SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - બ્રિટીશ પાસેથી સારું શિખી લે. (૪૦૫) નાખી પ્રાપ્ત કરી. ગૌતમબુદ્ધને તપઃ સેવતાં દુઃખ પડ્યું તેમાંથી તેણે સ્વમતિજન્ય શાન્તિમાર્ગ શેધી કહાડે. કાશીમાં વૈદિક બ્રાહ્મણોએ તેના ઉપર વ્યભિચારનું કલંક ચઢાવ્યું તેથી તેવડે તે ઉત્તમ ચારિત્રવાન ગણ અને પ્રતિપક્ષીઓને પ્રપ બહિર ખુલ્લા થયા. દુઃખ વડે સુખનું ભાન થાય છે તેથી વિપત્તિયો સંકટ અને દુઃખવડે જેણે સત્ય સુખને માર્ગ શેડ્યો હોય છે તે પશ્ચાત્ અવનતિના માર્ગ પ્રતિ ગમન કરતું નથી. પરમહંત શ્રીકુમારપાલ રાજાને જે યુવાવસ્થામાં વિપત્તિ પડી હતી તેથી તે ઘડા અને ગુર્જર રાજ્યની ધુરા સમ્યમ્ વહન કરવાને સમર્થ થયે. કુમારપાલ રાજાએ વિપત્તિ સંકટના સમયમાં મનુષ્ય સારા કેવી રીતે થવું તેના અનેક અનુભવ પ્રાપ્ત કર્યા, તેથી તેણે ગુર્જર દેશની ઉન્નતિ કરવામાં અને ગૌર્જરીય જનેની પ્રગતિ કરવાના અનેક પ્રકારે વ્યસનરહિત શુભ માર્ગો પ્રકટ કર્યા હતા. તેણે અઢાર દેશમાં યુક્તિપ્રયુક્તિ સત્તાબળ વગેરેથી જીવદયા પળાવી હતી. કુમારપાળ રાજાનું સિદ્ધરાજના સમયમાં દેશદેશ ગમેગામ ભટકવું થયું તે શુભાર્થ થયું એમ તેમના ચારિત્ર પરથી વાચકોને સહેજે અવબોધી શકાય છે. કોલંબસ હિન્દુસ્થાનમાં આવવા નીકળ્યા હતા, પરંતુ દૈવયોગે અમેરીકામાં ગયો અને તેની તેથી સદાકાળને માટે યાદી રહી. ઈંગ્લાંડને ઈતિહાસ વાંચતાં અવબોધાશે કે અનેક સંકટ વિપત્તિ વેઠીને ઈંગ્લાંડે પોતાની પ્રગતિ કરી છે. જે ઈંગ્લાંડના ઉપર અનેક સંકટો ન પડયાં હોત તે તે પોર્ટુગાલ અને સ્પેનની પેઠે રહી શકત. કાન્સ દેશ પર દુઃખો પયાથી અને અમેરીકા પર દુ:ખ પડ્યાથી તે દુ:ખમાંથી બને દેશની સ્વતંત્રતાની સાથે પ્રગતિ થઈજાપાનમાં પ્રીતિ ઉપદેશકો આવ્યા તેથી જાપાન ચેર્યું અને અનેક મહાપુરૂષોએ જાપાનની સ્વતંત્રતા માટે આત્મગ આપે તેથી હાલ જાપાન વ્યાવહારિક પ્રગતિમાં મહારાજ્યની કક્ષામાં ગણાવા લાગ્યું છે. જે દેશ પર અનેક સંકટ પડે છે તે દેશના મનુષ્યો જાગ્રસ્ત થાય છે અને સુખના માર્ગો શોધી તે તરફ આત્મભેગપૂર્વક ગમન કરે છે. આર્યાવર્ત પર અનેક સંકટ પડયાં છે તેથી તે હવે જાગ્રતું થયું છે. દુઃખ વિના સુખના માર્ગ તરફ ગમન થતું નથી. અતએ આર્યાવર્તન ઉપર દુઃખ પડશે ત્યારે તે ખરેખર જાગ્રત્ થશે. હાલ હિંદુસ્થાનમાં જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. આર્યાવર્ત પર બ્રીટીશ સરકારનું રાજ્ય થયું છે તે હિંદુસ્થાનના શુભાળે છે. હિંદુસ્થાનરૂપ શિષ્યને બ્રીટીશરાજ્યગુરુ મળવાથી તેને યોગ્ય શિક્ષણ મળે છે. અખિલ વિશ્વરાજ્યમાં સર્વ પ્રકારે રાજ્યનૈતિક નિપુણતામાં બ્રીટીશ રાજ્ય પ્રથમ પંકિતમાં ગણાય છે તેની પાસેથી હિંદુસ્થાનને ઘણું ઘણું શિખવાનું હજી બાકી છે. બ્રીટીશ રાજ્યની સંપૂર્ણ નૈતિક નિપુણતાને જ્યારે હિન્દુસ્થાન વિનયભાવથી તેઓના ગુણ ગ્રાહી પ્રાપ્ત કરશે ત્યારે તે રાજ્યધુરા વહન કરવાને યોગ્ય થશે અન્યથા થશે નહિ. અતએ દૂર દેશની બ્રીટીશ રાજ્ય સત્તા તળે હિન્દુસ્થાન મૂકાયું છે તે સારા માટે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy