SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. અનાવ્યા છે એવા મહાજ્ઞાની શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય પણુ ચૈત્યની પૂજા કરનાર સાધુને નિષેધે છે. દાખલા તેમનું રચેલું સ્તવન. चैत्य पूजा करत संयत, देव भोइ कह्यो, शुभ मने मार्ग नाशि, महा निशिथे लह्यो. देव. ८ જુએ તે પણ આજ મહાનિશીથના સૂત્રના દાખલેો આપે છે. શ્રી ચાવિજયજી ઉપાધ્યાય તપાગચ્છીય હતા. પ્રતિમાને માનનારા હતા. તેથી સમજવું કે-ગુરૂગમપૂર્વક જે તે સૂત્રના અર્થ ધારવામાં આવે તે ભૂલ થાય નહિં. મહાનિશીથમાં ઉપર પ્રમાણે વર્ણવેલાં અસંયતિ હિતો પ્રતિમાની પૂજા વિગેરે કરતા હતા તેને નિષેધ કર્યો છે. ખૂબ વિચારી જોજો, સૂત્રના અર્થે ધણા ગંભીર છે. મે પક્ષકારાએ પરસ્પર રાગદ્વેષની ચર્ચામાં ઉતરવું નહિ. મધ્યસ્થ દષ્ટિથી તથા મધ્યસ્થ લખાણુથી શકા સમાધાન કરવા પ્રયત્ન કરવા. સત્ય જાણીને પણ દૃષ્ટિરાગથી અસત્ય કહેવું નહીં. ટીકાકારા અને ચૂીંકારા એવા મહાજ્ઞાની આચાર્ય તથા દશવૈકાલિક સૂત્રના રચતાર એવા નાની મહા આચાર્યં તે હાલના સાધુએ કરતાં મહાજ્ઞાની હતા. ભવભીરૂ હતા. મહા સમર્થ હતા. તેઓનાં વચનેા આપણે દૃષ્ટિરાગમાં તણાઇને માનીએ નહિ તે તેમાં આપણી મતિને દોષ છે. અહે। દષ્ટિરાગનું રાજ્ય સર્વત્ર પ્રસરાયું છે. કહ્યું છે કે ૉગ. कामरागस्नेहरागा, विषत्करनिवारणौ; दृष्टिरागस्तु पापीयान दुरुच्छेदः सतामपि १ કામરાગ અને સ્નેહરાગ તેા ઘેાડાથી નિવારણ થાય છે અને પાપી એવા ષ્ટિરાગ તે સતપુરૂષોને દુ:ખે કરી ઉચ્છેદૃવા લાયક છે. સમભાવ રાખા, શાંત થાઓ, સત્યને સત્ય સમજો. આપણું કલ્યાણુ આપણી પાસે છે. વીતરાગ એવા તીર્થંકરે રાગ દ્વેષથી રહિત થવા ઉપદેશ આપ્યા છે. તેા તેજ રાગદ્વેષ વીતરાગના ભક્તામાંજ વાસ કરે ત્યારે આપણું ક્યાંથી હિત થાય ? કહ્યું છે કે— राग द्वेष के त्याग बिन, मुक्तिको पद नाहि; कोटी कोटी जप तप करे, सवे अकारज थाई. ભાવાર્થ:—રાગદ્વેષના ત્યાગ થયા વિના મુક્તિપદ નથી. કરાડે નામે વાર ક્રિયા કરવામાં આવે, જપ કરવામાં આવે અને તપ કરવામાં આવે For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy