SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 弱 પરમાત્માનું અસ્તિત્વ સમજે, ( ૧૨૩ ) પ્રકારની થઇ જાય છે-એમાં તલમાત્ર પણ શકા નથી. મોઢાના મોટા મોટા ગપાટા તે કાંઈ પ્રત્યક્ષ કૃતિ નથી. પરમેશ્વર અને તેનું નિરાકારત્વ ઇત્યાદિ અનેક વિષયો વિષે કેવળ વાદવિવાદ કર્યાં કરવા અને ગમે તેમ ખકયા કરવું તે ઠીક છે; પરંતુ એ અવતારી પરમેશ્વરે જ આ જગતના સત્ય પરમેશ્વર છે. જગત્માંનાં સર્વ રાષ્ટ્ર અને સર્વ માનવવંશે એમની પૂજા કર્યાં કરે છે. મનુષ્યના મનની ઘટના જેવી છે તેવી ને તેવી જ રહેશે ત્યાં સુધી એ અવતારી પુરુષાની પૂજા કરવાની બુદ્ધિને તેમનામાંથી લાપ થાય તેમ નથી જ. આજપર્યંત એ પુરુષો વનીય મનાય છે અને હવે પછી પણ નિરંતર એ પુરુષા એ જ પ્રમાણે વંદનીય અને વંદનીય જ મનાતા રહેશે, એમનામાં આપણા વિશ્વાસની સ્થાપના, એ જ આપણા ભાવી અભ્યુદયના આશાતંતુ છે. કાઇ પણ કાળમાં જો સત્ય સાથે આપણા સાક્ષાત્કારના સંભવ હાય, તે તે સાક્ષાત્કાર કેવળ એ જ માગે થવાના છે. અમૂત્તતત્ત્વ ગમે તેવુ' ઉચ્ચ હાય, તે પણ આ આપણી સામાન્ય દૃષ્ટિથી આપણને તે અંકતા સમાન દેખાય છે; એટલે એવી અંધુકતાની પાછળ પડવાથી આપણને સત્ય વિજયની પ્રાપ્તિ કેમ કરીને થઇ શકે વારૂ ? મારે તમને જે કાંઈ પણ કહેવાનું છે તેમાંના મુદ્દો માત્ર એટલે જ છે કે, પૂર્વે થઈ ગયેલા અનેક પ્રકારના મહાત્માની પૂજા કરવી એ ચેાગ્ય જ છે, એટલું જ નહિ પણ ભાવી મહાત્માઓને પણ પૂજ્ય માનવાની આવશ્યકતા છે-એવા મારા પ્રત્યક્ષ અનુ ભવ છે. એક માતા સમક્ષ તેના પુત્ર ગમે તે પાષાકમાં આવે તે પણ તેને તેની માતા ઓળખી ન શકે, એમ કદાપિ બની શકે તેમ છે ખરૂં કે ? અર્થાત્ જો તેને તે ઓળખી ન શકે તેા તે તેની માતા જ નથી, એમ હું દૃઢતાથી કહુ છું. એ જ પ્રમાણે સત્ય અને પરમેશ્વરનું અસ્તિત્વ, અમુક એક વિશિષ્ટ પુરુષમાં જ છે અને તે અન્યત્ર કયાંય છે જ નહિ, એમ જો તમે કહેવા માંડા, તે પછી તમે પરમેશ્વરના અસ્તિત્વને આળખતા જ નથી, એમ નિઃસ ́શય સિદ્ધ થાય છે. અને તમારી એ માન્યતાથી તમે અમુક એક પથના પ્રવર્ત્તકના શબ્દોને જ કેવળ પેતાના ચિત્તમાં ભરી રાખ્યા છે એમ પ્રત્યક્ષ દેખાઇ આવે છે; પરંતુ એ કાંઇ ખરો ધર્મ નથી. પેાતાના પૂર્વજોના ખાદાવેલા કુવામાંનું ખારૂં પાણી પીને બીજાના ખાદાવેલા કૂવામાંના નિર્મળ અને મધુર જળને ત્યાગી દેનારા મૂર્ખ પુરુષાની સ`ખ્યા આ વિશ્વમાં નિર'તર વિશેષ જ હોય છે. આજસુધીમાં ધર્મના નામથી આ જગત્માં જે અસંખ્ય અત્યાચારા થયેલા છે, તેમના ઉદ્ગમના ધર્મ પર આરેપ કરવા એ કોઇપણ પ્રકારે યોગ્ય નથી-એમ હું મારા પોતાના અનુભવના યોગે કહું છું. મને જે કાંઈ પણ થોડાઘણા અનુભવ પ્રાપ્ત થયેલા છે, તેથી મારા એવા નિશ્ચય થયા છે કે, કેઈને છળ કરવા અથવા કોઇ અબળાને ડાકિની કહીને જીવતી જ બાળી મૂકવી–એવા પ્રકારના અત્યાચારાને કોઇપણ ધર્મ પાતાની અનુમતિ આપેલી નથી. એવા અત્યાચારોમાં લેાકાની For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy