SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- - ( ૬૫૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વિશ્વજનોને અનેક લાભ થાય છે. વ્યવહારનયને અનુસરી વર્તમાન દેશકાલાનુસારે ગ્ય કર્મ કરવાં તેમ કથવાનું કારણ એ છે કે ભૂતકાલ અને તસમયના દેશની પરિસ્થિતિ અને વર્તમાન કાલદેશની પરિસ્થિતિ બદલાયા કરે છે. ભૂતકાળના અસ્તિત્વનાં ચગ્ય કર્મોમાં અને વર્તમાન દેશકાલમાં ધાર્મિકેના અસ્તિત્વનાં કર્મોમાં કંઈક ફેરફાર હોય છે; તેથી ભૂતકાળના અસ્તિત્વના કર્મોને આગ્રહ કરીને વર્તમાન કાલમાં જે કર્મો ભાસે તેને ત્યાગ કરે નહીં, ભૂતકાલના ધાર્મિક મનુષ્યના આચારમાં વિચારોમાં અને વર્તમાનકાલીન ધાર્મિક મનુષ્યોના ધર્મના આચારમાં મૂલસાધ્ય એક હોવા છતાં નિમિત્તભેદે પરિવર્તને જ થએલાં જણાય છે માટે વિવેકદષ્ટિને અગ્રગામી કરી ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી જે કંઈ કરાય તે કરવું પરંતુ તેમાં મત કરાગ્રહ કરી સંકુચિતદષ્ટિથી કદિ પ્રવૃત્તિ કરવી નહી; સ્વતંત્ર વિચારોથી અને સ્વતંત્રાચારથી સ્વાશ્રયી બની ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે જે કંઈ કરવું ઘટે તે કરવામાં અંશમાત્ર ન્યૂનતા સેવવી ન જોઈએ. ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે દેશકાલાનુસારે યેગ્ય કર્મો કરવાં એનો અર્થ એ ન કરે કે જેથી પોતાની દૃષ્ટિમાં અધર્મીમનુષ્ય તરીકે જેઓ ભાસતા હોય તેઓને નાશ કરવા પ્રવૃત્તિ કરવી. વિશ્વમાં પરસ્પર મનુષ્ય એક બીજાને ધર્મભેદે, વિચારભેદે, આચારભેદે અધમી ગણી તેઓના નાશપૂર્વક સ્વમાન્યતાવાળા ધમમનુષ્યના અસ્તિત્વ માટે પ્રવૃત્તિ કરે તે તે રજોગુણી તમગુણ અધમ્ય પ્રવૃત્તિ ગણી શકાય. અતએ મતભેદને કદાગ્રહ ત્યાગ કરીને વિશ્વમાં ધર્મી મનુષ્યના બળે અધમ મનુષ્યો કે જેઓ હિંસક, અસત્યવાદી, અન્યાયી, અપ્રમાણિક, જડવાદી અનેક દુર્ગુણના સેવક રાક્ષસી કર્મ કરનારાઓ છે તેઓને નાશ થાય એવી રીતે એગ્ય કર્મ કરવાની જરૂર છે. રાગદ્વેષાદિ દુર્ગણોને નાશ કરવામાં જે પ્રવૃત્તિ કરે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણે ખીલવવા પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિક મનુષ્ય છે. જે જે અંશે સાવદ્યાચારો ટળે છે તે તે અંશે મનુષ્ય ધમી બને છે એમ વિશાળદષ્ટિથી વિચારીને ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે આપત્તિકાલમાં પણ અપવાદમાર્ગથી જે જે તત્તત્ સમયાનુસારે ગ્ય જણાય તેવા કર્મોથી પ્રવર્તવું જોઈએ. અનેક વ્યક્તિના સમૂહબળથી ધાર્મિકમનુષ્યનું સદા અસ્તિત્વ રહે એવા પ્રબંધ કરવા જોઈએ. અમુક ધર્મના અભિમાનમાત્રથી અન્ય ધમીઓની સાથે રક્તપ્રવાહ કરવાની જરૂર નથી. આ વિશ્વમાં આ કાલમાં પંચમહાવ્રતધારકત્યાગમુનિવરો સાધ્વીઓ વગેરે મુખ્યતાએ ધાર્મિક ગણાય છે માટે નાસ્તિકોના બળ સામે તેઓનું અસ્તિત્વ કાયમ રહે એવા ઉપાયને આદરવા જોઈએ. શ્રી કાલિકાચાયે સરસ્વતી સાધ્વીને માળવાના ગર્દલિરાજાના પાશમાંથી છોડાવવા જે ઉપાય જ્યા હતા તેઓનું મરણ કરીને વર્તમાનકાલમાં સાધુઓનું અને સાઠવીઓનું અસ્તિત્વ રહે તેઓની સંખ્યામાં વધારો થાય એવા ઉપાચેને સેવવા જોઈએ, સંપ્રતિરાજાએ ધાર્મિકોની For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy