SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ વચનામૃત. ધર્મની પ્રશંસા તે દરેક ધર્મવાળાઓ કરે છે અને પ્રત્યેક ધર્મવાળાઓ પોતપોતાના ધર્મને સત્ય કહે છે પણ સત્યને અપેક્ષાએ સમજ્યાવિના પ્રત્યેક ધર્મવાળાઓ ભૂલ કરે છે. જૈન ધર્મશાસન અપેક્ષાએ સર્વ વસ્તુઓના ધર્મને ગ્રહણ કરે છે માટે સર્વદા સર્વથા જેનશાસન સર્વ ધર્મોના સત્યાંશને ગ્રહણ કરે છે તેથી તે મહાન ધર્મ કહેવાય છે. ૩. કોઇના ધર્મની નિન્દા કરવા માત્રથી પોતાના ધર્મનો ઉદય થતો નથી. અન્ય ધર્મ પાળનારાઓ ઉપર ઠેષ ન પ્રગટવો જોઈએ. કિન્તુ કરૂણુંભાવ પ્રગટવો જોઇએ. જેનધર્મની ઉન્નતિ કરવી હોય તો જૈન ધર્મનાં તોનો પ્રસાર કરે, જેનતત્ત્વો જગતને સમજાવો અને સર્વ જીવોને શુદ્ધપ્રેમથી ધર્મનું સ્વરૂપ સમજાવો પણ કોઈના ઉપર દેષ કરો નહિ. અન્ય ધર્મ પાળનારાના ઠેકાણે તમે પણ કોઈ વખત હતા પણ તેઓનું બુરું ન ચિંતવતાં અન્યનું ભલું કરવા પ્રયત્ન કરો. આખી દુનિયામાં કયો ધર્મ વિશેષ ફેલાય અને તે શાથી તો તેના ઉત્તરમાં કહેવું પડશે કે જેનામાં સત્ય, દયા અને શુદ્ધપ્રેમ હશે તે ધર્મ જગતમાં ફેલાશે. વિશાલ દષ્ટિથી ધર્મનો ફેલાવો થાય છે અને સંકુચિત દષ્ટિથી ધર્મને વાડ વાળી શકાય છે. ૫. મધ્યસ્થ દષ્ટિથી જગતના સર્વ ધર્મોનાં તો વિચારો અને પક્ષપાત ત્યાગીને જે જે ધર્મમાં જે જે અંશે સત્ય રહ્યું હોય તેને સ્વીકાર કરો. સમજવાથી સત્ય ધર્મ પ્રાપ્ત થાય છે. રાગ અને દેશની મલીન દષ્ટિથી સત્યધર્મનું રહસ્ય સમજી શકાતું નથી. ૬. સત્યતત્ત્વ સમજવાને માટે જ્ઞાનિયાની સંગતિ કરો-સત્યની સિદ્ધિ અને અસત્યને જુદું પાડવાની શકિત પ્રાપ્ત કરે. સ્યાદાદ ધર્મનું સ્વરૂપ ગુરૂગમપૂર્વક સમજવામાં આવે તો સત્ય હાથમાં આવશે અને પક્ષપાતદષ્ટિનો નાશ થશે. પૂર્વકાળમાં જેન ધર્મ જગતમાં સર્વત્ર ફેલાયો હતો તેનું કારણ આજ હતું. જેને ધર્મનું સ્વરૂપ જે નયોની અપેક્ષાઓ પરિપૂર્ણ સમજાય છે તે દુનિયાના સર્વ ધર્મોનું સ્વરૂપ સમજી શકાય છે. ૮. ધર્મને ફેલાવો કરનારા સાધુઓ છે. સાધુઓ પણ વિદ્વાન હોવા જોઈએ. તેમની ભકિત કરવી જોઈએ. સાધુઓ તત્ત્વજ્ઞાનના માર્ગમાં પ્રવેશ કરશે અને જગતના કલ્યાણ માટે સર્વ મનુષ્યોને પિતાના આ ત્મસમાન ગણું બધ આપશે ત્યારે જૈન ધર્મનો ઉદય થશે. ૮. પોતાને ધર્મ સારો છે એમ તો પ્રત્યેક મનુષ્ય કહે છે. પણ પિતાના For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy