SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) થવાથી જેનત રસમજવાં ઘણું સાયન્સ વિદ્યાની પેઠે દુર્લભ થવાથી કેટલાક વેદધમી બ્રાહ્મણોએ સ્થળ દષ્ટિથી સમજાય એવો દેશકાલાનુસાર સર્વને તતત કાલમાં રૂચે તેવો બંધ બેસતો ઉપદેશ દેઈ પિતાના ધર્મમાં ખેંચી લીધા. ઉદેપુરના રાણું વગેરે હાલપણ કેશરીયાજીને માને છે અને દર્શન કરે છે. મુખ્યત્વે વણિકકોમ હાલ જૈનધર્મ પાળનારી ગણાય છે. કેઈ વખત આ પણ આવી જાય છે. પારસીઓએ જેમ હિંદુસ્થાનમાં આવી મુસલમાનથી બચી પિતાના ધર્મનું રક્ષણ કરી હયાતી ભેગવી, તેમ ક્ષત્રિય વંશજોએ પણ જૈનધર્મ પાળવા માટે તે વર્ગથી જુદા પડી વસ્તુપાલ તેજપાલની પેઠે પ્રધાન પદવી વગેરેથી તથા વ્યાપાર વગેરેથી આજીવિકા ચલાવી જૈનોતરીકે હયાતી રાખી, અને વેદધર્મીઓની સાથે જૈનાચાર્યોએ શાસ્ત્રાર્થ કરી અનેક ધર્મનાં પુસ્તકે બનાવી જૈનધર્મની સત્યતા બતાવી. પ્રાય: ઘણું ખરી દરેક પ્રકારની જાતવાળા વણિકો થોડાં સૈકા પૂર્વે જૈનધર્મ પાળતા હતા. પણ પાછળથી વલ્લભાચાર્ય, દક્ષિણમાં માધવાચાર્ય, રામાનુજાચાર્ય વગેરેના વખતમાં કેટલાક વણિકે વેદધર્મ બની ગયા. હાલમાં ચાલીસ લાખ વૈsણ ગણાય છે. તેઓના પૂર્વજો ઘણે ભાગે જેને હતા. એમ ઐતિહાસિક દૃષ્ટિથી જોતાં જણાય છે. પ્રશ્ન–જ્યારે આપણુ ધર્મની અને જેનોની આવી દશા થઈ ત્યારે હવે આપણે શું કરવું જોઈએ અને આપણે ધર્મ પાછા વધારવા આપણે કેવા ઉપાયો લેવા જોઈએ? ઉત્તર–જૈનધર્મનાં શાસ્ત્રોનો અંતઃકરણથી અભ્યાસ કરવો જોઈએ, જૈનધર્મને ઉપદેશ ફેલાવનાર વિદ્વાન જૈનેને ભાષણે આપવા મદત કરવી જોઈએ. જૈન ગુરૂકુળ સ્થાપવાં જોઈએ. પરસ્પરને મદત કરવી જોઈએ; કાયિક, વાચિક અને માનસિક શક્તિ ખીલવવી જોઈએ. જૈનધર્મની ઉન્નતિ વિના અન્ય કુમાર્ગમાં લક્ષ્મીને ધુમાડે નહિ કરો જોઈએ, સર્વ જૈનેને પોતાના કુટુંબી ગણું તેઓની ભક્તિ કરવી જોઈએ. મડદાલપણું ત્યાગી બહાદૂર બનવું જોઈએ, વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. ગુરૂઓની ભક્તિ કરવી જોઈએ તન-મન-ધન અને સત્તાથી જૈનધર્મનો ફેલાવો કર જોઈએ. અન્યધમ એકને જૈનધર્મી બનાવતાં તીર્થયાત્રા જેટલું ફળ થાય છે. તેમ સમજી જૈનેની સંખ્યા વધારવા યથાશક્તિ ખરા અંત:કરણથી પ્રવૃત્તિ કરવી જોઈએ. સદાચાર સેવા જોઈએ. મંત્રોગ For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy