SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. UR કર્મયોગનું કથન. વિવેચન-આત્મજ્ઞાનપ્રદ શ્રી સશુરુ સુખસાગરજી મહારાજને ગ્રWારંભમાં નમસ્કાર કરવામાં આવે છે. અનેક શાસ્ત્રોમાં શ્રી સદ્ગુરુને અપરંપાર મહિમા વર્ણવામાં આવ્યું છે समकितदायक गुरुतणो, पच्चुवयार न थायः भव कोडाकोडी करे, करतां कोटि उपाय ઈત્યાદિથી સ્પષ્ટ અવબોધાય છે કે સદગુરુ ભગવાનના અપરંપાર ઉપકારથી શિષ્ય-શ્રી સદ્ગુરુના ચાર નિક્ષેપાને મંગલરૂપ માનીને તેમની મન વચન અને કાયાથી સદા ભક્તિ કરે અને તેથી આત્મોન્નતિના શિખરે સ્વાત્માને સ્થાપે એમાં કિંચિત્ અપિ આશ્ચર્ય નથી. શ્રી સદ્ગુરુની કૃપા વિના પરમાત્મપદની પ્રાપ્તિ કરવી તે આકાશકુસુમવત્ છે. શ્રી સદ્ગુરુ. ભગવાન સ્વશિષ્યને આત્મજ્ઞાન સમર્પીને તેને ઉદ્ધાર કરે છે. શ્રી સદ્ગુરુ મહારાજની તેત્રીશ આશાતના ટાળવાપૂર્વક અને વિનયબહુમાનપૂર્વક શ્રી સદ્ગુરુની સેવા કરતાં શ્રી સદ્દગુરુની શિષ્ય પર કૃપા થાય છે અને તેથી શિષ્ય આગમકથિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને શકિતમાન્ થાય છે. સદૂગુરુ શ્રી સુખસાગરજી મહારાજની વિશેષણગર્ભિત ગુણદ્વારા સ્તુતિ કરવામાં આવે છે. બાહ્ય અને આન્તરજ્ઞાનદર્શનચારિત્રતપવીર્યાદિ શ્રી અર્થાત લક્ષ્મીવડે શ્રી ગુરુ મહારાજ શેભે છે. વિનય, વિવેક, શ્રદ્ધા, સેવા, ભક્તિ ઈત્યાદિ ગુણરૂપ શ્રી( લક્ષ્મી)વડે શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ શેભે છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ આત્મજ્ઞાનના દાતાર છે. વિશ્વમાં ધર્મના ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવના; તેમાં દાન ધર્મની સિદ્ધિ થતાં શીલ ધર્મ પ્રાપ્ત કરવાને અધિકારિત્વ પ્રાપ્ત થાય છે. શીલ ધર્મની સિદ્ધિ થતાં તોગુણ પ્રાપ્ત કરવાને ગ્યતા પ્રકટે છે. તપિગુણની સિદ્ધિ થતાં ભાવનું અધિકારત્વ પ્રાપ્ત થાય છે. દાનના ઉપાધિભેદે અનેક ભેદ પડે છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. એ પંચદાનમાં અભયદાનની શ્રેષ્ઠતા અવધવી. દ્રવ્ય અને ભાવથી અભયદાનના બે ભેદ પડે છે. જેના બાહ્યપ્રાણીની રક્ષા કરવી છે તે સૂચવમયાન અને જેના જ્ઞાનાદિગુણોને આવિર્ભાવાર્થે બેધાદિકારા પ્રયત્ન કરે તે માવામથવાન અવબોધવું. દૂરથમવાર કરતાં અનન્તગુણ ઉત્તમ ભાવઅભયદાન છે. કેઈપણ જીવને સમ્યકત્વપૂર્વક આત્મજ્ઞાનનું દાન કરવું તે મારામથયાર અવધવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી દ્રવ્ય અભયદાન અને ભાવઅભયદાનના ભેદ અવધવા. ગૃહસ્થ મનુષ્ય દ્રવ્ય અભયદાન દેવાને મુખ્યતાએ શક્તિમાન થઈ શકે છે. આત્મજ્ઞાની સદ્ગુરુ મુનિરાજ મુખ્યતયા ભાવઅભયદાન દેવાને શક્તિમાન થઈ શકે છે. સમ્યકતવાદિ ભાવઅભયદાનવડે વિધવતી સર્વ જીવોને અભય દેવી શક્તિમાન થવાય છે. જેણે સમ્યકત્વાદિ ભાવઅયદાનને દીધું તેણે ચતુર્દશરજવાત્મક લેકસ્થ સર્વ જીવોની દયા કરી એમ અવબોધવું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચિત્ય એ સસ ક્ષેત્રમાં સર્વસ્વાર્પણ કરવું તે સુપાત્રદાન અવધવું. વિશ્વવર્તિ પ્રાણીઓની દયા કરીને તેઓનાં દુઃખ હરવાને અન્ન વસ્ત્ર પાત્રાદિકનું For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy