SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વશાલાનું સ્વરૂપ સમજો. ( ૪૦૯ ). શબ્દાર્થ—ચેતન આ વિશ્વરૂપ શાલામાં સન્નતિકસાધક છે તે સદ્વિવેકપ્રદ સર્વ અનુભૂતને ગ્રહે છે. વિવેચન—આ વિશ્વશાલામાં આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવાનું શિક્ષણ રહીને મનુષ્યો પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આમન્નતિ કર્મસાધક ચેતન આ વિશ્વશાલામાં સર્વ પ્રકારના અનુભવો ગ્રહી શકે છે. વિશ્વશાળા વિના કેઈ ન્નતિકર્મસાધક બની શકતું નથી અને કેઈ સદ્વિવેકપ્રદ સર્વાનુભવને પ્રાપ્ત કરી શકતું નથી. સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના કેઈ સ્વોન્નતિકર્મસાધક બની સર્વજ્ઞ બની શકતા નથી. આ વિશ્વમાં સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થઈ શકાતું નથી. સર્વ પ્રકારના દુઃખના અને સર્વ પ્રકારના શાતાના પરિણામને ભેળવી તેને અનુભવ કરીને સંપૂર્ણ સિદ્ધરૂપ પ્રગતિમાન બની શકાય છે. આ વિશ્વશાલામાં અનેક પ્રકારના અનુભવનું શિક્ષણ મળે છે તેથી તે દૃષ્ટિએ અસાર સંસાર પણ સારભૂત અવબોધાય છે. અનેક બાબતોનો સમ્યગ નિર્ણય કરી શકાતો નથી, અને સમ્યગ નિર્ણય વિના હેય રેય અને ઉપાદેયને વિવેક પ્રાપ્ત થઈ શકતો નથી, તથા સમ્યવિવેક વિના સ્વાન્નતિકર્મસાધક આમા બની શકતો નથી. અએવ વિશ્વશાલામાં ચેતનને શિષ્યરૂપ માની સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જીવ પ્રથમ એકેન્દ્રિયાવસ્થાથી પ્રારંભી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય ગતિ પર્વત અનુભવ કરે છે. દશ દુષ્ટાને દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્માની ઉત્કાન્તિના માર્ગે સગુરૂપદેશથી વળે છે. આત્મા સ્વયં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશ્વશાલાની ઉપયોગિતાનું વાસ્તવિક સ્વરૂપ અવધી શકે છે અને નૈતિકર્મસાધક બને છે. ઉત્કાન્તિ દૃષ્ટિએ સર્વ ય હેય અને ઉપાદેયભૂત વિશ્વશાલાના પદાર્થોને અવધ કરવાથી ન્નતિકર્મસાધક થવામાં સમ્યગ્દષ્ટિ પ્રવર્તી શકે છે અને વિશ્વની નૈશ્ચયિક સ્થિતિની સાથે આત્માને વાસ્તવિક સંબંધ જેવા પ્રકારના હોય છે તે અવબોધી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિક સ્વરૂપ નહિ અવબોધનારાઓ વિશ્વના કુદરતી નિયમોને નાશ કરીને સ્વાન્નતિકર્મસાધક બનવા પ્રયત્ન કરે છે અને તેથી તેઓ અને સ્વાન્નતિથી પરાડમુખ બની વિશ્વશાલાના કુદરતી પ્રવાહુમાં તણાય છે. અતએવ પ્રત્યેક મનુષ્ય આ વિશ્વશાલાનું સ્વરૂપ અને તેની સાથે આત્માને શું સંબંધ છે ? તે પ્રગતિદ્રષ્ટિએ અનુભવો જોઈએ. વિશ્વશાલાની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ કરી અનુભવ ગ્રહ્યા વિના વિવેકદષ્ટિપૂર્વક સ્વકર્તવ્ય શું છે? તેને નિર્ણય કરી શકાતો નથી. વિશ્વશાલાના કુદરતી નિયમોના અજ્ઞ મનુષ્યોએ આ વિશ્વની ખાખાવીખી અસ્તવ્યસ્ત દશા કરવાને અનેક પ્રયત્નો કરીને અંતે હાય મારી હાથ ખંખેર્યા છે અને આત્માની વાસ્તવિક પ્રગતિથી ભ્રષ્ટ થઈ પશ્ચાત્તાપપાત્ર બન્યા છે. વિશ્વશાલાની ઉત્કાન્તિનું કુદરતરીત્યા વાસ્તવિક સ્વરૂપ ૫૨ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy