SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દઢ સંકલ્પનું અચિત્ય બળ. (૩૮૫ ) -~~-~~ -~તેની માતાએ તેને ઉપાલંભ દીધો અને કહ્યું કે આવું કાર્ય કરવું નહિ; ત્યારે તેણે કહ્યું કે-માતાજી ! તમેજ હને શીખવ્યું કે જે કાર્ય પ્રારંભવું તેને ત્યાગ કરે નહિ. તમારે એ ઉપદેશ મેં ગધેડાનું પુછ પકડીને સિદ્ધ કરી દર્શાવ્યું. ગધેડાનું પુચ્છ પકડીને તેને ધબી આવે ત્યાં સુધી પકડી રાખવાનું હતું તે કાર્ય મેં પુછ ગ્રહીને પ્રારંવ્યું હતું તેને કાર્યની સિદ્ધિ થયા વિના કેમ ત્યાગ કરી શકાય ? પુત્રના શબ્દ શ્રવણ કરી માતાએ કય્-પુત્ર ! શુભ કાર્યને પ્રારંભ કરી તેને ત્યાગ કરે તે અગ્ય ગણી શકાય. આત્માની શકિતને નાશ ન થાય, શરીરે હાનિ ન થાય, એવી રીતે પ્રાસંગિક પકારિક કાર્યો પણ કરવાં જોઈએ. ગમે તે માર્ગો ઉપાયે પિતાને હાનિ ન થાય અને દેબીના ધેડાને (રાસભને ) અવરોધી શકાય એવી રીતે તેના અવરોધકની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ; પણ હું સ્વશરીરનો નાશ થાય તે માર્ગ ગ્રહણ કર્યો માટે તું ભેળો (મૂર્ખ) છે. તેથી યુક્તિપૂર્વક ખરેખર શુભ કાર્યોને પ્રારંભવા પરંતુ અશુભ અર્થાત્ પાપ–દેષશરીરાદિ હાનિકારક પ્રવૃત્તિ તો પ્રારંભવી નહિ. પ્રવૃત્તિનો પ્રારંભ ખરેખર પિતાને અને પરને પ્રગતિકારક હોય તેને સ્વીકાર કરવો. શુભ કાર્યોને પ્રારંભ કરતી વખતે યુક્તિયોને ઉપયોગ કરો. અભયકુમાર, બીરબલ અને નંદિસૂત્રની કથાઓમાં પ્રસિદ્ધ રેહાની પેઠે શુભ કાર્યોને યુકિતવડે કરવાં જોઈએ. ઈગ્લીશ સરકારે હિંદુસ્થાનમાં રાજ્ય સ્થાપનારૂપ કાર્યને પ્રારંભ ખરેખર અનેક યુકિતયોવડે કર્યો અને અનેક બળવા પ્રસંગે વિપત્તિ સહીને રાજ્ય સ્થાપન કાર્યની સિદ્ધિ કરી આર્યાવર્તમાં શાંતિ ફેલાવી અને રાજ્યશકિતની વૃદ્ધિ કરી, તકતુ મનુષ્યોએ અનેક સુયુક્તિ વડે યેગ્ય કાર્ય પ્રારંભવું જોઈએ અને જે કાર્ય પ્રારંવ્યું હોય તે સંકલ્પની દઢતાપૂર્વક પૂર્ણ કરવું જોઈએ. દઢ સંકલ્પથી બબળ ખીલે છે અને તેથી અશક્ય કાર્યો પણ સુશક્ય થઈ શકે છે. દઢ સંકલ્પથી જે કાર્ય આરંભવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને જે થશે કે નહિ થાય એવી શંકા ધારીને આરંભવામાં આવે છે, તે કાર્યની સિદ્ધિ કહી શકાતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં સંક૯૫ની દઢતા હોય છે તો જ કાર્યસિદ્ધિ થઈ શકે છે. કાચબી પિતાનાં ઈંડાને રેતીમાં દાટે છે અને પશ્ચાતું તે જલમાં રહીને ઇંડાંમાંથી બચ્ચાં થવાને દઢ સંકલ્પ કરે છે અને તે દઢ સંકલ્પથી વર્તે છે; તેથી તે ઈડામાંથી બચ્ચાં નીકળે છે અને તેને તે જલમાં લઈ જાય છે. કાર્યની પૂર્ણતા કરવામાં દઢ સંક૯પ એ આત્મરૂપ છે. એડીસને દઢ સંકલ્પથી પ્રત્યેક શોધમાં વિજય પ્રાપ્ત કર્યો છે. શુને કાર્યને દઢ સંકલ્પ ખરેખર શુભ ફલ પ્રકટાવે છે. અને અશુભ કાર્યનો દઢ સંક૯પ ખરેખર અશુભ ફલ પ્રકટાવે છે. સંકલ્પબલમાં અપૂર્વ મહત્તા રહી છે તેને ખ્યાલ યોગશાસ્ત્રના અધ્યયનથી અવબોધાય છે. અશુભ દઢ સંકલ્પથી સ્વ અને વિશ્વનું અશુભ થાય છે અને શુભ દૃઢ સંક૯૫થી સ્વ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy