SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) દેવું, શુરવીરપણું, વગેરે ગુણે ક્ષત્રિયકુળમાં વિશેષ હોય છે તેથી તેવા ઉત્તમ કુળમાં પુણ્યાનુબંધિ પુણ્યગે તીર્થંકરે જન્મે છે. ક્ષત્રિયકુળ(હાલમાં કહેવાતા સૂર્યવંશી ચંદ્રવંશી રજપુતોના કુળ)માં તીર્થકરે જન્મે છે તેથી તો સ્વયમેવ સિદ્ધ થાય છે કે જૈનધર્મ-રાજધર્મ છે. કારણ કે તે ધર્મના પ્રવર્તકે રાજા હતા. અને તેમના વંશજો પણ રાજાએ છે. વગેરે પણ કાળગે રાજાએ વેદધમાં કેટલાક સૈકાથી બનતા ગયા. પ્રશ્ન જ્યારે પૂર્વ ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી. ત્યારે હાલ કેમ પ્રાયઃ ઘણું ભાગે વણિકકોમ જૈનધર્મ પાળે છે? - ઉત્તર-દારૂપાન, માંસ અને વ્યભિચાર આદિ દુર્ગણધારક વામમાગ દેવીભક્તો વધતા ગયા તેમ તેમ અા રાજાઓને તેવાના પાપમય ઉપદેશે ફાવતા આવવાથી આદિ અનેક કારણેથી રાજાઓના પુત્ર અન્ય ધર્મમાં દાખલ થવા લાગ્યા. તેથી જૈનધર્મીઓનું ખરાબ રાજાઓના ત્રાસથી જોર ઘટવા માંડયું તેથી ક્ષત્રિયવર્ગ કે જે શુદ્ધ જૈનધર્મ પાળનારે હતો તેને જુદે પાડી દીધો. તેથી તે મિથ્યાત્વી બનતા બચી ગયા. કહ્યું ત્યાંથી કાપી નાખવાની પેઠે ક્ષત્રિય વગેરે જાતિને તે ખરાબ ધર્મમાં દાખલ થએલાથી જુદી કરી, અને તે ક્ષત્રિયવર્ગ કે જે ક્ષત્રિય રાજાઓના વંશજો હતા તે વ્યાપાર વગેરેથી પ્રાય: વિશેષતઃ આજીવિકા ચલાવવા માંડ્યા તેથી તે વણિક કહેવાયા. આ પ્રમાણે જૈન ધર્મીઓની સંખ્યા અન્ય ધર્મીઓના જોરથી ઘટી. હાલ જે રાજાએ તથા અન્ય વણિકો વગેરે છે તેઓના વંશજો પૂર્વે જૈનધર્મ પાળતા હતા. હાલ જે જૈન વણિકતરીકે છે તે અસલ ક્ષત્રિયો છે. જૈનધર્મના આચાર્યોએ બનતી સેવા બજાવી છે. જ્યારે પરદેશીના હુમલા વગેરેથી ભારતવર્ષની જાતિ વિદ્યા પુસ્તક વગેરેના નાશથી મૂર્ખ બનવા લાગી તેમ તેમ તેઓની સ્થલે બુદ્ધિ થઈ અને તેથી તેઓને અન્ય ધર્મના આચાયોએ મોટે મોટે સ્થળ ધર્મ કે જે રામ જ્યાવિના પણ ઉપરથી બની શકે એ સ્વમતિ કલ્પનાથી બતાવી. પોતાના ભક્તો બનાવી લીધા. તેથી સનાતન જૈનધર્મીઓની સંખ્યા ઘટતી ઘટતી પ્રાયઃ ચૌદ લાખની હાલ ફરકતી ગણુય છે. પન્નરમા સૈકા લગભગમાં દક્ષિણમાં જૈનધમી રાજા હતા. તેરમા સૈકામાં કુમારપાળ જૈનરાજા થયો. ચાવડા તથા સોલંકી રાજાના વખતમાં જેનેને સહાય મળી. વલ્લભીપુરીમાં થનાર કેટલાક રાજા જૈનધર્મી હતા. સંપ્રતિ વગેરે જેનરાજાઓ હતા. પણ પાછળથી આ પ્રમાણે For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy