SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir સવિકલ્પ સમાધિ વિના નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થતી નથી. ( ૨૧૫ ) શુભગ સમાધિને સાલંબન યોગ કહે છે અને શુદ્ધ પગ સમાધિને નિરાલંબન યોગ કહે છે. છાયાનું દર્પણના અભાવે મુખવિશ્રાતિ સમાન નિરાલંબન એગ છે. દેવગુરુધર્મનું પ્રશસ્તરાગાદિભાવે જેમાં આલંબન હોવા છતાં તેના અભાવે ફક્ત શુદ્ધોપયોગ વડે સમાધિની પ્રાપ્તિ થાય છે, તેને નિરાલંબન યોગ કહે છે. યોrfશ્ચત્તવૃત્તિનિરોધ: ચિત્ત-રાગદ્વેષાત્મકવૃત્તિના નિરોધરૂપ યોગને પણ નિર્વિકલ્પ સમાધિમાં સમાવેશ થાય છે. અર્થાત તેને વાસ્તવિક વાચ્યાર્થ ભાવે છે તે નિર્વિકલ્પ સમાધિમાં ઘટે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી નિરાલંબન નિર્વિકલ્પ સમાધિનો પ્રારંભ થાય છે અને તેની કંઈક ઝાંખીનો પ્રમત્તગુણસ્થાનકમાં અનુભવ પ્રાયઃ પ્રગટે છે. સવિકલ્પક સમાધિ કરતાં નિર્વિકલ્પક સમાધિ તો અનંતગુણી ઉત્તમ છે. પદસ્થ પિંડસ્થ ધ્યાન દ્વારા નિર્વિકલ્પક રૂપાતીત નિર્વિક૯૫ સમાધિમાં પ્રવેશ થાય છે. વેદાંતની અપેક્ષાએ સવિકલ્પક અને નિર્વિકલ્પ સમાધિની જૂદી રીતે વ્યાખ્યા કરવામાં આવે છે. કેટલાક સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એ બે ભેદમાં સમાધિનું સ્વરૂપ દર્શાવે છે. ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું જ્ઞાન જ્યાંસુધી રહે છે ત્યાંસુધી સંપ્રજ્ઞાત સમાધિ છે. એ બે પ્રકારની સમાધિનો પણ સ્યાદ્વાદ શૈલીએ સાલંબન અને નિરાલંબન સમાધિમાં સમાવેશ કરવામાં આવે છે. આત્મજ્ઞાનને જ્યાં નાશ થાય એવી સમાધિને વીતરાગ સર્વરૂદેવે સ્વીકારી નથી. ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતા જ્યાં પરઆલંબને થાય છે તે પરાલંબન સમાધિ અવબોધવી અને આત્મગુણામાં ધ્યાતા દયેય અને ધ્યાનની એકતા થાય છે તે નિરાલંબન સમાધિયોગ જાણો. સાલંબન સવિકલ્પ સમાધિના ધ્યેય ભેદે અનેક ભેદ પડે છે. આ કાળમાં નિવિકપ સમાધિની ઝાંખીને સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિવડે અનુભવ આવે છે–એવો કિંચિત્ એ દશાની રમણતા કરતાં અનુભવ આવે છે. સવિકલ્પ સમાધિની પ્રાપ્તિ પશ્ચાતુ નિવિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. જે લોકો સવિક૯૫ક સમાધિની પ્રાપ્તિ કરી શક્યા નથી તે લોકો નિર્વિકલપક સમાધિની કેવી રીતે પ્રાપ્તિ કરી શકે વારૂ ? જે કે ઔદયિક ભાવમાં કેઈ અપેક્ષાએ શુદ્ધપગ સમાધિને અંતર્ભાવ થાય છે. તથાપિ તે ખરેખર ઉપશમાદિ નિવિકલ્પક શુદ્ધોપયોગ સમાધિમાં નિમિત્તકારણરૂપે પરિણમવાથી તેની આવશ્યકતા સિદ્ધ કરે છે. શુભપગ સમાધિ છે તેજ શુદ્ધ રૂપે પરિણામ પામીને શુદ્ધોપયોગ સમાધિરૂપે પ્રસિદ્ધિને પામે છે. શુભ રાગદ્વેષરૂપ વિકલ્પ છે તેજ ગુરુની કૃપાથી ટળે છે. અને પશ્ચાતું આત્મસંબંધી શુદ્ધોપગ રહેવાથી શુદ્ધોપયોગ સમાધિ તરીકે પ્રકટ ભાવને પામે છે. શબ્દાદિ આલંબન દ્વાર સવિકતાપૂર્વક જ્ઞાનીને ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતાએ નિર્વિકલ્પ સમાધિ પ્રકટે છે. દ્રવ્યાનુયેગની શૈલીએ અને જેનની અધ્યાત્મશલીએ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિની વ્યાખ્યામાં યત્કિંચિત્ ભેદ પડે છે પરંતુ તે અપેક્ષાપૂર્વક હોવાથી તે ભેદ વિધભાવને ભજતો નથી; દ્રવ્યાનુયોગની શૈલીપૂર્વક શુભયોગ અને શુદ્ધોપયોગરૂપ સમાધિનું સ્વરૂપ For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy