SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) ન રહે એવી રીતે જીવનયાત્રાનું લગ્ન તમને પરમાત્મ સાક્ષાતકારવાળું જણાએ અને એવી પ્રવૃતિ થાઓ. દેહ અને મનને પ્રેમ વિશુદ્ધ થતાં શુદ્ધાત્મ પ્રેમ પરિણમે. પરસ્પર ભિન્ન વિરૂદ્ધ વિચાર, મતભેદને આત્મયમાં લય થાઓ, અને તેમાંથી વિચાર વિવિધતા ના તન-જીવનદધિમાં મગ્ન થઈને બ્રહ્મ-સાગરમાં ઝીલે. તમારા માર્ગમાં ગુરૂ તારક પ્રકાશકની સહાય મળે. પરસ્પરને કામાર્થે નહી પણ આત્માર્થે ચાહીને આત્મરૂપે બને જ્ઞાનદર્શન ચારીત્રમય આંતર પવિત્ર જીવનને સત્યે બાહ્ય જીવન જીવે, इत्येवंममाशिर्वादः फल दोभवतु. શ્રી કાવીઠાના ભક્ત શ્રાવકને ગુરૂશ્રીપરને પત્ર. શ્રી. ઇ. શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય નમઃ શ્રી ગુરૂભ્યોનમઃ વસ્તીશ્રી પાદરા નગરે મહાશુભસ્થાને પરમપૂજ્ય, પરમ ઉપકારી, અનેક શુદ્ધ ગુણે કરી બિરાજમાન, એક વિધ અસંજમના ટાળણહાર, દ્વિવિધ ધર્મના પ્રરૂપક, ત્રણ તત્વના જાણ, ચાર કષાયના જીતનાર, પંચમહાવૃતના પાલણહાર, છકાયના સંરક્ષક, સાતભચ નિવારક, આઠ મદના ટાળણહાર, નવવિધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિધર્મના પાળવા તથા પ્રરૂપવાવાળા, અગી આર અંગના જાણુ, બારભેદે તપસ્યાના કરણહાર, તેર કાઠીયાના નિવારક, ચૌદ ગુણ સ્થાનકના જાણ, પંદર ભેદે સિદ્ધના જાણ, સોલ કષાયના ક નોંધ. આ ગ્રંથમાં ગુરૂશ્રીએ બીજા પર લખેલા પત્રેજ લેવા જોઈએ પણ આ પત્ર ભક્ત શ્રાવકોએ ગુરૂશ્રીને લખેલ છતાં ભક્તિપૂર્ણ અને બીજાઓને અનુકરણ કરવા યોગ્ય હોવાથી દાખલ કરવા યોગ્ય ધાર્યો છે. મિ, હી. For Private And Personal Use Only
SR No.008631
Book TitlePatrasadupadesh Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy