SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. 5 માટે ઉપાયા સુઝી આવે છે. વ્યવસ્થિત પ્રખાધવાળા મનુષ્ય વર્તમાનમાં અને ભવિષ્યમાં શુભ કાર્યોં કરવાને સદા પ્રવૃત્ત થાય છે. વ્યવસ્થિત પ્રખેાધ એ કર્તવ્યપ્રવૃત્તિના ઉત્તમ મત્ર છે. અવ્યવસ્થિત મેધવાળા લાખા મનુષ્યા કરતાં વ્યવસ્થિત મેધવાળા પાંચ મનુષ્યા ઉત્તમ છે; કારણ કે વ્યવસ્થિત મેધવાળા પાંચ મનુષ્ય જે જે કર્તવ્યકાર્યાને કરે છે તેના સરખુ લાખા મનુષ્યા કાર્ય કરવાને શક્તિમાન્ થતા નથી; અવ્યવસ્થાવાળી બુદ્ધિ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ એ એથી કદાપિ કર્તવ્યકા-રક્ષેત્રમાં ઘુમી શકાતું નથી અને રિપૂર્ણ કર્તવ્યજીવનની સલતા કરી શકાતી નથી. કન્યકાર્ય ક્ષેત્રમાં વ્યવસ્થિત પ્રબોધની જેટલી આવશ્યકતા છે તેટલી અન્ય કોઇની નથી. કન્યકાર્યાં જે જે કરવા ધા હાય અને જે જે કાર્યો હાથમાં લીધાં હાય અથવા હસ્તમાં લેવાનાં હાય તેની વ્યવસ્થાના બાધ કરવા જોઈએ. તે તે કર્તવ્યકાર્યાંની વ્યવસ્થામાં ખામી છે કે નહિ તેને એકાન્તમાં સ્થિરબુદ્ધિથી વિચાર કરવા જોઇએ અને જે જે ખામીઓ હોય તેને દૂર કરવી જોઇએ. વ્યવસ્થિત પ્રોાધથી કર્તવ્યકાની પરિસ્થિતિમાં ઘણા પ્રકાશ પડે છે. ઇંગ્લાંડ જાપાન જર્મન અને અમેરિકા વગેરે રાજ્યની જે જે સુવ્યવસ્થાઓ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં દેખવામાં આવે છે તેનું કારણ વ્યવસ્થિત પ્રબોધ છે. વ્યવસ્થિત પ્રાધ પર વ્યવસ્થાબંધ કાર્યો કરવાની પ્રવૃત્તિને આધાર રહેલા છે. જનના પ્રધાન બિસ્માર્ક અને ઈંગ્લાંડના પ્રધાન ગ્લાડસ્ટનમાં વ્યાવહારિક વ્યવસ્થિત પ્રાધશક્તિ હતી તેથી તે રાજ્યવ્યવસ્થા આદિ અનેક સુવ્યવસ્થાઓ કરવાને શક્તિમાન થયા હતા. જાપાનના પ્રધાન કે જે ત્યાંના મેકેાડા રાજાના પ્રધાન હતા તેમાં વ્યવસ્થિત પ્રમાધશક્તિ હતી તેથી તે જાપાનની પ્રગતિમાં સાહાય્યકારક બન્યા હતા. પાટલીપુર રાજ્યના મંત્રી રાક્ષસની વ્યવસ્થાબુદ્ધિ કરતાં ચાણાક્ય પ્રધાનના રાજ્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબોધ વિશેષ હતેા એમ તેની કર્તવ્યપ્રવૃત્તિની વ્યવસ્થાથી અવગત થઈ શકે છે. ધાર્મિક કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રખેાધની અત્યંત જરૂર પડે છે, ધર્મના સર્વ અંગોની સુવ્યવસ્થા કરીને તેની પ્રગતિ કરવી એ સંબંધી વિચારે તરફ્ લક્ષ્ય આપતાં અવબાધાય છે કે વ્યવસ્થિત પ્રખેાધ વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પાણીના પરપોટાની પેઠે આ વિશ્વમાં પ્રવતેલા કેટલાક ધર્મોની દશા થઇ તેનું કારણ એ છે કે તે તે ધર્મના ઉત્પાદકામાં પ્રવર્તકામાં વ્યવસ્થિત પ્રબાધની ન્યૂનતા હતી. ધાર્મિક વ્યવસ્થિત પ્રબોધ વિના ધર્મના સર્વાંગાની પરિપૂર્ણ વ્યવસ્થા કરી શકાતી નથી. અમુક ધર્મ આ વિશ્વમાં સદા પ્રવર્તે અને વિશ્વવ્યાપક થાય તેને આધાર ધાર્મિક વ્યવસ્થિત પ્રોાધ પર છે; સંપ્રતિ વિશ્વમાં જે જે ધર્માં સ્વાસ્તિત્વસ’રક્ષી રહ્યા છે અને કરાડા મનુષ્યા ધર્મને પાળે છે તેને આધાર તે તે ધર્મના પ્રવર્તકાના વ્યવસ્થિત પ્રોધ પર રહેલા છે. ધર્મના પ્રચાર થાય અને ધર્મપ્રચારકેા અમુક સુવ્યવસ્થાથી વ્યવસ્થિત થઇને ધર્મનાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy