SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ મનુષ્ય છે તે કરી શકે. ( ૩૯૩ ) મનુષ્ય જે કાર્ય કરવા ધારે છે તે આત્મશ્રદ્ધાથી સિદ્ધ કરી શકે છે. મારાથી થઇ શકશેમારામાં અમુક કાર્ય કરવાની શક્તિ છે એવી આત્મશ્રદ્ધા ધારીને કર્તવ્ય કાર્યો કરવાથી આત્માની શક્તિયાના પ્રાદુર્ભાવ થાય છે અને જે જે કાર્યાં કરવાને હાથમાં લીધેલાં હોય છે તે સહેલાઈથી સિદ્ધ કરી શકાય છે. કન્યકાય કરવાની શક્તિયેાપર વિશ્વાસ ધારણ કરીને સતતાભ્યાસ મળે કાર્ય કરો, કદી નાસીપાસ થતાં પશ્ચાત્ ન હું. આત્મશક્તિયાના શ્રદ્ધાળુ મનુષ્ય કર્તવ્યકાર્યાંના રણક્ષેત્રમાં આનન્દમસ્ત ખની પ્રવૃત્તિ કરે છે, તે કદી પશ્ચાત્તાપથી દીન અનતા નથી. તે તે ફક્ત કાર્ય કરવું એજ મારી ફળ છે એવું માની આત્મશ્રદ્ધાથી કન્યકાર્યાં જે જે શીષ પર આવી પડેલાં હાય છે તે કર્યાં કરે છે. તેના પરિણામથી તે હર્ષ શાકાદિની લાગણીથી નિર્લેપ રહે છે. કાળા માથાના માનવી શું નથી કરી શકતા ? અર્થાત્ સર્વ કરી શકે છે એવી આત્મશ્રદ્ધા જેને છે તે મનુષ્ય વ્યાવહારિકરીત્યા અને ધાર્મિકરીત્યા વિશ્વમાં જીવવા અને સ્વાસ્તિત્વ પરંપરા રક્ષવા તથા પ્રવર્તાવવા સમર્થ બની શકે છે. પરમાત્મા કથે છે કે હે મનુષ્ય ! બ્રહ્માંડમાં જે છે તે તારા પિડમાં છે માટે તું આત્મશ્રદ્ધાથી જે ધારે છે તે કરી શકે તેમ છે . માટે તું કર્તવ્યાયામાં પ્રવૃત્ત થા. આગગાડી જ્યારે પ્રથમ શરૂ થઈ નહાતી ત્યારે લેાકેાને તેની ઉત્પત્તિના ખ્યાલ નહાતા. કાઇ પણ મનુષ્ય નહતુ ધારતુ કે આ કાર્ય કાઇ કરી શકશે પરન્તુ તેને ખ્યાલ કેાઈના મગજમાં આબ્યા અને હાલ વિશ્વવર્તિ મનુષ્યાને પરસ્પર એકબીજાની પાસે જવાને આગગાડીથી ઘણી સગવડ થઇ છે. સાયન્સવિદ્યા યાને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રોથી અધુના વિશ્વમાં અનેક શેાધા થઇ છે અને ભવિષ્યમાં અનેક શેાધા થશે તેનું કારણુ ખરેખર અમુક કાર્ય કરવાની સ્વાત્મામાં શક્તિ છે અને તે મારાથી થશે એવી આત્મશ્રદ્ધા જ છે. કેણુ જાણતું હતું કે જાપાન દેશ મહારાજ્યની ગણત્રીમાં આવી શકશે ? પરંતુ કર્તવ્યકાય સંબંધી આત્મશ્રદ્વાથી જેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે એવાં કાર્યાં થઈ શકે છે એમ ખરેખર યોગશાસ્ત્રોના નિદિધ્યાસનથી અનુભવમાં આવી શકે છે. ખગાલના પ્રસિદ્ધ દાક્તર જગદીશચંદ્ર બેએ વનસ્પતિમાં જીવન છે એમ સાયન્સવિદ્યાથી પ્રયાગા કરી અમેરિકાદિ દેશેાના સાયન્સ વિદ્વાનેાને પ્રયાગાદ્વારા સિદ્ધ કરી બતાવ્યું તેથી એમ અનુભવ થઈ શકે છે કે મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય જ્યાં ઇચ્છા કરે ત્યાં માર્ગ કરી શકે છે. મનુષ્યના હૃદયમાં સ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે, ફક્ત તેને કેળવીને પ્રકાશમાં લાવવાની જરૂર છે. આત્માની શક્તિયાને કેળવવાની પ્રવૃત્તિયારૂપ કાર્યોંમાં પ્રવૃત્ત થઇને તેઓને કેળવવામાં આવે છે તે તેના પ્રકાશ કરી શકાય છે. બાલ્યાવસ્થાથી મનુષ્યેાની બુદ્ધિ આદિશક્તિને અવરોધ થાય એવા વિચારે અને આચારાનુ પારતંત્ર્ય પરિહાર્ય છે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy