SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = નથયિકનયપ્રસ્થની કરણી. (૫૦૩ ) કદાપિ થઈ શક્યું નથી. અતએ આત્મસાક્ષી ગ્રહીને કર્તવય પ્રવૃત્તિ વડે પ્રવૃત્ત થવું જોઈએ. आत्मसाक्षीए धर्म ज्यां, त्यां शु? अन्यनुं काम जन मन रञ्जन धर्मको, मूल न एक बदाम:-" જન મન રંજન ધર્મનું એક બદામનું પણ ભૂલ નથી. અએવ જે જે કર્તાવ્યા કરવાં તે સર્વે ખરેખર આત્મસાક્ષીએ કરવાં જોઈએ. આત્મસાક્ષીએ આવશ્યક કર્મો કરવાથી આત્માની શુદ્ધ જ્ઞાનદશાની વૃદ્ધિ અને નિર્લેપતા વધે છે. જે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટી છે--તે જે જે કર્તવ્ય કર્મો કરે છે તેમાં તેના આત્માની નિર્લેપતા માટે તેને આત્મા અનુભવ સાક્ષી પૂરે છે. એમાં અન્યની સાક્ષીઓની આવશ્યકતા નથી. કૃષ્ણ અને શ્રેણિકની આન્તરદશા કેવી હતી? તેની સાક્ષી તેઓના આત્માઓ પૂરતા હતા અને તેઓ જે દશામાં રહેલા હતા તે દશાગ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરતા હતા. શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને કથે છે કે જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મને બાળી ભમીભૂત કરી દે છે. નિશ્ચય દર ઉત્તર ધરી ની, વાહે જે થવા; પુણવંત તે પામગી, માણમુનો -ઇત્યાદિ સાક્ષીઓ ખરેખર આત્માના શુદ્ધ જ્ઞાનપૂર્વક નૈશ્ચિયક દષ્ટિને હદયમાં ધારણ કરીને આવશ્યક વ્યવહારની પુષ્ટિ કરનારી છે. આ વિશ્વમાં અનેક નાની સાપેક્ષતાએ અવલોકવાનું હોય છે, અને અનેક નાની સાપેક્ષતાએ પ્રવૃત્તિ કરવાની હોય છે; જ્યાં સુધી મહાત્મા નૈયિકનપ્રસ્થ થતું નથી, તે દઢ નિશ્ચયપૂર્વક કઈ પણ વ્યાવહારિક કાર્ય કરી શકતો નથી અને સંસાર વ્યવહારમાં નિલેપ બની શકતો નથી. નૈઋયિક નયપ્રસ્થ મનુષ્ય અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પથી મુક્ત બનીને વ્યાવહારિક કર્તવ્ય કરવામાં ભીતિ આદિ દોષથી પશ્ચાત્ પડતું નથી. નૈશ્ચયિકનપ્રસ્થ મનુષ્ય સર્વ કર્તવ્ય કર્મો કરવામાં આન્તરિક નિર્લેપતા ધારણ કરી શકે છે અને જલમાં કમલની પેઠે નિર્લેપ રહેવાને આત્માની નિર્લેપ જ્ઞાનશકિતને ખીલવી શકે છે. અતએવ વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની પૂર્વે નૈઋયિક જ્ઞાન ધારણ કરીને નૈશ્ચયિક દૃષ્ટિને ધારણ કરવાની આવશ્યકતાને અવશ્ય પ્રત્યેક મનુષ્ય સ્વીકારવી જોઈએ. નૈૠયિકનપ્રસ્થ મનુષ્ય કદાપિ શુષ્કજ્ઞાની બની શકતો નથી. જે શુષ્કજ્ઞાની બને છે તે નૈયિકનપ્રસ્થ ગણી શકાતું નથી-એમ અનુભવષ્ટિથી અનુભવવું જોઈએ. આવશ્યક વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની ફરજને જે અદા કરે છે તે નૈઋયિકનપ્રસ્થ બની શકે છે અને સર્વ બાબતમાં વ્યવહારકુશલ બની સર્વ પ્રકારની બાહ્ય તથા આન્તરિક પ્રગતિમાં આત્મભેગ આપી શકે છે. સદ્દગુરુકૃપાથી શુદ્ધજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેથી નૈૠયિકન પ્રસ્થ બની શકાય છે. જે નૈશ્ચયિકનપ્રસ્થ છે તે શુદ્ધ જ્ઞાની છે અને જે શુદ્ધ જ્ઞાની છે તે સર્વ કર્મોને બાળી ભસ્મીભૂત કરી દે છે તેથી તે આવશ્યક વ્યાવહારિક કાર્યો કરવામાં પશ્ચાત્ હઠતે નથી; તેની એવી પ્રવૃત્તિથી તે આત્મગતિ, ધર્મ પ્રગતિ, સંઘ પ્રગતિ, સાર્વજનિકહિત પ્રગતિ, દેશ પ્રગતિ, અને વિશ્વ પ્રગતિને કરી શકે છે અને કૃતકૃત્ય બને છે. જે કર્મો ભેગને સન્મુખ થએલાં હોય છે અથર્ ઉદયમાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy