SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. થયા. પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓ વસ્તુતઃ આત્મજ્ઞાનીઓ છે કારણકે તે બાહ્યથી કર્મયોગી છતાં અન્તરથી કર્મરહિત અને માનસિક અનેક પ્રકારની કામના કર્મરહિત હોય છે. જે જે દેશમાં જે જે કાળમાં આત્મજ્ઞાનીઓને અભાવ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં કર્મવેગની અસ્તવ્યસ્ત દશા થઈ જાય છે અને અધિકાર પરત્વે કે કર્મ કોને સેવવા યોગ્ય છે અને કેવી કેવી સ્થિતિમાં તથા રીતિથી સેવવા યોગ્ય છે તેનું સમ્યગજ્ઞાન ટળી જાય છે અને તેથી તે તે દેશના તે તે કાલના મનુષ્યસમાજની બાહ્ય તથા આન્તરિક પ્રગતિના સ્થાને અવનતિ અલકાય છે. આત્મજ્ઞાની મનુષ્યોને અધિકાર પરત્વે અમુક ક્ષેત્રે, અમુક કાળે અને અમુક દશામાં ઉત્સર્ગ અને અપવાદથી અમુક પ્રવૃત્તિ અમુક રીતિએ આદરવાયોગ્ય છે અને તે કર્તવ્ય કર્મધર્મ છે, એમ અવધીને તે ફરજને વ્યવહાર અદા કરે છે તેથી તેઓ વ્યવહારથી તથા નિશ્ચયથી દેશ-સમાજ-સંધ અને સ્વને પ્રગતિસંરક્ષક વ્યવસ્થાઓથી યુક્ત કરી શકે છે. જ્ઞાનીઓ સમાજની, દેશની અને સ્વપરની આધુનિક અને ભવિષ્ય સ્થિતિ અવલોકી શકે છે અતએ તેઓ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવતઃ કર્તવ્ય કર્મચાગને સ્વસ્વાધિકાર સર્વ મનુષ્યને સંબોધવા અધિકારી બની શકે છે. અને સ્વયં સ્વાધિકાર જે જે કર્તવ્ય કર્મો યેગ્ય ધારે છે તે તે કરવા અધિકારી બની શકે છે. મગજની સમાનતા સંરક્ષી નિલેષપણે હારે મારા અધિકાર પ્રમાણે કર્તવ્યાવશ્યક કર્મને કરવા જોઈએ એમ જે જ્ઞાની મનુષ્ય ધારી શકે છે તે પ્રવૃત્તિમાર્ગમાં પ્રગતિકારક ઉપાયોને સંજી પ્રવૃત્ત થઈ શકે છે. ઉત્સાહ ખંત હૈયે સહનશીલતા વિશેષતઃ નિર્દોષ કર્મ કરવાની વિવેકશક્તિ, દયા સત્ય પ્રામાણ્ય અને સ્વફરજ બજાવવાની યોગ્યતા ઈત્યાદિ ગુણોને જે પ્રાપ્ત કરીને સ્વક્તવ્ય કર્મને ગમે તેવી સ્થિતિમાં તે તે કાલે જે જે રીતે કરી શકાય તેવી રીતે આચરે છે તે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મને અધિકારી બને છે અને તે આદર્શ કર્મચાગી બની અન્ય જનોને સ્વાધિકાર કર્તવ્ય કર્મને અવબેધાવવા સમર્થ બને છે. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશામાં આજુબાજુના સંયેગોને લઈ લાભાલાભના વિવેકપૂર્વક કયું કર્તવ્ય કર્મ કેવી રીતે વ્યવસ્થા જનાઓપૂર્વક કર્તવ્ય છે અને તેમાં મારી કર્તવ્યગ્રતા શક્તિ કેટલી છે તેનો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરવી એ કંઈ નાના બાળકોના ખેલ નથી. મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધ કરવામાં અર્જુનની મતિ અનિશ્ચિત બની હતી તેનું શું કારણ હતું તે ખાસ અનુભવવાયેગ્ય છે. સ્વાધિકારે વર્ણાદિકની અપેક્ષા આદિ અનેક અપેક્ષા સંયેગોને વિચાર કરી જે જે સ્થિતિમાં જે જે મનુષ્ય પ્રારબ્ધાદિ કારણેથી મૂકાયો હોય તે વખતે તેને સંસાર દશામાં કયું કર્મ કરવું અને તેમાં સ્વાધિકાર છે કે નહિ તેનો નિર્ણય કરવો એ આત્મજ્ઞાન અને વ્યવહારજ્ઞાનથી સમ્યગ અનુભવી થયા વિના બની શકે તેમ નથી. અળસીયા વગેરેની પિઠે પ્રવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિ કરનારાઓ તો અનેક મનુષ્ય અવલોકી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy