SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૪). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. અનેક વિદ્યાઓને અભ્યાસ કરી અનુભવ મેળવી જડપદાર્થો અને આ સંબંધી ઉપગ્રહ અને અપગ્રહનો સંબંધ કેવી રીતે હોય છે તે અવધીને ઉપગ્રહદષ્ટિએ કમગી બનવું જોઈએ કે જેથી ઉપગ્રહના સ્થાને અપગ્રહ જેવું ન બને અને અન્ય જીવો પ્રતિ અપકાર કરીને નવીન પાપ ન બાંધી શકાય. કેટલાક ગૃહસ્થોએ ગુરુ પાસે જીવદયા પાળવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ એવો આવ્યો કે એક બ્રાહ્મણના મુખમાં દેડકી પેસી ગઈ તેથી પેલા દયાળ બ્રાહ્મણનું પેટ ચીરીને દેડકી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેવામાં ગુરુ આવી પહોંચ્યા અને તેણે જુલાબ આપી શરીરમાંથી અપાન માર્ગેથી દેડકી બહાર કાઢી અને બ્રાહ્મણને જીવાડશે. ગુરુએ મેટા જીવને મારવા અને ન્હાના જીવને ઉગારવામાં થતી ભૂલને સુધારવા ઉપદેશ આપ્યો. એક બ્રાહ્મણીએ જીવદયા કરવા માટે એક તરસ્યા પાડાને કુવામાં ફેંકી દીધું અને મનમાં માનવા લાગી કે બિચારૂં કુવામાં પવું પડ્યું પાણું પીધા કરશે. અન્ય લોકોના જાણવામાં તે વાત આવી અને ઉપગ્રહને સ્થાને અપગ્રહ-અપકાર થતું અટકાવ્યું. આ ઉપરથી અવધવાનું કે પરસ્પર ઉપગ્રહ અને પરસ્પર છવોમાં થતા અપકારનું ચારે બાજુએથી પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ કે જેથી આ વિશ્વશાલામાં ઉપગ્રડને સ્થાને અપકાર ન કરી શકાય અને સ્વાન્નતિ સાધક કર્મવેગી બનવામાં વિચારો અને પ્રવૃત્તિમાં ભૂલ ન થાય એવું લક્ષ્યમાં રાખીને પરસ્પરોપગ્રહ દૃષ્ટિએ આ વિશ્વશાલામાં કર્મયેગી બની આત્મોન્નતિ અને વિનતિ કરવી જોઈએ. વિધશાળામાં અનેક ધર્મ–પળે છે તે સર્વ ધર્મોને ઉદ્દેશ વસ્તુતઃ પરસ્પર એક બીજાનું શ્રેય કરવા ઉપકારસૂત્રથી સંબંધિત થવું એમ તરતમયેગે અવબોધાય છે. આ વિશ્વમાં સર્વ જી સુખને ઈચ્છે છે, પરસ્પર ઉપકાર કરવાથી જીવોને સુખના માર્ગમાં આરહી શકાય છે અને દુઃખના માર્ગોથી નિવૃત્ત કરી શકાય છે. જ્ઞાતિનું બંધારણ અને રાજયનું બંધારણ પરસ્પર ઉપગ્રહ કર્મના ઊદેશપર રચાયેલું છે. બ્રાહ્મણ-ક્ષત્રિયવો અને શદ્રના ગુણકર્મોનું બંધારણ ખરેખર gencગ્ર વીવાનામ્ એ સૂત્રના ભાવાર્થના સાધ્યબિન્દુને લક્ષી રચાયેલું છે. વિશ્વમાં મનુષ્યોને જીવવા માટે અનની જરૂર છે, અન્ન માટે બીજની જરૂર છે. બીજાનું રક્ષણ કરી બી વાવવા માટે કૃષિવલેની જરૂર છે. કૃષીવલને બ્રાહ્મણની વિદ્યા માટે જરૂર છે અને રક્ષા માટે ક્ષત્રિયની તથા સેવા માટે શુદ્રની જરૂર છે. ચાર વર્ણોને પરસ્પર ઉપગ્રહ માટે એકબીજાથી શરીરનાં અંગો અને ઉપગેની પેઠે જરૂર છે. અન્નની ઉત્પત્તિ માટે કૃષિીવની પેઠે મેઘના ઉપગ્રહની જરૂર છે. મેઘની ઉત્પત્તિ માટે સૂર્ય અને જલની જરૂર છે. જલને અન્નની જરૂર છે. અન્નની ઉત્પત્તિ માટે પૃથ્વીની જરૂર છે અને પ્રકાશની જરૂર છે. એમ એકેક જીવને પગી વસ્તુ માટે અનેક વસ્તુઓના ઉપગ્રહની જરૂર પડે છે. વિષ્ટા વગેરે પદાર્થોની ખેતી માટે જરૂર પડે તે અન્ય વસ્તુઓના ઉપગ્રહની વિશ્વમાં જરૂર પડે એમાં કઈ જાતનું આશ્ચર્ય For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy