SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- - ( ૩૭૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. BE આપી સર્વ પ્રકારે ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિને કૃત્યાકૃત્ય વિવેકથી આદરવી જોઈએ અને ઉત્તમ વ્યવહારથી વિશ્વમાં પ્રવર્તે કર્તવ્ય કાર્યોને સેવવાં જોઈએ. કૃત્યાકૃત્ય વિવેક અને પ્રામાણ્યનીતિસિદ્ધ ઉત્તમ વ્યવહારને આત્મશર્મપ્રદકર્તવ્ય કાર્યમાં પ્રવર્તતાં કદાપિ નિષ્કલતાદિ પ્રાપ્ત થાય તથાપિ કર્તવ્ય કાર્ય કરતાં કદાપિ શેક ન ધારે જોઈએ. જે જે સમયે જે જે કર્તવ્ય કાર્યો કરવાના હોય તે તે સમયે તે તે કર્તવ્યકાર્યોની સિદ્ધિ ન થાય ત્યારે મનની એવી સ્થિતિ થાય છે કે તે શેકના વિચારો કરે છે અને આત્મશક્તિની અવ્યવસ્થિત દશા થઈ જાય એવી ધમાધમ કરી મૂકે છે; પરન્ત તત્સમયે કાર્ય પ્રવૃત્તિથી પ્રવર્તતાં ય મા સર મ7થતિ જે બનવા ચગ્ય હશે તે બનશે ઈત્યાદિ વિચાર કરી પ્રવૃત્તિ કરવી પરંતુ મનમાં એક ક્ષણમાત્ર શોક-અનુત્સાહ અધર્મ અને દીનતાનો વાસ થવા દે નહિ. કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક શેકનાં કારણે ઉપસ્થિત થાય એવું બને તથાપિ ચેતનજીએ ભૈર્ય સંરક્ષીને ચિંતવવું કે મા જમિતિ આવી ચિન્તાની શોકની સ્થિતિ પણ વિલય પામશે. કાર્ય કરતી વખતે ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ મનમાંથી શોકના અને અનુત્સાહના વિચારોને દૂર કરવા માટે ભિન્ન ભિન્ન આશયવાળાં વાક્યોને પ્રવેદે છે. કેટલાક મનુષ્યો તે અમુક કાર્ય કરતાં વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે કથે છે કે પ્રભુને ગમ્યું તે સ્ત્ર કેટલાક એમ કર્થ છે કે જેવી હરિની ઈચ્છા. કેટલાક જેવું કર્મમાં લખ્યું હોય છે તે પ્રમાણે બને એમ કથે છે. કેટલાક એમ કહે છે કે જેવી કુદરતની મરજી. કેટલાક એમ કથે છે. કે જે બનવાનું હોય છે તે બને છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન આશયવાળાં વાવડે મનને સમજાવી આત્માને શાન્ત કરી કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહ્યા કરે છે. ભગવદ્ગીતામાં જર્મથatવાજતે, મા કg વરાત્ર હે મનુષ્ય ! ત્વદીય અધિકાર કાર્ય કરવામાં છે પરનું કાર્યોના ફેલમાં નથી એવી માન્યતા હદયમાં ધારીને કર્મયોગી કાર્યપ્રવૃત્તિ કરે છે અને તેમાં નિષ્ફલતાને પ્રાપ્ત કરે છે તો ત્વરિત તેઓ કર્થ છે કે અમારો કર્તવ્યકમ કરવાનો અધિકાર છે, પરંતુ ફલસંબંધી કશે વિચાર વા શેક કરવાનો અધિકાર નથી; માટે ફલ થાઓ વા ન થાઓ તત્સંબંધી વિચાર કરવાની આવશ્યકતા નથી. આ પ્રમાણે તેઓ માન્યતા ધરાવીને કર્મયોગને સેવે છે. કેટલાક જ્ઞાનગીઓ ચટુ ઇન્ મવતિ ત-િ તાન જે જે થાય છે તે હિતાર્થે થાય છે. જે થાય છે તે સારાને માટે થાય છે એ પારિણમિક દૃઢ નિશ્ચય કરીને તેઓ કાર્ય પ્રવૃત્તિથી ભ્રષ્ટ થતા નથી. પશ્ચાત્ હઠતા નથી અને તેમજ શેક અનુત્સાહ ઉદ્વેગને સેવતા નથી. જ્ઞાનગી ચાદર્થ તર્મવિષ્યતિ જે થવા એગ્ય હશે તે થશે, તેને શેક કરવાની જરૂર નથી; માત્ર સ્વફરજને અદા કરવી જોઈએ એજ નિશ્ચયતઃ જે સદા કર્તવ્યપ્રવૃત્તિ રણક્ષેત્રમાં મહાધની પેઠે નિર્ભયી થઈ ઘમ્યા કરે છે તેને જીવન અને મરણમાં સમાનભાવ વર્તે છે. કર્તવ્ય કાર્યને વિવેક For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy