SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વ્યસ્ત થઈ. આર્યોના પુનઃ ઉદયરૂપ સૂર્યને ઉદય થાઓ. વિશ્વવતી સર્વ મનુષ્ય અનન્તસુખમય પ્રભુજીવનની પ્રાપ્તિ કરે. અનન્તસુખમય પ્રભુમય જીવન કરવાને સ્વાધિકાર કાર્ય કર્યા કર, કથની કરવાથી કંઈ વળવાનું નથી. હવે તો જાગ્રત થઈ કાર્યો કર્યા કર. આત્મામાં સ્વર્ગ અને આત્મામાં મુકિત છે. આત્મસ્વાતંત્ર્યને પ્રાપ્ત કરી અને સર્વ પ્રકારના દુઓનો નાશ કર. શ્રી પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કર્તવ્ય કાર્ય કર કે જેથી સર્વ પ્રકારનાં શુભ મંગલેને તું સ્વામી બની શકે. સર્વ પ્રકારના ધર્મોને સાર એ છે કે-કર્તવ્યકર્મો કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. કર્મયોગની દશા પૂર્ણ થયા પશ્ચાત્ સમતાગની છેવટે પ્રાપ્તિ થાય છે માટે ચરમદશાની પ્રાપ્તિથગ્ય કર્મો છેવટે કરવાયોગ્ય છે. કર્મયોગની પરિપકવદશા થતાં પરિપૂર્ણ સમતાગની સિદ્ધિ થાય છે. વિધવત સર્વમનુષ્ય આત્મામાં અનન્તજ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ કરે! અવતરણ-કર્મયોગગ્રન્થની સમાપ્તિ માટે ચરમમંગલપૂર્વક તે ગ્રન્થ કર્યાની સાલ વગેરેનું નિવેદન કરે છે. श्लोकाः खद्वीपाङ्कधरीयुक्त विक्रमाब्दे सिते दले।। प्रतिपज्ज्येष्ठमासे च पूर्णग्रन्थोबभूव वै ॥२७॥ ૨૭૦I ग्रन्थस्यास्य प्रपाठाच्च श्रवणाध्ययनादितः। नराः श्रीविजयानन्दं प्राप्नुवन्ति सदा ध्रुवम् ॥२७॥ मेसाणानगरे कृत्वा, मासकल्पं शुभं मुदा।। कर्मयोगः कृतो ग्रन्थो बुद्धिसागरसूरिणा ॥२७२॥ વિવેચનઃ–સંવત્ ૧૯૭૦ ના પેકમાસ સુદિ એકમે શુભ ચોઘડીયામાં કર્મગગ્રન્થ સંસ્કૃતમાં પૂર્ણ થયે. કર્મ ગ્રન્થના પાઠન વાચન, શ્રવણ અને અધ્યાપનાદિથી મનુષ્ય દ્રવ્યથી તથા ભાવથી શ્રી વિજયાનન્દને નકકી પ્રાપ્ત કરે છે. ગુજરાતમાં મેસાણામાં સં. ૧૯૭૦ ના વૈશાખમાસને એક માસકલ્પ કરીને શ્રી બુદ્ધિસાગરસૂરિએ સંસ્કૃત વાડુમય કર્મયોગ ગ્રન્થ ર. વક્તાઓ શ્રેતાઓ વિગેરે સર્વમનુષ્યને આ ગ્રન્થના સારગ્રહણથી સર્વશુભ મંગલોની પ્રાપ્તિ થાઓ! સાણંદ ગોધાવીથી જીર્ણજવરની બીમારી લાગુ પડી હતી તેથી પેથાપુરના ચોમાસામાં તથા તે પછીના વિજાપુરના ચોમાસામાં કર્મગનું વિવેચન લખાયું નહીં. સંવત્ ૧૯૭૧ ના જેઠ માસથી તે સં. ૧૯૭૩ ના માગસર સુદિ પૂર્ણિમા પર્યત કર્મવેગનું બાકીનું વિવે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy