SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) માયાયિની માયા છતાં, મરવા કદી દેતી નથી, જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. મમ માર્ગમાં જાતાં મને, સંબંધિના સંબંધ આ, વર સમા આડા પડ્યા, જાવાય નહી પથ મધ આ. પ્રિય દેશમાં જાવાની ઉર્મિ, છે છતાં હિમ્મત નથી, જાચત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૯ હા સ્વપ્ન પણ જાગત્સમુ, લાગી પડી વસમી વ્યથા, કહેવાય ના જન કાઇને, લાગે ઘણી ઘેલી કથા; સાગર સમીપે તેય જાતાં, વૃત્તિ નદી રહેતી નથી, જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૦ વર્ષો થઇ વસુધા ઉપર, મૃત્તિકા કઠિન ભીંજાઈ છે, આ વનલતા પણ સ રૂડા, રંગથી રંગાઇ છે; એવુ` છતાં મુજ હૃદય ક ઇ, ભીજાતુ રંગાતુ નથી; જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી, ૧૧ ક્યારે હવે કરશું હૃદયમાં, શાન્તિના આવાસને, ક્યારે અનુભવ પીષથી, છીપાવશુ પિપાસને તેની અરે તલભાર માલુમ, આજ સાંપડતી નથી, જાગ્રુત્ અગર આ સ્વપ્ન છે, તેની ખખર પડતી નથી. ૧૨ જેને લઇ ઉદ્યમ કરૂ, રાખું અગર મર્યાદને, પાષક થયાં તે વૈર કરૂ હું, ક્યાં જઇ ફરિયાદને; કરવા ઘટે ના ત્યાગ તેના, રાગ પણ સુન્દર નથી, જાગત્ અગર આ સ્વપ્ન છે, તેની ખખર પડતી નથી. ૧૩ નેવેથી પડતું પાણી થરથર, પવન મળથી થાય છે, તદ્ હૃદય મુજ દુ:ખથી, ડાલાયમાન જણાય છે; ઠરશે કદા નિર્વાત દીપવત્, તેની કળ પડતી નથી, જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૪ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy