SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. જીવને અધિકાર નથી. રજોગુણ અને તમોગુણી મનુષ્ય લૌકિકકર્મ પ્રવૃત્તિમાં અને આવશ્યક ધર્મકર્મોમાં વિવાહની વષી વાળનારની ગતિની પેઠે આચરણ કરે છે. અતએવ વિશ્વ સામ્રાજ્યના ઉચ્ચ પદોમાં અને ધર્મકર્મ સામ્રાજ્યના ઉચ્ચ પદોમાં તેઓને નિયુક્ત કરવાથી વિશ્વરાજ્ય-સામ્રાજ્ય અને આવશ્યક ધર્મ સામ્રાજ્યના કાર્યોની અને તેની પ્રગતિકારક સુવ્યવસ્થાની અવ્યવસ્થા થઈ જાય છે–એવું અવબોધી સાત્વિકજનોગ્ય આવશ્યક ધર્મકાર્યોના પદની સંરક્ષાર્થે રજોગુણ અને તમોગુણીને પરિહાર કરે જોઈએ. વિશ્વવ્યવહારજીવનમાં અને ધર્મવ્યવહારજીવનમાં વિદ્યા ક્ષાત્રબેલ વ્યાપાર અને સેવા એ ચાર કર્મની પ્રવૃત્તિરૂપ તંત્ર યંત્ર અને મંત્ર વિના ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. રજોગુણ અને તમોગુણી મનુષ્ય વિશ્વવ્યવહાર કર્મમાં અને ધર્મવ્યવહારકર્મમાં પ્રવૃત્તિ કરીને જે કંઈ કરે છે તેના કરતાં સાત્વિક મનુષ્ય વિશ્વવ્યવહારના આવશ્યક કર્મોમાં અને ધાર્મિક વ્યવહારના આવશ્યક કાર્યોમાં સ્વાધિકાર પ્રવૃત્તિ કરીને સ્વને તથા વિશ્વને સંરક્ષવા શક્તિમાન થાય છે. રજોગુણ અને તમોગુણ મનુષ્યના હૃદયમાં ઉચ્ચગુણેના અભાવે પરમાત્માની ઝાંખીને સાક્ષાત્કાર થતો નથી અને તેથી અધ્યાત્મજ્ઞાનનું તેઓ સ્વહૃદયમાં પરિણમન કરી શકતા નથી, તેથી તેઓ ન્નતિ અને પોન્નતિમાં વિદ્યુતવેગે પ્રવર્તી શકતા નથી; અતએ ન્નતિ અને પન્નતિમાં વિદ્યુતવેગે ગમન કરવાને રજોગુણ તોગુણના નાશપૂર્વક સાવિગુણને પ્રાપ્ત કરવાની જરૂર છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યને સાત્વિકગુણપ્રાપ્તિપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરવાને આવશ્યક ધર્મકાર્યો કરવાનો અધિકાર છે; પરંતુ તેઓએ સાત્વિકજ્ઞાનીઓની નિશ્રાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે તેથી તેઓ સ્વાધિકારે લાભ મેળવવા શક્તિમાન થાય છે. સાત્વિક જ્ઞાનીઓ દયા સત્ય અને પ્રામાણ્યાદિગુણોના ઉપાસક બને છે અને તેથી તેઓ સ્વાત્માની શુદ્ધતાપૂર્વક આવશ્યક ધર્મકાર્યોની ફરજને અદા કરીને વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. સાત્વિકજ્ઞાનીઓ રાત્રી અને દિવસમાં જે જે આવશ્યક ધર્મકાર્ય કરવાનાં હોય છે તેમાં નિપદુષ્ટિએ પ્રવૃત્તિ કરીને નિર્લેપ રહી શકે છે. જ્ઞાનીઓ આત્મા કર્મ અને પરમાત્માનું પરિપૂર્ણ સમ્મસ્વરૂપ અવબોધી શકે છે, તેથી તેઓ “ નિશ્ચનારમાં ટિશ્ચ ઘવારતઃ સુથસ્થઢિતથા જ્ઞાન દિવાન ઢિવા દર. ' આ પ્રમાણે કથિતલેકને હૃદયમાં ધારીને અલિપ્તદષ્ટિવડે આવશ્યક ધર્મકાર્યો કરતા છતા અલિપ્ત રહી શકે છે. નિશ્ચયષ્ટિએ અત્તરમાં શુદ્ધોપગ ધારીને બાહ્યપ્રવૃત્તિ કરતાં છતાં કૂર્માપુત્રને કેવલજ્ઞાન ઉદ્ભવ્યું હતું. અલિપ્તદષ્ટિવડે પ્રવર્તતાં આશ્રવના હેતુઓ તે સંસારમાં સંવરરૂપે પરિણમે છે. આત્મજ્ઞાની સાત્વિકમનુષ્ય સાંસારિકવ્યવહાર અને આવશ્ય ધર્મવ્યવહારને સ્વફરજાનુસારે અદા કરતે છતો કદાપિ લૌકિકવ્યવહારમાં અને લેકોત્તરવ્યવહારમાં પરતંત્રતાનો અધિકારી બની શકતું નથી. કારણ કે તે જાણે છે કે સ્વાધિકારે પ્રવ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy