SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજ્ઞ ભીતિ કભ્ય ભ્રષ્ટ બનાવે છે. ( ૧૪૧ ) અને ધ્યાનારૂઢ ખની કેવલ જ્ઞાન પામી જૈન તીર્થની સ્થાપના કરી. શ્રી હેમચંદ્ર પ્રભુએ નિર્ભીતિથી અનેક કાર્યો કર્યાં. તેમણે સ્વકાર્ય પ્રવૃત્તિમાં જિ ંદગીનું સ્વાર્પણ કર્યું અને નાના ઇશુ ક્રાઇસ્ટરૂપ બન્યા. શિવાજી અને પ્રતાપસિંહે યુદ્ધમાં કટોકટીના પ્રસંગે જરા માત્ર ભીતિ ધારણ કર્યા વિના સ્વસેવા બજાવીને આર્ટ્સમાં અગ્રગણ્ય બન્યા. સર્વ પ્રકારનાં ભયને ત્યાગ કરીને આ પાર કે પેલે પાર એવે નિશ્ચય કરીને સ્વાધિકારે પ્રવૃત્તિ કર્યા વિના કદાપિ કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી એમ ખાસ અવોધવુ, અકબરના જીવનચરિત્ર પર લક્ષ્ય દેવાથી અવાધી શકાશે કે તેણે મૃત્યુના ભય ગણ્યા વિના અનેક યુદ્ધોમાં ઝંપલાવ્યુ હતું. જે મનુષ્ય કાઇ પણ જાતના ભયને શરણે જાય છે તે અવનતિને શરણે જાય છે એમ જાણવુ.... ભીતિયાના નાશ કરીને આત્માની સર્વ શક્તિયેા ખીલવવી જોઇએ. આ વિશ્વમાં ભયયુકત થવાને જન્મ થયેા નથી. સ્વાધિકારે જે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં સ્વાત્માને અમર માની પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી કાર્ય પ્રવૃતિમાં સ્થિરતાપૂર્વક પ્રવી શકાય; કાઇ પણ સ્વાધિકારે આવશ્યક કર્તવ્ય હિતકર કાર્ય કરતાં વિશ્વથી ઠ્ઠીવું ન જોઇએ; જે મનુષ્ય ખોટી રીતે લેાકાપવાદથી હીવે છે અને લોકિક તથા લેાકેાત્તર કાર્યપ્રવૃત્તિમાં મન્દ પડી જાય છે તે પેાતાને તથા સ્વાશ્રિતજનાને વિનાશના માર્ગે દોરી જાય છે. સ્વાત્માની સાથે સંબંધિત સર્વ હિતકર સામગ્રીઓની રક્ષા કરવાની જરૂર છે પરન્તુ કાર્ય કરતાં મૃત્યુ આદિના અધ્યવસાયને ધારણ કરવાની કોઇ પણ રીતિએ જરૂર નથી. સ્વકાર્ય પ્રવૃત્તિમાં ભીતિયોને દબાવવાપૂર્વક આત્મભોગ આપીને પ્રવૃત્ત થવું જોઇએ. વિશ્વસામ્રાજ્ય વ્યવસ્થા સ્થાપવા વા સુધારવા તથા ધર્મ સામ્રાજ્ય વ્યવસ્થા સુધારવા અને પ્રગતિયુક્ત કરવા માટે અનેક મહાપુરૂષાએ મૃત્યુ વગેરે ભીતિયાથી નહિ ઠ્ઠીતાં આત્મભાગા આપ્યા છે, વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં આપશે. હું મનુષ્ય ! સ્વાધિકારપ્રવૃત્તિમાં સાત પ્રકારની ભીતિયાને ત્યાગ કરીને સ્વાત્મમાં સ્થિર થઇ જ્યારે પ્રવૃત્તિ કરીશ ત્યારે તું કાર્ય કરવાની યાગ્યતાને પ્રાપ્ત કરી શકીશ. હે મનુષ્ય ! સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનેક પ્રકારના ભયની કલ્પના કરીને સ્વાધિકારકર્તવ્યથી ભ્રષ્ટ થઇ કર્દિ પરતંત્ર બનીશ તે તું સ્વાશ્રિત મનુષ્યોના પારતંત્ર્ય જીવનમાં અને નાશમાં શાપરૂપ બનીશ. નામરૂપાની વૃત્તિયોના પરપોટાએ ક્ષણિક છે તેને તું ત્હારા માનીશ નહિ અને તુ કદાપિ તેના નાશની ભીતિને ધારણ ન કર. જે મનુષ્યો નાશરૂપની અહ વૃત્તિના તાબે થઇને મૃત્યુ વગેરે ભીતિયાથી હુીવે છે અને તેથી કર્તવ્યષ્ટ થાય છે તે વિશ્વમાં દાસત્વકટીમાં રહેવાને ઉત્પન્ન થએલા છે. તેનુ ભાગ્ય એક ગરીબ પશુના જેવું દયાપાત્ર દેખાય છે. સ્વાધિકારે કર્તવ્યકથી ભ્રષ્ટ થઇને જેએ વિશ્વમાં જીવે છે તે વસ્તુતઃ જીવનારા નથી. જે મનુષ્ય ભીતિયોના શરણે જાય છે તે સત્ય-યા-અસ્તેયબ્રહ્મચર્ય -પ્રામાણ્ય-વિશ્વાસપાલન-નીતિ-રાજ્યની સાથે પ્રામાણ્યસંબંધ અને સદાચારોથી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy