SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) કઈ ઠામ ભક્તો પ્રભુ ભજે, કઈ કામ કામ કથાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૪ ત્યાગી જને ઘરબાર ત્યાગી, ડબલ ધન સંચય કરે; ઘરબારી જન સંસ્કારી કઈ, પરલોકનું ભાતું રે, વિદ્વાન વ્યર્થ લડી મરે, અભણે પ્રભુ ગુણ ગાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૫ કઈ રાય અસત ઉચારતાં, હજજાર પણ તડવત્ કરે; કઈ સુજ્ઞ જનનું સત્ય વાયક, કર્ણ પર પણ નવ ધરે, ધમી જનપર ધાડ પાપી ?, પુરૂષ પણ પૂજાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૬ માતાપિતાનાં વચનને, પુત્ર કુટિલ પાળે નહી, કઈ વૃદ્ધ કેરૂં ઈતર જન, સુત વધૂ વચન ટાળે નહીં; કઈ વિવિધ પકવાન જમે, કઈ શુષ્ક પણ ક્યાં ખાય છે? સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૭ સતી નારી સાચું ઉચરતાં, સભ્યો પ્રતિ શરમાય છે, કુલટાત્રિયા છેટું છતાં, નિજ પુરૂષના સમ ખાય છે; કઈ લોક મેટરમાં ફરે, કઈ તે તલે ચગદાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૮ વૃષ્ટિ વિના જન કૈક છપના, કાળમાં માર્યા ગયા, વૃષ્ટિ વિષે પણ કેક જન, ભીંતે તળે ઠાર્યા ગયા; વૃષ્ટિ વિષે વૃષ્ટિ વિના પણ, કેક ભસ્મ કરાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત યાં સમઝાય છે? ૯ જન એક ગોવધ સાંભળી, ચરચર દિલે દાઝી મરે, જન એકનું ગોવધ કરે, આનંદમાં દીલડું કરે, જન એકનું એ ઉભયમાં, અધત્વ ખાસ મનાય છે, સંસાર સત્ય અસત્ય ચા તે, વાત ક્યાં સમઝાય છે. ? ૧૦ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy