SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- - = = - - ધર્મે કર્તવ્યો ક્યા કહેવાય ? ( ૨૮૩ ) ~ ~*~ ~ અનેક દષ્ટાન્તથી દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી લાભાલાભકાર્યપ્રવૃત્તિને નિશ્ચય કરવો જોઈએ. સ્વાર્થબુદ્ધિ અને મોજશોખની બુદ્ધિને ત્યાગ કરીને સ્વજીવન અને પરજીવનની ઉપયોગિતા અવબોધીને પરસ્પરોપગ્રહદષ્ટિએ કર્તવ્યકાર્યનો લાભાલાભ વિચારીને કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. રાવણરાજાએ કામાન્ય બની સીતાને પાછી ન આપવામાં મોટી ભૂલ કરી અને તેથી તેણે એક પિતાનો તો નહિ પરંતુ સ્વદેશ સ્વકુલ અને સ્વજનનો નાશ કર્યો. જે તેણે દેશકાલાનુસારે લાભાલાભનો વિચાર કર્યો હોત અને સ્વાન્યસુખસાધક કાર્ય ખરેખર મારાથી થાય છે કે નહિ તેને વિચાર કર્યો હોત તો તે સીતાને પાછી આપવામાં પાછી પાની કરત નહિ. તેણે કામ અને પશ્ચાત્ માનના વશ થઈ સ્વમુલને નાશ કરાવ્યો. સુજ્ઞ મનુષ્ય પ્રત્યે કાર્ય કરતાં દેશકાલાનુસારે તે તે લાભ અને અલાભને કઈ કઈ સ્થિતિએ કરનાર છે? તથા સ્વાન્યને સુખસાધક છે કે નહિ? તેને વિચાર કરી કર જોઈએ. દેશકાલાનુસારે લાભાલાભપ્રદકાર્યને વિવેક કરીને શ્રીકૃષ્ણની સલાહને માન આપી જો દુર્યોધને પાંડવોને પાંચ ગામ આપ્યાં હોત તે મહાભારતનું યુદ્ધ થાત નહિ અને દેશનો તથા રાજ્યસંપત્તિને નાશ થાત નહિ. પાંડવોને પાંચ ગામ આપવામાં દુર્યોધનને લાભ હત; પરંતુ લાભાલાભ વિવેકદ્રષ્ટિથી તેણે અહંકારાધીન થઈ નિશ્ચય કર્યો નહિ તેથી આર્યાવર્તની પડતી પ્રારંભાઈ વર્તમાન દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવાનુસારે લાભાલાભને વિચાર કરીને કર્તવ્યધર્મે કર્મો કરવાની જરૂર છે. વર્તમાનની અસર ભવિષ્યપર થાય છે. દેશકાલાનસારે સ્વપરસુખસાધકલાભપ્રદ કતવ્યધર્યોકાર્યો કરવામાં આવશે તે જ તેનું ફલ ભવિષ્યમાં ઉત્તમ આવશે. ભૂતકાળના સર્વ વિચારે અને આચારે માત્ર સારા એટલું કથી–માનીને વર્તમાનની ઉન્નતિના વિચારે પ્રમાણે આચારમાં પ્રવર્તવામાં ન આવે તે વર્તમાનકાલ કોઈ વખત ભૂત થતાં અને ભવિષ્ય કઈ વખત વર્તમાનરૂ૫ થતાં પશ્ચાત્તાપનો પાર રહેશે નહિ. અતઃ દેશકાલાનુસારે ધમ્મકાર્યને કરવામાં અંશમાત્ર પણ પાછા હઠવું ન જોઈએ. કર્તવ્યકાર્ય માટે ભૂતકાળની વાત મૂકી દઈને વર્તમાનમાં જે કરવા યોગ્ય છે તે પર લક્ષ્ય રાખી અને તે પ્રમાણે પ્રવતીને ભવિષ્ય સુધારવું એજ વ્યવહારથી અને નિશ્ચયથી વ્યાવહારિક ધાર્મિક ધમ્ય કર્તવ્યો તથા વ્યાવહારિક કર્તવ્યકાર્યો કરવામાં શુભાશુભત્વની કલ્પનાથી રહિત થઈ આત્માને આત્મરૂપ દેખી અને બાહ્યને બાહ્યરૂપ દેખી નિર્લેપ અને અપ્રમત્ત દશાએ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. મન વાણી અને કાયાદિની જે જે શક્તિ પ્રાપ્ત થઈ છે તે તે સર્વ શક્તિ વ્યષ્ટિ અને સમષ્ટિને ઉદય કરવા માટેજ છે એવું અવધીને સદા સાવધાન થઈ અપ્રમત્તપણે દેશકલાનુસારતઃ સ્વાધિકારે કાર્યો કરવા જોઈએ. સ્વયેગ્ય સ્વાધિકારે દેશકાલાનુસારે સદેષ વા નિર્દોષ કર્તવ્યકાર્યો કરવાં તે ધર્યકર્તવ્યકાર્યો અવબેધવાં. મહાભારત અને ભગવદ્ગીતા વગેરેમાં ધણ્યકાર્યો કરવા સંબંધી ઉપદેશ છે; તેમાંથી સમ્યગૃષ્ટિએ દેશકાલાનુસારે કર્તવ્યકાર્યોને કરવાને સાર ગ્રહણ કરવાની જરૂર છે. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy