SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરજ બજાવવામાં મુંઝાવું શા માટે ? ( ૨૯૧) રાણીએ વિપત્તિની કહાણું કહીને તેને ઘણું સમજાવ્યું, છતાં પ્રતાપરાએ પિતાની ટેક ન છેડી અને સ્વપ્રવૃત્તિમાં મુંઝા નહિ; તેથી અને ભામાશા જૈનની કરડે રૂપૈયાની મદદ મળી; તેના બળે તેણે પુનઃ સ્વરાજ્ય પાછું મેળવ્યું અને સુખી થઈ વિશ્વમાં અમર થયે. પરોપકારાદિ સત્કાર્ય પ્રવૃત્તિમાં જે જે સમયે મુંઝાવાને પ્રસંગ આવે તે તે સમયે ધર્માત્માઓના ચરિતોનું સ્મરણ કરવું તથા આત્માના શુદ્ધસ્વરૂપનું સ્મરણ કરી શાતાશાતાદિથી સ્વાત્માને ભિન્ન એવા આત્માને વિચાર. નામરૂપથી ભિન્ન એવા આત્માની વાસ્તવિક સ્થિતિને વિચાર કરે અને સત્કાર્ય પ્રવૃત્તિ સાથે સંબંધ વિચારો તથા બાહ્યશુભાશુભભાવથી રહિત થઈ સત્યવૃત્તિ કરવી. સત્કાર્યપ્રવૃત્તિમાં અમેહરૂપ આત્માને ચિંતવી પ્રવૃત્ત થવું અને દુઃખે વિપત્તિ ટીકાઓ વ્યાધિ અને ઉપાધિ આવી પડતાં આત્માના શુદ્ધોપગે વિચારવું કે સભૂત પ્રવૃત્તિ અને ઔપચારિક સમ્પ્રવૃત્તિ કરવી એ મારી ફરજ છે; તેમાં મારે મુંઝાવાને અધિકાર નથી. નામ અને શરીરાદિરૂપના પરપોટાઓ ખરેખર કર્મરૂપ મહાસાગરમાં થયા કરે છે તેવા અનંતનામરૂપના પરપોટા થયા અને વિપશ્યા તેમાં નામરૂપ પરપોટાવાળી વૃત્તિ એ બેમાંથી આત્મા ભિન્ન છે તે શા માટે જે જે ફરજ બજાવાય છે તેમાં મુંજાવું જોઈએ? અવન્તીસુકુમાલ મશાનમાં ઉજ્જયિનીની બહાર ધ્યાનમાં ઉભા રહ્યા. પ્રથમ પ્રહરે એક શગાલી પિતાનાં શિશુઓ સાથે આવી અને અવન્તીસુકુમાલના પગ કરડવા લાગી. અવન્તી સુકુમાલે વિચાર કર્યો કે મેં સંક૯૫પૂર્વક આ સ્થિતિને અંગીકાર કરી છે તે સ્વાધિકારોગ્ય સસ્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થવું એ કોઈ રીતે યોગ્ય નથી એ દ્રઢ નિશ્ચય કરીને તેણે નામ અને શરીરરૂપાદિથી પિતાના આત્માને ભિન્ન ધ્યાયે. આગમ-શાસ્ત્રો તે સર્વે ભણે છે વાંચે છે; પરન્તુ જ્યારે એ જ્ઞાનને આચારમાં મૂકવાનો વખત આવે છે ત્યારે જે નથી મુંઝાતે અને આત્માને તે રૂપે પરિણુમાવે છે તેજ આત્મજ્ઞાની અવબોધ. અવન્તી સુકમાલે આત્માના શુદ્ધ ધર્મમાં ઉપગ દીધે અને આત્માથી બિલકલ દેવને ભિન્ન નિર્ધા. તેઓ દેહાધ્યાસથી મુક્ત થઈને સમતાભાવે શરીરદ્વારા થતાં દુ:ખ સહન કરવા લાગ્યા. શરીરમાં એક સમય પેશી જાય છે તે તે ખમાતી નથી તે પગમાંથી નસો કાઢીને શગાલી અને તેનાં બચ્ચાં ખાય તે વખતે તે સર્વ દુઃખ સહન કરવાની સાથે આત્માને ધર્મધ્યાનમાં સ્થિર કરે એ કેટલું બધું મુશ્કેલ કાર્ય છે તે એક પ્રસંગ પ્રાપ્ત થયા વિના સમજાઈ શકાય નહિં. બીજા પ્રહરે અવન્તીસુકુમાલના શરીરને ઉપરને ભાગ શગાલી ખાવા લાગી તો પણ તેઓ સમભાવે રહ્યા અને પિતાના આત્માને શરીરથી ભિન્ન માની સમભાવે દુઃખ સહવા લાગ્યા; ચરમપ્રહરે તેમણે શુભભાવે શરીરને ત્યાગ કર્યો અને પ્રથમ દેવલોકમાં નલિનીગુભવિમાનમાં દેવ થયા. અહો ધન્ય છે અવન્તી સુકુમાલના જ્ઞાનાનુભવને કે જે વડે તેણે આવી સ્થિતિમાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy