SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org E ધર્માર્થાત માટે ખાદ્યોન્નતિની આવશ્યક્તા. ( ૬૪૩ ) આર્યદેશનું કર્મસૂત્ર છે. પ્રગતિ પ્રચારક કસૂત્રેાવડે ગૃહસ્થ મનુષ્ય જીવી શકે છે, અન્યથા સ્પર્ધાથી પતિત થતાં તેઓને અને તેઓના ધર્મના નાશ થાય છે. વિદ્યા સત્તા અને લક્ષ્મીથી હીન જંગલી પ્રજાએ જેમ પડતી સ્થિતિમાં આવી પડેલી છે તેમ જે દેશના લેાકેા વિદ્યા સત્તા અને લક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે તેની તેવી સ્થિતિ થાય છે. ધર્મીમનુષ્યાની પાસે વિદ્યા સત્તા અને લક્ષ્મી હોય છે તે તેને સદુપયેાગ થાય છે અને ઉલટા તેથી અધર્મીઓના-નાસ્તિકાના પણુ ઉદ્ધાર કરી શકાય છે. સત્વગુણી મનુષ્ય વિદ્યાસત્તા લક્ષ્મીવડે દેશની સમાજની સઘની અને વિશ્વવર્તિ સર્વ જીવાની આબાદી કરવા પ્રયત્ન કરી શકે છે. અતએવ સત્ત્વગુણી મનુષ્યએ બાહ્યોન્નતિજીવનથી સર્વ જીવાના શુભાર્થે જીવવું જોઈએ, બાહ્યપ્રગતિ અને આન્તરપ્રગતિકારક સર્વ જીવનસૂત્રાના સારી રીતે અભ્યાસ કરવા જોઇએ અને પશ્ચાત્ બન્ને પ્રકારની પ્રગતિના જીવનથી જીવવા સર્વ શુભધર્મ પ્રમ’ધાવડે યથેાચિત કર્યાં કરવાં જોઇએ. જીવવું શા માટે જોઈએ ? તેના ઉત્તર આ શ્લોકના ભાવાથી મળી શકે તેમ છે. અન્યાના દાસ બની જે દુઃખમય જીવન ગાળવું તે માટે જીવવાની જરૂર નથી. બાહ્યસત્તાધારિયા વિદ્યાધિકારિયા અને લક્ષ્મીજનાને શુલ માર્ગે દોરીને સર્વ જીવાના શ્રેય માટે જીવવું જોઇએ. માથપ્રગતિના સજીવન મંત્ર વિદ્યા લક્ષ્મી અને સત્તાની પ્રવૃત્તિ છે. જો ઉપયુક્ત મંત્રની આરાધના ન કરી તે આત્મશક્તિયેની પ્રાપ્તિ માટે સ્વતંત્ર જીવન ગાળવા માટે અધિકારી ખની શકાતું નથી એમ માહ્યધર્મવ્યવહારદૃષ્ટિથી કથાય છે. બાહ્યપ્રગતિની સ્થાયી અવસ્થા ધમેન્નિતિના વખતે બની શકે છે. અતએવ ધર્મેન્નતિ તરફ સદા ગમન કરનારી બાહ્યોન્નતિ સાધવી જોઇએ. ધર્માંન્નતિવિવૃદ્ધિ માટે સાત્વિક કમેર્યાં કરવાં જોઇએ. ભૂત વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાલમાં ધર્માંકમ પરિવત ના થયાં, થાય છે અને થશે. સર્વ શુભ શક્તિયાને દેનાર એવાં દેશકાલાનુસારે ધકર્માં કરવાં જોઇએ. દેશ કાલ વય સ્થિતિ વગેરેના પરિપૂર્ણ વિચાર કરીને સર્વ શુભ શક્તિયેા વધે એવાં ધર્માંકાં કરવાની જરૂર છે. આએ દેશકાલાનુસારે કર્યાં કરવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં તેથી તેની અનેક શક્તિયોના નાશ થયે અને અનેક શુભક્તિયાની પ્રાપ્તિ કરવાની હતી તે કરી શકયા નહીં. સર્વ શુભ શક્તિયાની વૃદ્ધિ થાય એવા વર્તમાનમાં અનુભવ કરવા જોઈએ અને પશ્ચાત્ શુભ શક્તિપ્રદાયક કર્મોને કરવાં જોઈએ, કર્યાં કરતાં કરતાં વૃદ્ધાવસ્થા થઈ જાય અને આત્માની શક્તિયે વધે નહીં તેા પશ્ચાત્ તેવાં કમેર્યાં કરવાથી કંઇપણ પ્રયોજન સિદ્ધ થતું નથી. ખદ્ધિપ્રગતિ અને આન્તરપ્રગતિને પરસ્પર દેશકાલાનુસારે શુભ સંબંધ હાય તેને ગૃહસ્થાએ ગૃહસ્થદશા હોય ત્યાંસુધી ત્યાગ કરવા નહીં. અન્તરમાં અનેક પ્રકારની બાહ્ય શુભેોન્નતિની લાલસા હોય અને તેના પરિપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી ગૃહસ્થજીવનમાં બાહ્યોન્નતિકારક કર્માંની પ્રવૃત્તિની સાથે ધકર્માં કરવાની પ્રવૃત્તિ સેવવી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy