SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गाथा अस्थिक्क भावकालिओ - पभावणा वन्नवायमाइहिं ગુરુમત્તિનુબો ધીમું-ધરૂં ચ ટૂંપળ વિમરું ॥ ૮ ॥ ભાવાર્થ=આસ્તિક ભાવ સંયુત અને સદગુરૂની ભકિત સહિત ભાવશ્રાવક્ર પ્રભાવના અને વર્ણવાદ વગેરે વડે નિર્મલ દર્શનને ધારણ કરે છે. મેં ભાવશ્રાવકને આ પ્રમાણે દૃઢ શ્રદ્ધા હેાય છે કે જિત જિનમત અને જિનમતસ્થિત એ ત્રણને મુકીને તમામ જગત્ સંસાર વધારનાર છે. પ્રભાવના એટલે ઉન્નતિ. તન મન અને ધનની શકિત પ્રમાણે જૈનદર્શનની પ્રભાવના રાખે છે અને શકિત ન હોય તે તેના કરનારને મદત કરે છે તથા તે પ્રભાવના કરનારનું બહુ માન કરે છે. દેવગુરૂ અને ધર્મની પ્રશ ંસા કરે છે. સદ્ગુરૂની બહુ ભક્તિ કરે છે તેમજ વિનય અને બહુમાનથી દેવગુરૂની સેવા પૂજા કરે છે. પેાતાના ધર્માચાર્યની સેવામાં અર્નિશ તત્પર રહે છે. તેમની વૈયાવચ્ચમાં ખામી રાખતાનથી. ચૈત્ય બંધાવવાં, તીર્થયાત્રા, અને સાધમાં બંધુઓની ભક્તિ વગેરેમાં મસ્ત રહે છે. જૂના પુસ્તકાના ઉદ્ધાર કરે છે, નવીન પુસ્તકા લખાવે છે. સાધુ અને સાધ્વીઓને ભણવામાં સહાય કર છે. જૈન તત્ત્વાની પૂર્ણ શ્રદ્ધા રાખે છે. પાત ની અલ્પબુદ્ધિથી કાઈ બાબત ન સમજાય તે। શકા રાખતા નથી. જે જિનેન્દ્રોએ કહ્યું છે તેજ સત્ય છે એમ મનમાં દૃઢ શ્રદ્ધાનો નિશ્ચય કરે છે. મિથ્યાત્વના હેતુઓને છંડે છે અને સમકિતના હેતુઓને અંગીકાર કરે છે. સમ્યકત્વ શુદ્ધ હોય તો અવિરત છતાં પણ તીર્થકર નામ કમ બાંધે છે. સમકિત રત્ન પ્રાપ્ત થતાં સંસાર સમુદ્રની પેલી પાર ઉતરી શકાય છે. જે જીવા સમ્યકત્વ અન્તદૂત પર્યંત પશુ સ્પર્શે છે તે જીવાને અ પુદ્દગળ પરાવત કાળ જેટલે સ ંસાર બાકી રહે છે, સમ્યકત્વની પ્રાપ્તિ માટે સમકિતના સડસઠ ખેાલની સેવના કરવી. ચક્રવર્તિનું પદ પામવું સહેલું છે પણુ સમ્યકત્વની પ્રાપ્તિ ધણી દુČભ છે, સમકિતી મનુષ્ય કુતર્કવાદીઓના વિચારાથી મુંઝા નથી અષ્ટાદશ દોષ રહિત વીતરાગ સન દેવ પંચમહાવ્રતધારક તત્ત્વોપદેશક શ્રી સદ્ ગુરૂ અને શ્રી અરિહંતે કહેલા ધર્મ એ ત્રણ તત્ત્વાની ભાવ શ્રાવકે પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે, જૈન સિદ્ધાંતેનું પ્રતિદિન શ્રવણ કરી જૈન ધર્મની શ્ર દ્દાને ધારણ કરે છે. સમકિતી ભાવ શ્રાવક ગાડરીયા પ્રવાહને ત્યાગ કરે છે માટે આઠમા ગુણુ બાદ નવમા ગુણને કથે છે. For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy