SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪૬ ) શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. ગામેગામ વિચરવાની પ્રવૃત્તિમાં જીવની વિરાધના-હિંસારૂપ પાપકમ લાગે છે; પરંતુ ગામેગામ વિચરીને ઉપદેશદાનાદિ પ્રવૃત્તિથી તેઓને મહાલાભ ઉત્પન્ન થાય છે, તેની આગળ હિંસાદિ કર્મનું અલ્પપાપ થાય છે. સંધ જમણુ કરવામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓને ઉતરવા માટે સ્થાનેા ઉપાશ્રયે અંધાવવા માટે અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. તીર્થંકરાને પણ ગામાગામ, નગાનગર વિહાર કરતાં અલ્પ કબંધ તા થાય છે. કષાય પરિણામ વિના સ્વાધિકારે ધર્મ કર્મની પ્રવૃત્તિ કરતાં અલ્પપાપ અને મહાલાભ દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવાની જરૂર પડે છે. કૂતરાને કીડા પડ્યા હોય તેને સાફ કરવા માટે ડામરને લગાડતાં અલ્પ કર્મ બંધ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ચારા વગેરે પ્રજાને સતાવનારા દુષ્ટોને સજા કરવામાં અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ રાજાએ વગેરેને પ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓ વગેરેની રક્ષામાં અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. જે જે પરોપકારાદિ સાર્વજનિક સામાજિક કાર્યાં છે તેમાં અલ્પ પાપ અને મહા લાભની દૃષ્ટિએ લેાકેાની પ્રવૃત્તિ થાય છે. આહાર પાણી વગેરેનું ગ્રહણ કરી જીવવામાં પણ અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ગુરુકુલા પાઠશાલા વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. પાંજરાપાળા વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. બ્રાહ્મણેા ક્ષત્રિ વચ્ચે અને શૂદ્રો અલ્પપાપ અને મહાલાલની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓ સ્વપરની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. સર્વ મનુષ્યને ત્યાગ કરીને વનમાં એકાંતવાસમાં જવાય તાપણુ ત્યાં આહારાદિ ગ્રહણાર્થે અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કોઇપણ ત્યાગીને પ્રવૃત્તિ કર્યાં વિના છૂટકા નથી. જૈન સાધુએ પ્રમત્તદશામાં અલ્પપાપબંધ અને મહાનિજ રાસ...વરલાભની દૃષ્ટિએ દરેક ધાર્મિક પ્રવૃત્તિયેને કરે છે તે અન્યાને સ્વસ્વાધિકાર પ્રમાણે અલ્પપાપ અને મહાલાભષ્ટિએ પ્રવૃત્તિ થાય એમાં કઇ શંકા નથી. પેાતપેાતાના વર્ણ જાતિકના અધિકાર પ્રમાણે સર્વ મનુષ્યે અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ તરતમયેાગે પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે. તેઓ સ્વની અને વિશ્વની ઉન્નતિમાં લાભ સમપી શકે છે. અલ્પપાપ અને મહાલાલની દૃષ્ટિએ શ્રી રામચંદ્રે રાવણની સાથે ધ યુદ્ધ આરંભ્યું હતું. અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કુમારપાલ રાજાએ હિંસક લેાકેાને સજા કરી ધકની પ્રવૃત્તિ કરી હતી. અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ શ્રી હેમચંદ્રે કુમારપાલ રાજાને અર્જુન્નીતિમાં કર્મપ્રવૃત્તિ કરાવવા ઉપદેશ આપ્યા હતેા. અલ્પપા અને મહાલાભની દૃષ્ટિએ વ્યાવહારિક કાર્યં તથા ધાર્મિક કાર્યાં કરવાને અનેક ગ્રન્થાનીશાસ્ત્રોની રચના થઇ છે. આ વિશ્વમાં કાઇપણ એવું માહ્ય કાર્ય નહિ હોય કે જેમાં અલ્પપાપ ન થઇ શકે. આ વિશ્વમાં જ્ઞાનપૂર્વક કચગી અલ્પ For Private And Personal Use Only 品
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy