SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસક્તિથી કાણે કાણે શુ' ગુમાવ્યું...? ( ૧૫૧ ) છે તેનું સાધ્યબિંદુ વિસ્મરીને ઈલ્કાબ પદવી વગેરેને સાધ્યબિન્દુ તરીકે કલ્પી આસકત ન થવુ જોઇએ. સામાજિક ધર્મકાર્યને અનાસક્તભાવે કરવાથી વિશ્વ મનુષ્યા તરફથી માન ન મળે તે પણ સ્વકાર્યપ્રવૃત્તિમાંથી પતિત થવાનેા અને પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ પ્રાપ્ત થતા નથી. અનાસકત મનુષ્યો આવશ્યક કર્તવ્ય જે જે દ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ ાય છે તેઆને વિસ્મરી જતા નથી અને કવ્યસાધ્ય માર્ગથી ભ્રષ્ટ થઇને અન્ય માર્ગે ગમન કરી શકતા નથી. શિવાજીને દેશાદ્વાર કન્યકર્મ કરવાનું હતું તેથી તેની સામગ્રીઓદ્વારા તે કાર્ય માં પ્રવૃત્ત થયો પરન્તુ અન્ય રૂપવતી સ્ત્રીઓમાં તે આસકત થયે નહિ તેથી તે સ્વકાર્યની સિદ્ધિમાં વિજય પામ્યો. અલાઉદૃીન વગેરે બાદશાહેાએ પરસ્ત્રીમાં આસકિત ધારણ કરી તેથી તેઓ સ્વકાર્યમાં આગળ વધી શક્યા નહિ અને સ્વવંશની ચિરસ્થાયિતાના પાયો મજબૂત કરી શક્યા નહિ. પૃથુરાજ ચાહાણના પ્રધાનપુત્ર રાજ્યનિષ્ઠાથી ભ્રષ્ટ થઇને શાહબુદ્દીનની લાલચમાં ફસાયો તેથી હિંદુઓનુ રાજ્ય સદાને માટે પરદેશીઓના હસ્તમાં ગયું તેમાં ખાસ આતિભાવજ કારણીભૂત હતા. ચાંપાનેરના રાજાને પરસ્ત્રી પર આસિત થઈ તેથી તે રાજ્યકન્યકાર્યપ્રવૃત્તિના પ્રામાણ્યથી ભ્રષ્ટ થયો અને તેનુ રાજ્ય નષ્ટ થયુ. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રી પર આસિત ધારણ કરી તેથી તેણે સદાને માટે ગુર્જરભૂમિને પરવશ કરી. શુભ આકિત અને અશુભ આસકિતને જાણવાથી પ્રથમ તે અશુભ આસકિતને દૂર કરી શકાય છે. ન્યાયપૂર્વક જે જે પદાર્થીની ધર્માદાનિમિત્ત આસિત ધારણ કરવી પડે છે તેને શુભાસિકત કહેવામાં આવે છે. શુભકષાયોપૂર્વક બાહ્ય પદાર્થની વાંછાને શુભાસક્તિ કહેવામાં આવે છે. વ્યકાર્યમાં જ્ઞાનીએ શુભાસક્તિ કરતાં સ્વજને વિશેષ મહત્ત્વ આપે છે; કારણ કે ફરજ માનીને અનાસિકતથી કાર્યાં કરતાં કષાયાની મન્નતા રહે છે અને ઉચ્ચ ધર્મમાર્ગોમાં ગમન કરતાં પ્રથમ ગૃહીત કાર્યામાં બંધાવાનું થતું નથી તેમજ સર્વ કાર્યાં કરતાં છતાં સર્વેથી ન્યારાપણાના નિસ્સંગભાવ અનુભવી શકાય છે. જે છે તે સર્વ સુખ ખરેખર આત્મામાં છે. તે વિના અન્ય કશું કઈ મારૂં જડ વસ્તુઓમાં નથી. અન્ય આત્માના પ્રસંગમાં આવીને મારે વ્યવહારમાર્ગે જે ફરજો બજાવવાની છે તે ખજાવવી પડે છે. જે કંઇ કરાય છે તે ફરજના લીધે જે કંઇ કરૂં છું તે ફરજોને લઇ કરૂ છું. મારી ફરજથી વિશેષ કંઇ કરી શકાતુ નથી તેમાં માન અને અપમાનની લાગણીને સેવવાની કઇ જરૂર નથી. “ કન્યકા૫ વા ફરજના આધીન થઈ અનાસકતભાવે મારે કન્યકા કરવાનાં એમાં અનાસકતભાવે જે જે અંશે પ્રવૃત્તિ થાય છે તે તે અંશે મુકતતા અનુભવાતી જાય છે ” એમ જે સ્વકીય ફરજને આચરે છે તે મનુષ્ય અનાસક્તભાવમાં વધતા જાય છે અને આસક્ત મનુષ્યો કરતાં આન્તરિકનિલે પતાને વિશેષ પ્રકારે ખીલવવા શકિતમાન્ થાય છે તેમજ તે કન્યકાર્ય પ્રવૃત્તિમાં આન્તરિકનિલે પતાએ નિષ્ક્રિય અને છે તથા બાહ્યથી સક્રિય વતે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy