SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ ગુણાનુરાગ ગુણા જોવા, ગુણા લેવા અને દાષા તરફ્ લક્ષ્ય આપવું નહિ. ગુણાનુરાગ કદી મૂકવા નહિ. એજ આ કાળમાં તરવાના પ્રથમાવસ્થામાં મુખ્ય ઉપાય છે. આ કાળમાં જે ગુણાનુરાગી હેાય તેને પણ ધન્યવાદ ધટે છે, કારણ કે ગુણાનુરાગી પુરૂષોને હાલમાં પ્રાયઃવિરહ દેખાય છે, ગુણાનુરાગમાં પણુ કંઇ નથી એમ કેટલાક કહી તેના મતિ પ્રમાણે અર્થ કરી વિરૂદ્ધ વિચારમાં આશય ખેંચી જાય છે. પરના ગુણુને સાંભળતાંજ કેટલાકને તેા ઉલટી આવ્યા જેવું થાય છે. દુ:ખમ કાળમાં ગુણુાનુરાગ પ્રાપ્ત થયા તા અલ્પકાળમાં મુક્તિ મળશે એમ સમજવું. ક્રિયારૂચિની આગળ જ્ઞાનરૂચિની પ્રશંસા કરીએ તા ક્રિયારૂચિ કંઈ પણ નિંદા કર્યા વિના રહેશે નહિ, મનમાં પણ ખખડયા કરશે. તેમજ જ્ઞાનવાદીની આગળ ક્રિયારૂત્રિનું વર્ણન કરીશું તે તેવુંજ બનવાનું. ધર્મના જૂના વિચાર ધારણ કરતા હશે તેની આગળ પણ સુધારાવાળા હીન લાગશે. દોષ મૂકીને ગુણુ લેવા વા ખેલવેા દુર્લભ જણાશે. હાલમાં તા અલ્પ પણુ ધર્મગુણુનું બહુ માન કરવાની આવશ્યકતા છે. કારણુ કે અલ્પ પણ ધર્મગુણુ ધારણ કરનારા વિરલા છે. સર્વ ગુણુ વીતરાગમાં છે, માટે જેટલા ગુણુ તેટલા લેવા. દોષને જોવા નહિ, તેમ ખેલવા પણુ નહિ. કત્તા કહે છે કે-સ્વ કે પરગચ્છના સાધુઓની નિદા કરવી નહિ. जडं परगच्छि सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणा; तेसिं गुणाणुरायं मा मुंचमु मच्छर पहओ. ॥ ૩૬ ॥ ભાવાથ હૈ આત્મન! પારકા કે પોતાના ગચ્છમાં જે વિગ્ન અને વિદ્વાન મુનિરાજો હાય, તેના પર મત્સરથી હણુાએલા એવા તું ગુણાનુરાગ છેાડીશ નહિ. પ્રાયઃ કેટલાક પોતાના ગચ્છને વખાણે છે, અને પરગચ્છના વિદ્વાન્ વા મૂર્ખ સર્વ સાધુઓના છતા વા અછતા ઢાખો ખેલતા મંડી જાય છે. કેટલીક વખત તેા ઇર્ષ્યાથી કેટલાક વિદ્વાન સાધુએ જાણી તેને અન્ય વિદ્વાન કે જે અન્ય ગચ્છના વા સંધાડાના હાય, વા પેાતાનાથી ભિન્ન વિચારવાળા હાય તેનું મૂળમાંથી ખાદી કાઢવા માટે અનેક જાતનાં આળ ચઢાવે છે. ગમે તે રીતે પણ હેને શ્રાવકાની આગળ હલકા પાડવા ચુકતા નથી; શાસ્ત્રના પાઠ પણ યુક્તિથી આડા ધરીને સામા સાધુઓને હલકા પાડવા શ્રાવકાની આગળ આડું અવળું સમજાવી ઉશ્કેરણી કરાવે છે. ત્યારે અન્ય ગચ્છના કે જેની સામાચારી ભિન્ન છે તેમ પણ તેઓથી ઉતરતા For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy