SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૫ હરિગીત. રજ સત્ત્વ તમ ત્રણ ગુણ થકી, શ્રી રામજી પર છે સદા; શંકર કહે હે પાર્વતી ? નથી રામને કંઈ આપદા; માનવ ચરિતથી કામિની, દીનતા દુઃખદ દેખાડી છે; ને ધીરજનમાં વિરતિ, દઢતા અચળ બેસાડી છે. માયા તથા મદ લોભ ક્રોધ, કઠીણ બહુ બળવાન છે; પણ રામની કરૂણા જીહાં, તે ભક્ત પ્રતિ નાદાન છે; નટની અનુકૂળ દૃષ્ટિ જ્યાં, ત્યાં ઈન્દ્રજાળ નકામ છે, તેમ સર્વ અવગુણ શાન્ત છે, જ્યાં રામનું સુંધામ છે. ૧૦ સાચું કહું છું પાર્વતિ? અનુભવ હું આપો આપને; સાચું ભજન શ્રી રામનું, આશ્રય વડે એ બાપને; જળ ઝાંઝવાનું નભ કુસુમ, દેખાય પણ સાચું નહી; એ રીત આ સંસારસુખ, વિલસાય પણ મિથ્યા સહી. ૧૧ श्रीसाभ्रमतीसरितास्तुति. ( ३८ ) શાર્દૂલવિક્રીડિતમ ૧ આવે છે અરવલ્લીની ગિરિથકી, પશ્ચિમમાં જાય છે, જેના સૈન્ય પ્રવાહને નિરખતાં, પાપી શુચિ થાય છે; જાણે પૂર્વ પરાત્મથી નિકળતી, વિશ્વા સરિતા અહી? એવી સાભ્રમતી સુમાતુ ચરણે, હે નમસ્કાર હો? જેવા બ્રહ્મ સુરેશના જગતની, ઉત્પત્તિને કારણે સંક૯પે બહુ ભાતિના ઘટ વિષે, ઉત્પન્ન થાતા ક્ષણે; એનું સામ્ય કરે તરંગ મધુરા, એમાં હુને પ્યાર છે; દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. ૨૦ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy