધુઓએ તથા શ્રાવકોએ પરસ્પરના ગચ્છના વિદ્વાન સાધુઓ પર ગુણાનુરાગ ધારણ કરવો જોઈએ. પરગચ્છના વિદ્વાનની કોઈની આગળ નિંદા કરવી નહિ, તેઓ બુરૂ કરે તોપણ તેઓના છતા વા અછતા દેને પ્રકાશ કરે નહીં. પરગચ્છની સાથે પણ વિશાળ દષ્ટિ રાખી ભાતભાવ ધારણ કરે, પિતાના ગચ્છના વિદ્વાન સાધુઓની પણ કદી પ્રાણુત નિંદા કરવી નહિ. શ્રાવકોએ પણ ભિન્ન ભિન્ન ગ૭વાળાઓ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy