SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૯ ) મલિ છે મેં આ માનવ, જન્મ સ્વાત્મ સાધન કરવા; વિપદ વિદારી વિમળ શાન્તિમય, સુખના સાધનમાં ઠરવા. આજ્ઞા આપી છે અતિ ઉત્તમ, હજી ઉભો ભવ ભય હરવા; એજ તાતનાં વચનામૃત પી? હવે સજજ થા? જળ તરવા.૧૦ સત્ય માર્ગ પ્રતિ જાતાં કદી તે, મૂર્ખ લોક નિંદા કરશે અસહ્ય વચને હેવાં પડશે, યથેચ્છ દુષ્ટજન ઉશ્કરશે, હદય સુખ અવિનાશી અલોકિક, નશ્વર કદીએ નવ કરશે બાહ્ય સુખ અંતરધન આધન, નિજ સુખડાં ત્યાંહી કરશે.૧૧ પરસ્ત્રી માત પ્રમાણે ગણવી, બ્રહ્મચર્ય પર પ્રેમ તથા વૃદ્ધ વચનપર પ્રેમ રાખીને, શાસ્ત્ર તણી સુણું લેજ કથા; એ કર્મો આચરજે ઉચર્યા, અર્જુન પ્રતિ શ્રી કૃષ્ણ યથા; તેજ દ્વિતીય તું જાતે અર્જુન, હારીજ માતદ્વિતીય પૃથા.૧૨ શૃંગારને વૈરાગ્ય (૨) સયા. મધુભરી પંકજની કલિ ઉપર, નજર પડે મહારી જ્યાં આજ; એજ પાંખડી તીવ્ર અસિ થઈ, ઘાયલ અંગ કરે બીન કાજ; એ કુસુમની કલિકાઓને, નાશ કરૂં તે પાપી થાઉં, થઈ કલિકાઓ અરિસમ તેપણ, દષ્ટિ ભરવા અતિ હરખાઉં.૧ ભર સિંધુના મેહક તટ પર, પ્રવાલની શોભે છે ભૂમિ; નાના કાંતિ નાના રસમય, શેભિત નવલ્લીઓ ઝૂમી; મને હારી એ પ્રવાલ પંક્તિ તે, વા સમી લાગે છે અંગ; - હવે જાણ્યું કે તત્ પ્રતિ મારી, થવા દઉં નહિ વૃત્તિ ભંગ. ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy