SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ શક્તિ કરતાં આત્મશક્તિની બળવત્તરતા. ( ૪૮૫ ) છે, છતાં વ્યવહાર કલ્પનું ઉલ્લંઘન કરતા નથી. તેઓ વ્યવહારકલ્પ પ્રમાણે સ્વાધિકારતઃ પ્રવૃત્તિ કરતા છતાં આન્તરદષ્ટિએ કર્મની નિર્જરા કરે છે. એક કઢાર હોય તેમાં દાણા નાખવાના ઉપરથી અલ્પ હોય અને સુણાના દ્વારમાર્ગે કે ઠારમાંથી ઘણું દાણ બહાર નીકળતા હોય તો અને કેડાર-કોઠી ખાલી થાય છે. જ્ઞાનીઓ તદ્વત્ અલ્પ કમ ગ્રહણ કરે છે અને કર્તવ્ય કાર્યો કરવા છતાં અન્તરથી ઘણું કર્મોની નિર્જરા કરે છે, તેથી તેઓ અને સકલકર્મથી મુક્ત થઈને સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. આત્મજ્ઞાનીઓની આન્તરદશા એવી હોવાથી તેઓ નહિ બંધાવાના કારણે આવશ્યક કર્તવ્ય કર્મો કરવાને તેઓ યોગ્ય કરે છે પરંતુ અજ્ઞાનીઓ તે નિર્લેપ નહિ રહેવાના કારણથી, તેઓ કર્તવ્ય કર્મ કરવાની ચેગ્યતાની બહિર હોવાથી કર્તવ્ય કર્મ કરવાને અયોગ્ય ઠરે છે. જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિજા કરતા હોવાથી તેઓ વ્યાવહારિક કર્તવ્યને કરવાને અધિકારી છે. આત્મજ્ઞાનીઓને કરુ નિમણં વગણ, તા માં રવાનg મુદ્દા વવારકા સિધુ મળો ઈત્યાદિથી વ્યવહાર નય પ્રતિપાદિત વ્યાવહારિક કાર્યો કરવાને પૂર્ણ શૌર્યથી કહેવામાં આવ્યું છે તેથી આત્મજ્ઞાનીને વ્યાવહારિક કાર્યો કરતાં કર્મની નિર્જર થાય છે અને વ્યાવહારિક કર્તવ્ય ધર્મની ફરજ અદા થાય છે. તીર્થકર મહારાજાઓ કે જેઓ નૈઋયિકજ્ઞાનની પરાકાષ્ટારૂપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેઓ પણ સ્વાધિકારે કર્તવ્ય વ્યવહારકર્મવેગનું સંપૂર્ણ પરિપાલન કરે છે અને તેઓ કથે છે કે વ્યાવહારિક કર્તવ્ય કમેને ત્યાગ કરતાં તીર્થને ઉચ્છેદ થાય છે. વ્યાવહારિક કર્મવેગ પ્રવૃત્તિ વિના કઈ પણ ધર્મ-કર્તવ્ય કાર્યનું સંરક્ષણ-પોષણ થતું નથી અને ધર્મસાધકનું સંરક્ષણ થઈ શકતું નથી. વ્યાવહારિક કર્મ પ્રવૃત્તિ એ સર્વ ધર્મોની ભૂમિ છે અને તેથી તેના અભાવે કોઈ પણ ધર્મ વિશ્વમાં જીવી શકતું નથી. સર્વ કર્તવ્યોને આધાર વ્યવહાર છે તેથી આત્મજ્ઞાનીઓએ આવશ્યક પ્રગતિકારક કર્તવ્ય કર્મોને કદાપિ ત્યાગ ન કરવો જોઈએ. આત્માના શુદ્ધોપગે આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગી બનીને ગમે તે વર્ણ-જાતનાં વ્યાવહારિક કાર્યને કરતે છતે આત્મજ્ઞાની કર્મની નિર્જરા કરવાને શક્તિમાન થાય છે. જે જે કર્મોમાં અજ્ઞાની મનુષ્ય બંધાય છે તે તે કર્મોને જ્ઞાની આવશ્યક વ્યવહારદશાના સ્વાધિકાર કરતો છતો કર્મની નિર્જરા કરીને મુક્ત થાય છે. આત્માની શક્તિ વડે કમેને ગ્રહણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મો ગ્રહણ કરવાને આત્માની શક્તિ ખરેખર તેની સંમુખતાને ન ભજતી હોય તે તે તે વ્યાવહારિક કર્તવ્ય કાર્યોને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્રના અધિકાર પ્રમાણે કરતાં છતાં નવીન કર્મો બંધાતાં નથી અને જે પૂર્વે બાંધ્યાં હોય છે તેઓની નિર્જરી થાય છે. ગૃહસ્થલિંગે અનેક મનુષ્ય આત્મજ્ઞાનપૂર્વક શુદ્ધ ચારિત્રભાવને પ્રાપ્ત કરીને બાહા કર્તવ્ય કર્મનું પરિપાલન કરીને મુક્તિમાં ગયા છે. જડ કર્મોમાં એવી શક્તિ નથી કે આત્માની અશુદ્ધ પરિણતિ વિના એકદમ આત્માને ચેટી પડે. અતએવા For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy