SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. આત્મજીવનને સાથી સન્મિત્ર મેળવતાં અર્ધ જીદગી સફળ થાય છે એમ કહેવામાં ઘણું ગૂઢ રહસ્ય સમાયેલું છે. મનની આર્થિને હાળવા માટે સુમિત્ર ઉદ્યમ વૈદ્યની અને નન્દનવનની ગરજ સારે છે. આત્માની ફીણતાને નાશ કરવા માટે સુમિત્રરૂપ પુષ્ટિમાત્રાની જેટલી પ્રસંશા કરીએ તેટલી ન્યૂન છે. આત્માની શુદ્ધતા કરવા માટે સન્મિત્રરપ ઓષધની અત્યંત જરૂર છે. પવિની સ્ત્રીના કરતાં સુમિત્રથી આત્માની અનંતગુણ વિશુદ્ધિ થાય છે. આત્માને આનદમાં લયલીન કર હોય તે સન્મિત્રથી એક ક્ષણમાત્ર પણ જૂદા ન થવું જોઈએ. આ વિશ્વમાં સુમેરૂની હવા કરતાં મિત્રની ગેષ્ઠીમાં જે સુખ છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. પિતાની જીંદગીના અર્ધા ને ભાર તે સન્મિત્ર એ છ કરી દે છે. માટે મિત્રની આવશ્યકતા સંબંધી સુએ વિચાર કરે જોઈએ. મિત્ર વિના મનની શૂન્યતા. ગાય વિનાનું વાછડું, માત વિનાનું બાળક મિત્ર વિના મન જાણવું, મિત્રતણે ધર ખ્યાલ ૬૧ વિવેચન—-ગાય વિનાના વાછડાના મનની જેવી દશા વતે છે, માતા વિનાના બાળના મનમાં જેવી દશા થાય છે, તેવી દશા મિત્ર વિનાના મનની થાય છે. મિત્ર વિના સકલવિશ્વ શુન્ય સમાન મનમાં ભાસે છે. જેને મિત્ર નથી તેને હૃદય નથી–જેને ઉત્તમ ગુણિયલ મિત્ર નથીતેને સાહાયકનથી. મિત્ર વિના અખિલ વિશ્વમાં જ્યાં જાઓ ત્યાં હદયની વાત કેઈને ખુલી રીતે કથી શકાતી નથી. મિત્ર વિના હક્યને ભાર કેઈની આગળ ઉતારી શકાતા નથી. આ ઉપરથી સત્ય મિત્રની હદય મિત્રની–કેટલી આવશ્યકતા છે તે સહેજે સિદ્ધ થાય છે. પૂર્ણ સત્ય પ્રેમના સ્વાર્પણ વિના કદાપિહૃદય મિત્રની પ્રાણી કરી શકાતી નથી. હદયમિત્રના વિયોગે આત્માને ચેન પડતું નથી. ગમે તેવા આનંદપ્રદ રસીલા સગમાં પણ તેને શુષ્કતા ભાસે છે. મિત્રવિચગીનું હૃદય સંકેચાઈ જાય છે, અને તે કેઈપણ કર્તવ્યમાં ઉત્સાહી બની શકતું નથી. મિત્ર વિનાની એવી સ્થિતિ છે For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy