SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાનની મહત્તા અને ઉપયોગિતા. ( ૧૮૧ ) કરી શકે છે. આત્માએ આ વિશ્વમાં આત્યંતરિક જીવનને કેવી રીતે ગાળવું અને ઉત્કાતિમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવી તેને અધ્યાત્મજ્ઞાન નિર્ણય કરે છે અને સ્વની વાસ્તવિક સ્થિતિ પ્રબંધાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવી શકે છે. આર્યાવર્તમાં ચૈતન્યવાદ છતાં જડવાદીઓની પેઠે વિષયવાસનાઓના વશમાં થઈને આર્યાવર્તના મનુષ્યોએ પિતાની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિ પર કુહાડો માર્યો છે અને તેથી અવનતિરૂપ કટુકફલનો આસ્વાદ કરે છે; અતએ આર્યાવર્તમાં ચિત્તશુદ્ધિ કરનાર અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાથી ગૃહસ્થમનુષ્યોના જીવનમાં ઉતા અને શુદ્ધતા પ્રકટે છે અને તેઓને પશુઓ પંખીઓ માને અને ભૂતે પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ વધતો જાય છે. અધ્યાત્મજ્ઞાનથી રાજકીય વ્યવસ્થાઓના પ્રબંધમાં સર્વ જીવોનું હિત થાય એવી દષ્ટિને અગ્રસ્થાન મળવાથી સ્વર્ગીયરાજ્યક૫પ્રવૃત્તિ કરી શકાય છે. પ્રત્યેક મનુષ્ય વસ્તુતઃ પિતાને ઓળખે અને આમેન્નતિમાર્ગ પ્રતિ પ્રયાણપૂર્વક આત્માની સાથે પરમાત્માને રાખી શકે એવો પ્રસંગ આણનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. કર્મકાંડની પ્રવૃત્તિયોમાં જે ક અશુદ્ધતા હોય છે તેને શુદ્ધ કરનાર અધ્યાત્મજ્ઞાન છે. અએવ આર્યાવર્તાદિ સર્વ દેશોમાં અધ્યાત્મજ્ઞાનનો પ્રચાર કરવાની જરૂર છે. પાશ્ચાત્યદેશીય જનો રજોગુણ અને તમોગુણ પ્રવૃત્તિમાર્ગમાં વહીને ફક્ત બાહ્યોન્નતિમાં આસક્ત રહી અન્ય દેશીય જનની સાથે યુદ્ધાદિપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા કરે છે પરંતુ તેઓ જે અધ્યાત્મક શાસ્ત્રોને અભ્યાસ કરે અને અધ્યાત્મ તત્ત્વવેત્તાઓના સમાગમમાં આવે તે તેઓ અન્યજીવોના હિત કલ્યાણથી અવિરુદ્ધ એવી બાહ્યકાર્યપ્રવૃત્તિને મોટા ભાગે સેવી શકે અને તેથી તેઓની બાહ્યોન્નતિની સમાનતા સંરક્ષાઈ રહે. સ્થલબુદ્ધિવાળા અને વિષયમગ્ન બાલજી આધ્યાત્મિક તત્ત્વનું મહત્વ ન અવધી શકતા હોવાથી તેઓને બાહ્યસ્થલમતનું કંઈ દર્શાવવામાં આવેલું મહત્વ ઉપયોગી થઈ શકતું નથી. બાહ્યસ્થલ દષ્ટિએ જે વિચારો અને મતે બંધાય છે તે આન્તરદષ્ટિથી અવલોકતાં ભિન્નસ્વરૂપવાળા હોય છે. અતએ આધ્યાત્મિક દ્રષ્ટિથી તેઓ આત્માદિ વસ્તુઓના અનુભવગમ્ય સ્વરૂપને અવબોધી શકે છે; તેથી તેઓ આન્તરની સાથે બાહ્યના અવલોકનારા હોવાથી પદાર્થવિવેકમાં પ્રમત્તબુદ્ધિવાળા થતા નથી. અધ્યાત્મજ્ઞાનવડે સાધુઓ અને ગૃહસ્થ બાહ્ય વિષયોના સંબંધમાં આન્તરથી ભિન્ન રહે છે. અધ્યાત્મ જ્ઞાનની મહત્તા તેની ઉપયોગિતા આવશ્યકતા અને અધ્યાત્મજ્ઞાનદષ્ટિસહ વ્યવહાર અને ધર્મના કર્તવ્ય કરતાં થતી જતી નિર્લેપતાને અન્તરમાં અનુભવ કરવામાં આવશે તે આ વિશ્વની સ્વર્ગીયદશા કરવાની પ્રત્યેક મનુષ્ય તરફથી પ્રવૃત્તિ થશે અને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા સાર્વજનિક શાન્તિના ઉચ્ચ ઉપાયોની વ્યવસ્થા ચિરસ્થાયી થશે. અધ્યાત્મજ્ઞાનથી હદયની ઉરચતા થાય છે અને તેથી બાહાવતનમાં સુધારાવધારે થાય છે. આત્મા પોતાની ઉન્નતિના માર્ગે પ્રવહ્યા કરે છે અને પ્રવહન કરતાં રાગદ્વેષના તાબે વક્રમાગે ગમન કરતે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy