SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ્ર ૯૭ Innannamon અન્ય કોઈ કરી શકતો નથી. ગુરૂદ્રહથી દેવગુરૂ ધર્મપરની શ્રદ્ધા ટળી જાય છે અને તેની ધર્મકરણી એળે જાય છે. ગુરૂહ કરવાના કરતાં તેમનાથી દૂર થઈ વનમાં વાસ કરી ભજન કરવું અને તેમની આશાતના ન થાય એવી રીતે વર્તવાથી આત્મકલ્યાણ થાય છે. ગુરૂહી ગુરૂની પાસે રહી ગુરૂને છેતરે છે અને ગુરૂની કીર્તિ, પ્રતિષ્ઠા, પૂજ્યતા, મહત્તાને નાશ કરવા પ્રયત્ન કરે છે અને ગુરૂની આજ્ઞાઓને લેપે છે તે કદાપિ દંભી બની ગુરૂના ભકતોની-રાગીઓની આગળ કલાયુક્તિથી પોતે સારે ગણાય એવી પ્રવૃત્તિ કરે છે પણ અંતે તે સર્વ જાણવામાં આવે છે અને તેથી તે ઉધાડે પડી જાય છે. ગુરૂહી ન બનવું એજ ગુરૂના શિષ્યનું મુખ્ય કર્તવ્ય છે. જે ગુરૂહી હોય છે તે દંભી હોય છે. તે મૂઢતાદિ દેષ વિશિષ્ઠ હોય છે. તે સ્વાર્થતા નિર્દયતા અને હૃદયશન્ય હોય છે તથા ગુરૂ શ્રદ્ધાથી ભ્રષ્ટ હોય છે. ६० अनुचितविरुद्धाचारसेवकः જે ગુરૂની પાસે ઉચિત વ્યવહારિક આચારને સાંભળે છે છતાં ગુરૂની આજ્ઞાથી ભ્રષ્ટ થઈ ગુરૂને યોગ્ય ન લાગે એવા તથા સભ્યજનને યોગ્ય ન લાગે એવા અનુચિતવિરૂદ્ધાચારને સેવનારે હોય છે તે ગુરૂના નામને લજવે છે અને સ્વયંધર્મથી ભ્રષ્ટ થાય છે માટે શિષ્ય કરવા યોગ્ય નથી. દુર્જન, ધૂર્ત, અત્યાચારી, નિર્દય, લુચ્ચા, નફટ, લેકોની સંગતિ કરનાર તથા મનુષ્ય અનુચિત વિરૂદ્ધાચારનું સેવનાર જે બને છે તે ગુરૂ કરીને કંઈ કર્તવ્ય કાર્ય કરનારે થતું નથી. જે ગુરૂની મહત્તા સમજે છે અને જે ભિલ્લની પેઠે દ્રોણાચાર્યની મૂર્તિની ઉપાસના કરવાથી ફળ પ્રાપ્ત થાય છે એમ સમજે છે, ગુરૂની આજ્ઞા વા મરજી વિરૂદ્ધ કર્મો કરતું નથી. જે લજજા વિનાને હોય છે અને નાગેટટ હોય છે તે ગુરૂને પણ પી જાય છે અને અનુચિત કર્મો કરે છે તે મનુષ્ય કદાપિ શિષ્ય બન્યા હોય તે પણ ત્યાગ કરવા ગ્ય છે. તથા શિષ્ય થવા આવ્યો હોય તે પણ ત્યાગ કરવા ગ્ય છે. ६१ गुरुप्रत्यनीका જે શિષ્ય, ગુરૂમહારાજ, તેમજ વડીલોના પ્રતિ વર રાખનાર હોય, સ્વકાર્ય સિદ્ધ ન થતાં ગુરૂજને ઉપર અનેક પ્રકારનાં કલંક મૂકી ગુર્નાદિકની For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy