SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ. ૪ vપ પ પ પ + + + + + + ક - - - - - - - વાથી ગુરૂના આત્માને દેખતાં ભૂલ ન કર, ગુરૂને સર્વથા પ્રકારે પ્રેમથી પૂજ અને તેમનું ધ્યાન ધર. ગુરૂમાં આખી દુનિયા સમાઈગઈ છે અને ગુરૂમાં તું પિતે લીન થએલ છે એમ ધ્યાન ધરી અનુભવ કર કે જેથી ભેદભાવની કલ્પના ટળી જાય. ગુરૂના મહિમાને નહિ જાણનારા પ્રતિપક્ષી નાસ્તિક લેકે ગમે તે બેલે તેના પર વિશ્વાસ મૂક નહીં, ગુરૂ કરતાં કઈ મહાન નથી એવી શ્રદ્ધા રાખ અને ગુરૂમાં પિતાના મનને, દેહને અને આત્માને સમાવી દે અને જે કંઈ કરે તે ગુરૂને સમર્પણ કર ગુરૂથી ભિન્ન પિતાને નામરૂપની અહંવૃત્તિથી ન દેખ એવી અભેદભાવનાથી ગુરૂના આત્માની સાથે તન્મયભાવને પૂર્ણ શુદ્ધ પ્રેમવડે પામીશ અને પશ્ચાત નિત્યસુખને ભતા બનીશ. જ્યાં સુધી આલંબન લેવાની દશા છે ત્યાં સુધી ઉપર પ્રમાણે વર્તીને ગુરૂની સાથે તન્મય બની નિલેષપણે સ્વાધિકારે વર્ત અને ગુરુની સાથે એક્યભાવે મસ્ત બન. આ પ્રમાણે ગુરૂને આત્માની સાથે તન્મયભાવે જીવતાં ઉપશમભાવ ક્ષપશમભાવ અને ક્ષાયિકભાવને પામીશ. અને પરમબુદ્ધ અને સિદ્ધબુદ્ધ બનીશ. એ પ્રમાણે બની સર્વ મંગલમાળાને પામે-ૐ રાષિતઃ રૂ ७५ द्रव्यक्षेत्रकालभावानुसारेणगुरूपदिष्टस्वाधिकारशुभोन्न तिकारकधर्मकर्मयोगी. દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ગુરૂએ ઉપદેશેલ સ્વાધિકારશુભધમકીને જે ચગી છે તે ગુરૂને સત્યશિષ્ય છે. ગુરૂએ વર્તમાનમાં અને ભવિષ્યમાં પિતાના અધિકાર પ્રમાણે જે શુભધર્મકર્મોવડે પ્રવર્તવાનું બતાવ્યું હોય અને તે ધર્મકર્મો પણ શુભેન્નતિકારક બતાવ્યાં હોય તે પ્રમાણે જે પ્રવર્તે છે તે ધર્મકર્મવેગી ગણાય છે. સ્વાધિકારે શુભન્નતિકારકધર્મકર્મોના ઉપદેશ ગુરૂ છે. . ભિન્નભિન્ન શિષ્યને કર્તવ્યકમને દેશ, કાલ, જાતિ, વયાદિથી ભિન્ન ભિન્ન અધિકાર છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જેનામાં શુભધર્મોન્નતિ થાય તેને તે દ્રવ્યાદિકથી ધર્મકર્મોને કરવાને ઉપદેશ આપે છે. વ્યાવહારિકશભધર્મકર્મોનો અને ધાર્મિકશુભકર્મોને ઉપદેશ દેનારા ગુરમાં ભિન્નભિન્ન અધિકારવાળા સર્વ શિષ્યો એકસરખી પૂજ્યબુદ્ધિથી શ્રદ્ધા રાખે છે. એક ગુરૂના લાખો કરોડે. શિષ્યો હોય અને તેઓ જ્ઞાતિ, વર્ણ, દેશ, કાલ, કુલ, વય, શક્તિ અને સંયોગોની સામગ્રીની ભિન્નતાએ ભિન્નભિન્ન હોય છે છતાં તેઓમાં શિષ્યધર્મો ભેદ નથી. ફક્ત કર્મભેદ ભેદ રહે છે For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy