SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. રામમૂર્તિ સેન્ડે આત્મોત્સાહવડે લઘુ લઘુ શારીરિક શક્તિવર્ધક કાર્યોમાં વિજય પામવા લાગે. અધુના તે પિતાના હૃદય પર એક હસ્તીને ઉભા રાખે છે, તે પ્રથમ પ્રાણવાયુને ઘુંટી કુંભક કરી છાતીને પુલાવે છે અને પશ્ચાત્ પિતાની છાતી પર પાટીયું રાખે છે અને તે પર હસ્તી ચઢીને છાતી પર પગ મૂકી ઉભું રહે છે. લેહની માટી સાંકળીને તે ખંભાથી શરીરપર રાખીને પ્રાણવાયુથી છાતી ફુલાવીને તેડી નાંખે છે. તે સાંકળીને ત્રણ ચાર આંચકા મારી તોડી દે છે. રામમૂર્તિ પિતાના શરીર પર બસે મણના આશરે પત્થર વગેરેને ભાર મૂકી શકે છે. રામમૂર્તિ બ્રહ્મચર્ય પાળે છે; તેણે ચારે ખંડમાં પ્રવાસ કરીને અનેક ખેલો કરી ઘણુ ચાંદો મેળવ્યા છે. ફકત તે વનસ્પતિને આહાર કરે છે-એમ સિદ્ધપુરમાં તેણે રૂબરૂમાં કહ્યું હતું. તેણે સતતાભ્યાસ મેગે આત્માની શક્તિની વૃદ્ધિ કરી છે, તેથી તે શારીરિક શકિતના ખેલ કરવામાં એક્કો ગણાય છે. આ વિશ્વમાં જે કાર્યો કરવામાં આવે છે તેમાં પ્રથમ આત્માની મન્દશક્તિ પ્રવર્તે છે અને પશ્ચાત્ આત્માની શકિત ખરેખર તે તે કાર્યો કરતાં વૃદ્ધિ પામે છે. મન વચન અને કાયાવડે કર્તવ્ય સ્વકાર્યા કરતાં કર્તવ્ય કાર્ય કરવાની પિતાનામાં અર્જુનની પેઠે શકિત વૃદ્ધિ પામે છે. જે જે કર્તવ્ય કાર્યોને પ્રારંભ કરવામાં આવે છે તે કાર્યોની સમાપ્તિ કરવામાં ખાસ લક્ષ્ય દેવું જોઈએ. કવ્યકાર્ય કોઈપણ પ્રારંવ્યું તે સ્વાધિકારે તે સમાપ્ત કરવા માટે તત્કાર્ય પ્રવૃત્તિ આદરવી જોઈએ અને પ્રતિદિન ઉત્સાહ અને કાર્યસંયમથી કાર્ય કરવાની આત્મશકિતની વૃદ્ધિ કરવી જોઈએ. અમુક વિદ્યાથી અમુક મેટ્રીક વા બી. એ. ની પરીક્ષામાં પાસ થાય છે તો તેને આગળ વધવામાં આત્મશકિત સહાયક થાય છે અને સંપૂર્ણત્સાહથી તે વિજય પામતો કર્તવ્ય કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અગ્રણી બને છે. વસ્તુપાલ અને તેજપાલે એક બે સામાન્ય કાર્ય કરવામાં પરિપૂર્ણ કાર્ય કરી વિજ્ય મેળવ્યો તેથી તેઓને પશ્ચાતુ અન્ય કાર્યો કરવાની સરલતા થઈ અને તેઓએ આબુજી પાસે બાદશાહી લશ્કરને ખાવ્યું. આથી સહેજે અવાધાય છે કે એક કાર્ય પ્રથમ આરંભીને પૂર્ણ કરતાં અન્ય કાર્યો કરવાની શક્તિને આત્મામાં પ્રગટાવી શકાય છે. વિદ્યા પ્રાપ્ત કરવાના કાર્યમાં યુદ્ધકાર્યપ્રવૃત્તિમાં વ્યાપાર પ્રવૃત્તિમાં આદિ અનેક જાતની પ્રવૃત્તિમાં પ્રથમ જે જે પ્રવૃત્તિ આરંભી હોય તેઓને સમાપ્ત કરવાથી આત્મશક્તિ વધે છે અને તેથી અન્ય પ્રવૃત્તિયોના માર્ગો ખુલ્લાં થઈ જાય છે. લાડસ્ટનમાં પ્રથમ કાર્ય કરવાની શક્તિ અલ્પ પ્રમાણમાં હતી પરંતુ પશ્ચાત્ પ્રત્યેક કાર્યસમાપ્તિથી તેના આત્મામાં તત્ તત્ કાર્ય કરવાની અનેક શક્તિ વડે તે અલંકૃત થયે. ઈટાલીની સ્વતંત્ર રાજ્ય પ્રગતિ કરનાર મેઝીનીએ કાર્યસમામિની સ્થિરપ્રજ્ઞાવડે સ્વશિને કર્તવ્ય કાર્યની પરિસમાપ્તિ કરવામાં ઉત્તેજિત કર્યા, તેથી તેણે સ્વદેશની સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેનું જીવનચરિત વાંચવાથી અવબોધાઈ શકે છે. કેઈપણ કાર્યનો પ્રારંભ કરી તેની પરિસમાપ્તિ ન કરવામાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy