SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકિક પ્રવૃત્તિઓનો અધિકાર. ( ૨૯) લૌકિક પ્રગતિકારક પ્રવૃત્તિ હોય તેઓનો કદાપિ તેના યોગ્ય જ્યાંસુધી સ્વદશા છે. તાવતું ત્યાગ ન કરવો જોઈએ, એવું લૌકિક કર્મચાગ દષ્ટિએ અવબોધવું. અન્તરમાં પ્રવેલ જ્ઞાનવૈરાગ્ય હોય તથાપિ યાવતું લોકિક વ્યવહારદશાનો ત્યાગ કરવામાં ન આવ્યું હોય તાવત્ લૌકિક ફરજ માનીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તરથી નિર્લેપ રહેવું જોઈએ. લૌકિક પ્રવૃત્તિમાં જેનું પ્રબલ વીર્ય અમુક કારણ વડે પ્રવર્તતું નથી તેનું ધાર્મિક પ્રવૃત્તિમાં આત્મબેલ પ્રવર્તી શકે એમ બની શકવું એ કથંચિત્ અવિશ્વસનીય છે એમ અનુભવ કરવામાં આવશે ત્યારે લોકિક કર્મયોગીની પદવી પ્રાપ્ત કરી શકાશે. ભલે પ્રવૃત્તિએના વિચારો કરવામાં સ્વતંત્રષ્ટિથી પ્રવર્તવું પરંતુ પ્રવૃત્તિ ક્યા સ્વાધિકાર એગ્ય છે અને સ્વફરજથી કર્તવ્ય પ્રવૃત્તિમાં યદા પ્રવર્તવું હોય ત્યારે અમુક કાર્ય સંબંધી પૂર્વની પ્રવૃત્તિના ત્યાગને માટે અને નવીન પ્રવૃત્તિના અંગીકાર માટે ભવાની પ્રવૃત્તિ કથંચિત ગ્ય ગણી શકાય. પરિતઃ સંગો અને આન્તરમવૃત્તિની યોગ્યતા તથા સ્વાધિકારને નિય કરી લોકિક પ્રવૃત્તિમાં લૌકિક પ્રવૃત્તિ યોગ્ય એવા લોકો પ્રવૃત્ત થાય છે અને તેઓ તેથી લૌકિક શક્તિયોની પ્રગતિ કરીને લૌકિક પ્રગતિમાં પશ્ચાતું રહેલા મનુષ્યના સત્તાધિકારી બની શકે છે. લૌકિક પ્રગતિકારક શક્તિની સત્તાઓનો અધિષ્ઠાતા જ્યાં સુધી લૌકિકવ્યવહાર સ્થિર મનુષ્ય હોય છેતાવતુ તે લૌકિક સ્વાતંત્ર્યને સંરક્ષી અન્ય મનુષ્યોનો ઉદ્ધારક બની શકે છે, અને ધર્મપ્રવૃત્તિના અસ્તિત્વ બીજાનું સંરક્ષકત્વ કરી શકે છે અતએ લૌકિક પ્રવૃત્તિ કે જે પ્રગતિમાર્ગમાં સાહાચ્ચીભૂત છે તેઓનું અવલંબન કરવું જોઈએ. શ્રાવકનાં દ્વાદશત્રતધારક શ્રીચેટક રાજાએ ક્ષાત્ર ધર્મકર્મષ્ય એવી લૌકિક પ્રવૃત્તિને સેવી બાર વર્ષ પર્યન્ત ઉદાયી રાજાની સાથે યુદ્ધ કર્યું હતું. શ્રી કૃષ્ણ લૌકિક કર્મ સ્વાધિકાર ક્ષાત્રધર્મગ્ય એવાં ત્રણસેં ને સાઠ યુદ્ધ કર્યા હતા. શ્રેણિક-ચેટક અને શ્રીકૃષ્ણ જેવા અન્તરાત્માઓ આન્તરધર્મદષ્ટિએ પ્રવર્તતા હતા અને સમ્યગદૃષ્ટિપ્રતાપે જે વસ્તુ જેવા રૂપમાં હોય તેને તેવા રૂપે જાણતા હતા છતાં લૌકિક પ્રવૃત્તિના અધિકારે બાહ્ય પ્રવૃત્તિને નિલેષપણે આદરતા હતા, પરન્ત લૌકિકકર્મવાધિકારથી ભ્રષ્ટ થતા નહોતા. જે જે બાહ્ય વા આન્તર ફરજ અદા કરવાની છે તેમાંથી જે સ્વાધિકારની યોગ્યતા તપાસ્યા વિના ભ્રષ્ટ થાય છે તે સ્વાધિકાર કર્મથી ભ્રષ્ટ થાય છે અને અન્ય જે કંઈ કરે છે તે પણ તે સિદ્ધ કરવાને અગ્ય હોવાથી ઉભયબ્રણ સ્થિતિને પાત્ર બને છે. અતએવ લૌકિકકર્મમાં જ્યાંસુધી સ્વાધિકાર છે તાવતું સ્વવ્યલૌકિક પ્રવૃત્તિ જે જે હોય તેઓને નિર્લેપ દૃષ્ટિએ સેવવી. સ્વાધિકાર કર્મનું પરીક્ષણ કરવું એ શું સામાન્ય બુદ્ધિમત્તા નથી? લૌકિક કર્મો અને લૌકિક કર્મોની ક્રિયાઓ અર્થાત્ પ્રવૃત્તિ અનેક પ્રકારની હોય છે તેના અનન્ત ભેદ છે. લૌકિક પ્રવૃત્તિ આદરવામાં મમત્વનો ત્યાગ કરવો પડે છે. આત્મશક્તિનો ભંગ આપવો પડે છે. લૌકિક પ્રવૃત્તિ વિના પરસ્પર એક બીજાને ઉપગ્રહ કરી શકાય નહિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy